પંજાબ કોંગ્રેસ AAP સાથે જોડાણની વિરુદ્ધ, દિલ્હી પછી પંજાબમાં બળવાની આગ, મુંબઈ બેઠક પહેલા ઇન્ડિયા ગઠબંધનનું ટેન્શન વધ્યુ

Punjab Congress : પંજાબ કોંગ્રેસના વિપક્ષી નેતા પ્રતાપસિંહ બાજવાએ મંચ પર હાજર યુથ કોંગ્રેસના વડા શ્રીનિવાસ બી વી ને આ દ્રષ્ટીકોણને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા વિનંતી કરી

Punjab Congress : પંજાબ કોંગ્રેસના વિપક્ષી નેતા પ્રતાપસિંહ બાજવાએ મંચ પર હાજર યુથ કોંગ્રેસના વડા શ્રીનિવાસ બી વી ને આ દ્રષ્ટીકોણને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા વિનંતી કરી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Punjab Congress | Punjab | Congress

કોંગ્રેસના વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવા (તસવીર - એક્સપ્રેસ)

નવજીવન ગોપાલ: પંજાબમાં વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં મતભેદો હવે સ્પષ્ટ થઈ ગયા છે. પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વએ સ્પષ્ટ કરી દીધું છે કે તે હાલમાં રાજ્યમાં શાસન કરી રહેલી આમ આદમી પાર્ટી (આપ) સાથે કામ કરવા તૈયાર નથી. રાજ્ય એકમના કેટલાક નેતાઓ એવો આગ્રહ રાખે છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપને હરાવવું મહત્ત્વનું છે અને પંજાબ કોંગ્રેસનું નેતૃત્વ ટૂંકી દૃષ્ટિવાળું ન હોઈ શકે.

Advertisment

ગુરુવારે યૂથ કોંગ્રેસના એક કાર્યક્રમમાં કોંગ્રેસના વિપક્ષી નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે કોંગ્રેસના લોકો આ જે નવી જમાત આવી છે તેનો ચહેરો જોવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે જ્યારે તમે તમારી મરજી વિના લગ્ન કરો છો, ત્યારે તે લગ્નથી બંને પરિવારોને નુકસાન થાય છે. અમારા પક્ષના કાર્યકરો પંજાબ વિરોધી લોકો સાથે કોઈ દૂર-દૂરના સંબંધો રાખવા માગતા નથી.

પ્રતાપ સિંહ બાજવાએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરી હતી અને કહ્યું હતું કે માન અને આપના નેતૃત્વ પર જે અતિરેક કરી રહ્યા છે તેના માટે ખાસ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસ સત્તામાં આવશે ત્યારે અમે ઉધઈને દૂર કરવાની વ્યવસ્થા કરીશું. પ્રતાપસિંહ બાજવાએ મંચ પર હાજર યુથ કોંગ્રેસના વડા શ્રીનિવાસ બી વી ને આ દ્રષ્ટીકોણને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.

આ બીજી વખત છે જ્યારે પંજાબ કોંગ્રેસના નેતાએ સત્તાવાર રીતે ગઠબંધનનો વિરોધ કર્યો છે. જૂનમાં રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન વિશે વાતચીત શરૂ થયા બાદ તરત જ બાજવાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. જોકે તેમણે ગઠબંધનની વિરુદ્ધમાં ખુલીને કંઇ કહ્યું ન હતું.

Advertisment

આ પણ વાંચો - પહેલા મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ અને હવે બિહારમાં ચૂંટણી લડશે AAP, કેજરીવાલની મહત્વકાંક્ષા INDIA ગઠબંધનને ડુબાડશે!

પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વારિંગે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમણે રાજ્ય એકમના મંતવ્યો હાઇકમાન્ડને પહોંચાડ્યા છે અને આશા વ્યક્ત કરી છે કે પાર્ટી હાઈકમાન્ડ તેમના પર વિચાર કરશે. પાર્ટીના નેતાઓ એ વાત સંમત છે કે પંજાબમાં આપ સાથે ભાગીદારી ઘણી સમસ્યાઓ ઉભી કરશે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જો ગઠબંધન થયું તો મતો એક બીજાને ટ્રાન્સફર કરવા મુશ્કેલ બનશે. આપ કેડરનો એક ભાગ પોતાના મૂળને કોંગ્રેસ સાથે જોડે છે. સાથે જ કોંગ્રેસ પોતાના વોટ જાળવી રાખવા ઈચ્છે છે. અમે ગઠબંધનમાં પાર્ટી માટે કામ કરવાને બદલે રાજ્યમાં શાસક સરકાર બનાવવાનું પસંદ કરીશું. આપણે ખતમ થઇ જશું અને ભાજપને લીડ મળશે.

કોંગ્રેસના ભોલાથના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે પંજાબમાં ગઠબંધનનું બહુ મહત્વ નહીં હોય, જ્યાં ભાજપ અપ્રસ્તુત છે. ઇન્ડિયા ગઠબંધન ભાજપને સત્તામાં આવતા અટકાવવાનું છે. પરંતુ પંજાબમાં ભાજપ કેડર અપ્રસ્તુત છે. ભાજપ અહીં એક પણ બેઠક જીતી શકે તેમ નથી તેથી ગઠબંધન કરવાનો કોઇ અર્થ નથી. આ રાજ્યમાં ઇન્ડિયા માટે ખતરો ક્યાં છે?

ખૈરાએ કહ્યું કે આ લેવલ પર આપ સાથે સમાધાન કરવું એ પાર્ટી કેડરની વિરુદ્ધ હશે. અમારા પક્ષના કાર્યકરો છેલ્લા 18 મહિનાથી માને અમારી સામે અપનાવેલી પ્રતિસ્પર્ધી નીતિઓની વિરુદ્ધ છે.

સાથે જ ઘણા નેતાઓને લાગે છે કે ગઠબંધનથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. એક નેતાએ કહ્યું કે આપ કેડર કોંગ્રેસના આધારથી આવી છે, તેથી તે આખરે કોંગ્રેસ માટે કામ કરશે. તેમણે કહ્યું કે જે લોકો ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે તેઓ લોકસભા ચૂંટણી નહીં લડે. પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે ગઠબંધનનો વિરોધ કરી રહેલા લોકો રાજ્યના રાજકારણના સમીકરણો જોઈ રહ્યા છે અને 2024માં ભાજપને સત્તાથી દૂર રાખવાના મોટા ચિત્ર વિશે વિચારતા નથી.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

ઇન્ડિયા ગઠબંધન politics Express Exclusive આપ congress