/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/amir-khan-23.jpg)
ઉનાળામાં વીજળીની માંગમાં વધારાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યાં
Anil Sasi: આ વર્ષે પીક ડિમાન્ડ 8 ટકાથી વધુ વધીને 230 GW (ગીગા વોટ) થવાની ધારણા સાથે ભારતની વીજળી ગ્રીડ સખત ગરમી માટે તૈયાર છે. નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર (NLDC)ના અંદાજ અનુસાર, સિસ્ટમ ઑપરેટર્સ એપ્રિલ માસમાં અંદાજિત 18 "અલર્ટ દિવસો" માટે તૈયારી કરી રહી છે. જે વિસ્તારોમાં પાવરની ગંભીરપણે અછત છે. મહત્વનું છે કે જુલાઇ 2022માં સૌથી વધુ માંગ 211.6 GW નોંધાઈ હતી.
તંત્ર દ્વારા આગોતરા પગલા લેવાયા
ઉનાળામાં વીજળીની માંગમાં વધારાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામાં આવ્યાં છે. એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન પારંપરિક થર્મલ પ્લાન્ટસના નિવારક જાળવણી કાર્યક્રમને ત્રણ મહિના માટે વિલંબિત કરવામાં આવ્યો છે અને ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 11ના આદેશો (જે સરકારને અસાઘારણ પરિસ્થિતિમાં કોઇ પણ જનરેટિંગ કંપનીને પાવર સ્ટેશનનું સંચાલન અને તેની જાળવણી માટે સોંપણીની છૂટ આપે છે.) 16 માર્ચથી 30 જૂન સુધી આયાતી કોલસા આધારિત પ્લાન્ટસના વિકાસકર્તાઓને સંપૂર્ણ ક્ષમતા પર એકમો ચલાવવા માટે બહાર પાડવામાં આવે છે.
એનટીપીસી લિમિટેડને કમિશન આપવાના આદેશ જારી
આ સિવાય સરકારી માલિકીની એનટીપીસી લિમિટેડને લગભગ 5,000 મેગાવોટ ગેસ આધારિત જનરેશન (1,000 મેગાવોટ 1GW બરાબર છે) કમિશન આપવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. તેમજ પાવર સ્ટેશનોમાંથી ઉત્પન્ન થતી વિજળી પીપીએ ધારકોને વેચવાની છે, જ્યારે બાકીની દેશના સૌથી મોટા વીજ ઉત્પાદક દ્વારા વીજળી બજારમાં ઉતારવામાં આવશે. આ વ્યવસ્થાના ભાગરૂપે પ્લાન્ટના સંચાલનની નિશ્વિત કિંમત CERC કેન્દ્રીય વિદ્યુત નિયામક દ્વારા કરવામાં આવે છે, જ્યારે ચલ કિંમતને બજાર નક્કી કરે છે. આ બંને વચ્ચેના તફાવતનું વળતર NTPC પાવર સિસ્ટમ ડેવલપમેન્ટ દ્વારા આપવામાં આવે છે.
અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આ 18 દિવસો ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. NTPCની પાવર બિઝનેસ શાખા NVVNને ગેસ પાવર આપૂર્તિ કરાર અને પૂલ ઇન કરવા માટે કહેવામાં આવ્યું છે અને આ ગણતરીના આધારે કોઇ પણ વસૂલીને PSDFથી બનાવાશે.
ઉત્તર અને દક્ષિણમાં જળાશયનું સ્તર
ઉલ્લેખનીય છે કે, ઉત્તરી ક્ષેત્રમાં જળાશયનું સ્તર સારું છે, પરંતુ દક્ષિણ વિસ્તારમાં જળાશયનું સ્તર સામાન્યથી પણ ઓછું છે. તેથી હાઇડ્રોપાવર ઉત્પાદન અપેક્ષિત સ્તર કરતાં ઓછું હોવાની સંભાવના છે. પરિણામે દક્ષિણ ક્ષેત્રમાં લોકોને પાણી બચાવવા માટે કહેવામાં આવ્યું છે અને એપ્રિલ મહિનામાં સાંજના સમયે વીજળીના ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/ie-ieg-Untitled-design-2023-03-16T135425.621.jpg)