Congress Nagpur Rally : રાહુલ ગાંધીને છુપાઇને કેમ મળ્યા ભાજપના સાંસદ? નાગપુર રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું કારણ

Rahul Gandhi Nagpur Rally : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાગપુરની રેલીમાં જાહેરાત કરી હતી કે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે

Written by Ashish Goyal
Updated : December 28, 2023 18:32 IST
Congress Nagpur Rally : રાહુલ ગાંધીને છુપાઇને કેમ મળ્યા ભાજપના સાંસદ? નાગપુર રેલીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે જણાવ્યું કારણ
નાગપુરમાં રેલી દરમિયાન રાહુલ ગાંધી (X/@INC Maharashtra)

Congress Nagpur Rally : કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્થાપના દિવસ નિમિત્તે નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં બોલતા કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રેલીમાં તેમણે કહ્યું કે આ સમયે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. રાજકીય અને સત્તાની લડાઈની સાથે વિચારધારાની લડાઈ પણ છે.

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપમાં રાજાઓની જેમ ઉપરથી ઓર્ડર આવે છે, જેનું પાલન કરવું પડે છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા હું લોકસભામાં ભાજપના સાંસદને મળ્યો હતો, ભાજપના ઘણા સાંસદો પહેલા કોંગ્રેસમાં હતા, આ પણ કોંગ્રેસ પાર્ટીમાં હતા. છુપાઈને મને મળ્યા. કહે છે રાહુલજીએ તમારી સાથે વાત કરવી પડશે. મેં કહ્યું- ભાઈ, શું વાત કરવી, તમે તો ભાજપમાં છો, પછી તે ચહેરા પર ટેન્શન જોવા મળી રહ્યું હતું.

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે મેં પૂછ્યું- શું બધું બરાબર છે? મેં વિચાર્યું કે કદાચ ઘરમાં કોઈ બીમાર હશે, કોઈ અકસ્માત થયો હશે, મેં પૂછ્યું કે શું બધું બરાબર છે, તો તેણે કહ્યું – ના, રાહુલજી, ભાજપમાં રહીને સહન થતું નથી. હું ભાજપમાં છું પણ મારું દિલ કોંગ્રેસમાં છે. મેં કહ્યું – ભાઈ, તમારું દિલ કોંગ્રેસમાં છે, શરીર ભાજપમાં છે. મતલબ કે શરીરને કોંગ્રેસ સુધી લાવવામાં દિલ ડરે છે, આવું જ થઇ શકે છે.

આ પણ વાંચો – રામ મંદિરના કાર્યક્રમમાં હાજરી આપવી કે નહીં? કેરળના મુસ્લિમ સંગઠને કોંગ્રેસની મૂંઝવણ ભરેલી સ્થિતિની ટીકા કરી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું – મેં કહ્યું કે ત્યાં કેમ મન લાગતું નથી, તમે સાંસદ છો, તમે મને હિંટ આપી રહ્યા છો, મન કેમ લાગતું નથી. તે કહે છે કે રાહુલજી કહે છે ભાજપમાં ગુલામી ચાલે છે, જે ઉપર કહેવામાં આવે છે તે વિચાર્યા વગર જ કરવું પડે છે. કોઈ આપણું સાંભળતું નથી, ઉપરથી હુકમો આવે છે. જેમ પહેલા રાજાઓ ઓર્ડર આપતા હતા, ઉપરથી ઓર્ડર આવે છે અને તેનું પાલન કરવું પડે છે, તેમને તે ગમે કે ન ગમે, ત્યાં કોઈ વિકલ્પ નથી. તેમની વિચારધારા રાજાઓની વિચારધારા છે, કોઇની વાત નહીં સાંભળવી, ઉપરથી ઓર્ડર આવે ત્યારે તમારે હુકમનું પાલન કરવું પડશે. કોંગ્રેસ પાર્ટીમાં અવાજ નીચેથી આવે છે. આપણો સૌથી નાનામાં નાનો કાર્યકર્તા પણ આપણા કોઈપણ નેતાને સવાલ કરી શકે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપથી વિપરીત કોંગ્રેસનો નાનો કાર્યકર્તા પણ પાર્ટીના ટોચના નેતાઓને સવાલ કરી શકે છે અને તેમની સાથે અસહમત થઈ શકે છે. વીસીની નિમણૂક યોગ્યતાના આધારે કરવામાં આવતી નથી, પરંતુ તે કોઈ ખાસ સંસ્થાના છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે નાગપુરની એક રેલીમાં જાહેરાત કરી હતી કે કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ તેમની પાર્ટી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ