રાહુલ ગાંધીએ કહ્યું – મીડિયા અમારી વાત દેખાડતું નથી, પીએમ મોદી 24 કલાક નજર આવે છે

Rahul Gandhi : રાહુલ ગાંધીએ કહ્યું - રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હિન્દુસ્તાનના બધા અમીર લોકો હતા એકપણ ગરીબ, ખેડૂત કે મજૂર જોવા મળ્યા ન હતા

Written by Ashish Goyal
February 16, 2024 19:40 IST
રાહુલ ગાંધીએ કહ્યું – મીડિયા અમારી વાત દેખાડતું નથી, પીએમ મોદી 24 કલાક નજર આવે છે
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કર્યો હતો (તસવીર - એએનઆઈ, ફાઇલ ફોટો)

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં તેમની ભારત જોડો ન્યાય યાત્રાના તબક્કાના ભાગ રૂપે બિહારમાં છે. આ દરમિયાન એક રેલીને સંબોધિત કરતા તેમણે કહ્યું કે દેશમાં નફરતના માહોલ પાછળનું કારણ શું છે? કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ક્યારેય મીડિયામાં ખેડૂત કે મજૂરનો ચહેરો જોયો છે?

રાહુલ ગાંધીએ બિહારના કૈમૂરમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન એક જનસભામાં કહ્યું કે મીડિયા અમારી વાત બતાવતા નથી પરંતુ પીએમ મોદી 24 કલાક જોવા મળે છે. નીતિશ કુમારને પણ ક્યારેક ક્યારેક જોઈ શકાય છે પરંતુ મને અને તેજસ્વીને ત્યાં ક્યારેય બતાવવામાં નહીં આવે કારણ કે અમે મીડિયાના માલિક નથી. તે અમીરોની છે, ખેડૂતો અને મજૂરોની નથી, અમે તેમના વિચારો સામે રાખીએ છીએ, તેથી અમને મીડિયામાં જગ્યા મળતી નથી.

દેશમાં નફરતનો માહોલ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં નફરતના માહોલ પાછળનું કારણ શું છે? અમે ખેડૂતો, મજૂરો, બાળકો અને યુવાનોને પૂછ્યું. બધાએ કહ્યું કે તેનું કારણ ડર છે. આ ડરનું કારણ અન્યાય છે. તેમણે કહ્યું કે આ દેશના દરેક ખૂણામાં દરરોજ અન્યાય થઈ રહ્યો છે. આર્થિક અન્યાય, સામાજિક અન્યાય, ખેડૂતોને અન્યાય, યુવાનોને અન્યાય, મહિલાઓ સાથે અન્યાય.

આ પણ વાંચો – ખેડૂત આંદોલનથી અકાલી દળ-ભાજપ ગઠબંધન પર બ્રેક લાગી

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બધા અમીર લોકો હતા

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ક્યારેય મીડિયામાં ખેડૂત કે મજૂરનો ચહેરો જોયો છે? તમે બધાએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઇ? શું તમે તેમાં ગરીબો, ખેડૂતો, મજૂરોને જોયા છે? કારણ કે તેઓ મજૂર હતા. તેઓ ભૂખે મરતા હતા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હિન્દુસ્તાનના બધા અમીર લોકો હતા એકપણ ગરીબ, ખેડૂત કે મજૂર જોવા મળ્યા ન હતા.

રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર

રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને લઈને પણ કેન્દ્ર પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે કેન્દ્રએ સેનામાં બે કેટેગરી બનાવી છે. એક અગ્નિવીર અને બીજી અન્ય. જો કોઈ અગ્નિવીર ઘાયલ થાય કે શહીદ થાય તો તેને ન તો શહીદનો દરજ્જો મળશે કે ન તો જરૂરી વળતર મળશે. આ ભેદભાવ શા માટે? રાહુલ ગાંધીએ કહ્યું કે શા માટે તેઓએ આર્મીમાં બે કેટેગરી બનાવી છે? ધારો કે અગ્નિવીર તરીકે ચાર યુવાનોની પસંદગી કરવામાં આવી છે. ચાર વર્ષ પછી ચારમાંથી ત્રણ યુવાનોને વતન પરત મોકલી દેવામાં આવશે અને તેમાંથી માત્ર એકને જ વધુ રોજગારી આપવામાં આવશે, બાકીના ત્રણ શું કરશે? શું તેઓ પકોડા વેચશે?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ