Pune Bengaluru Highway Accident: મહારાષ્ટ્રના પુણેમાં પુણે-બેંગલુરુ હાઇવેના નાવલે ઉપર રવિવારે રાત્રે મોટો અકસ્માત થયો હતો. જેમાં આસરે 48 વાહનો ક્ષતિગ્રસ્ત થયા હતા. પુણે ફાયર બ્રિગેડ અને પુણે મેટ્રોલપોલિટન રીઝન ડેવલોપમેન્ટ ઓથોરિટીની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પુણેના ભાજપના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલેએ ટ્વિટર ઉપર નાગરીકોને દુર્ઘટના અંગે કોઈ અફવા ન ફેલાવવા માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પુણે બેંગલુરુ રાજમાર્ગ ઉપર નવાલે પુલ ઉપર દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના થઈ છે.
શિરોલે જાણકારી આપતા જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને પીએમઆરડીએની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ઘાયલોની સારવાર કરી રહી છે. હું નાગરિકોને અનુરોધ કરું છું કે અફવાઓ ન ફેલાવો અને ઘટના સ્થળે ન જાઓ.
18 નવેમ્બર 2022થી સવારથી જ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે ઉપર વાહનોમાં સ્પીડ દેખાઈ રહી હતી. જ્યારે એક કારે બીજા વાહનોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ બુમાબુમ મચી ગઈ હતી. આ દર્દનાક ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાના થોડા સમય પહેલા નાગપુરના સક્ખદરા બ્રિજથી નીચે પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત
થોડા મહિનાઓ પહેલા અમદાવાદ – મુંબઈ હાઇવે ઉપર કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું પણ મોત થયું હતું. સાયરસ મિસ્ત્રીનું મુંબઈ પાસે પલઘરમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યું થયું હતું. સાયરસ મિસ્ત્રી ફૂલ સ્પીડમાં હતી. અને અચાનક એક ડિવાયડરથી ટકરાવી હતી. જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મિસ્ત્રી મર્સિડીઝ કારથી અમદાવાદથી મુંબઈ પરત જઈ રહ્યા હતા.