રાજસ્થાન વિધાનસભા ચૂંટણી : વસુંધરા રાજેને સાઇડલાઇન કરી રહી છે પાર્ટી? ભાજપ સામે શું છે પડકાર

Rajasthan Assembly Elections 2023 : વસુંધરા રાજે વિરોધી છાવણીનું કહેવું છે કે તેમણે છેલ્લા સાડા ચાર વર્ષમાં પાર્ટી માટે કંઈ કર્યું નથી, જ્યારે તેમના નજીકના લોકોનું કહેવું છે કે તેમને ક્યારેય એવા કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી જેના માટે તેમના પર હાજરી ન હોવાનો આરોપ છે

Rajasthan Assembly Elections 2023 : વસુંધરા રાજે વિરોધી છાવણીનું કહેવું છે કે તેમણે છેલ્લા સાડા ચાર વર્ષમાં પાર્ટી માટે કંઈ કર્યું નથી, જ્યારે તેમના નજીકના લોકોનું કહેવું છે કે તેમને ક્યારેય એવા કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી જેના માટે તેમના પર હાજરી ન હોવાનો આરોપ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Vasundhara Raje | Rajasthan Assembly Elections | BJP

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Express file photo)

હમઝા ખાન : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી નજીક છે. આ સ્થિતિમાં રાજકીય સમીકરણ પણ બદલાઇ રહ્યા છે. આ દરમિયાન ચર્ચાનો મહત્વનો મુદ્દો પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ છે. એ વાત નિશ્ચિત છે કે ભાજપ ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર નહીં કરે અને સોમવારે જયપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ બાદ આ વાતની પુષ્ટિ થઈ છે. જ્યાં પીએમે કહ્યું હતું કે હું દરેક બીજેપી કાર્યકર્તાને કહેવા માંગુ છું કે આપણી ઓળખ અને શાન કમળ છે. જોકે એવી અટકળો હતી કે પીએમ વસુંધરા રાજેનું નામ આગળ કરી શકે છે પરંતુ એવું થયું નહીં.

Advertisment

પીએમ વસુંધરા રાજેનું નામ ન લીધું

પીએમ મોદીની જયપુર સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી. વસુંધરા રાજે પણ અહીં હાજર હતા. તેમને યોગ્ય રીતે બોલવાની તક પણ આપવામાં આવી ન હતી. પીએમએ તેમના અડધા કલાકના સંબોધન દરમિયાન એક વખત પણ તેમની સરકારનો ઉલ્લેખ કર્યો ન હતો. બીજેપી સાંસદ દિયા કુમારી અને બીજેપીના રાષ્ટ્રીય સચિવ અલકા ગુર્જરે કાર્યક્રમનું એન્કરિંગ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે પાર્ટી નવી મહિલા નેતાઓને ચહેરો બનાવવા માંગે છે.

વસુંધરા રાજેને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે?

એવી પણ ચર્ચા છે કે વસુંધરા રાજેને ભાજપે પક્ષના નેતાઓની સહમતિથી સાઇડલાઇન કરી દીધા છે. રાજે વિરોધી કેમ્પનું કહેવું છે કે તેમણે છેલ્લા સાડા ચાર વર્ષમાં પાર્ટી માટે કંઈ કર્યું નથી. જ્યારે તેમના નજીકના લોકોનું કહેવું છે કે તેમને ક્યારેય એવા કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું જેના માટે તેમની હાજરી ન હોવાનો આરોપ છે. આ કાર્યક્રમો રાજ્યની 9 પેટાચૂંટણીઓ, ગયા વર્ષની જન આક્રોશ યાત્રા અને તાજેતરમાં પરિવર્તન સંકલ્પ યાત્રા વગેરે હતા.

વસુંધરા રાજેને સાઇડલાઇન કરવાનું કારણ શું હોઈ શકે?

જો વસુંધરા રાજેને પાર્ટી દ્વારા સાઇડલાઈન કરવા પાછળના કારણોની તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો ઘણા મજબૂત કારણો દેખાય છે. જેમ કે વસુંધરા રાજેના ક્યારેય મોદી-શાહ નેતૃત્વ સાથે ખૂબ જ સારા સંબંધો રહ્યા નથી. તેઓ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સંઘ સાથે અણબનાવ જોવા મળ્યો હતો. આ અણબનાવ ખાસ કરીને તેમના નજીકના સાથીદાર યુનુસ ખાનને પાર્ટી દ્વારા સાઇડલાઇન કર્યા પછી પ્રકાશમાં આવ્યો હતો.

Advertisment

આ પણ વાંચો - શું શિવરાજ ચૌહાણ માટે વાગી ખતરાની ઘંટડી? નરેન્દ્ર સિંહ તોમર એમપીની રાજનીતિમાં એમ જ પાછા ફર્યા નથી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપે વસુંધરા રાજેના વફાદાર રોહિતાશ શર્મા અને દેવી સિંહ ભાટીને પણ બહારનો રસ્તો બતાવ્યો હતો અને તાજેતરમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલને પણ સસ્પેન્ડ કર્યા હતા. જેના પર મેઘવાલે આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે વસુંધરાજીના સમર્થકોને અલગ કરી દેવામાં આવ્યા હતા, હટાવી દેવામાં આવ્યા હતા. હવે જો તેઓ સંમત ન થાય અને હજુ પણ સભાઓમાં હાજરી આપે તો હું શું કરી શકું?"

શું વસુંધરા રાજેને સાઇડલાઇન કરવા ભારે થશે?

આ બધી ચર્ચાઓ અને અટકળો વચ્ચે ક્યાંક ને ક્યાંક ભાજપ વસુંધરા રાજેને લઈને સાવધ દેખાઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, આપણે સમજી શકીએ છીએ કે રાજેના ટીકાકાર ગુલાબચંદ કટારિયાને રાજસ્થાનમાંથી બહાર કાઢીને આસામના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. રાજે વિરોધી કેમ્પના અન્ય નેતા સતીશ પૂનિયાના સ્થાને સીપી જોશીને પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ ઇશારા વસુંધરાના પક્ષમાં ગણાય છે.

પાર્ટીના એક નેતાએ કહ્યું કે નેતૃત્વે જાણી જોઈને વસુંધરાના મામલાને ખેંચ્યો છે. હાલ તેમની પાસે કોઈ પગલું ભરવા માટે વધારે સમય બચ્યો નથી. કોંગ્રેસ પાસે શરદ પવાર, મમતા બેનર્જી અને વાયએસ જગન મોહન રેડ્ડી જેવા ઉદાહરણો છે જેમણે પાર્ટી છોડી અને બહાર સારું પ્રદર્શન કર્યું છે. તેથી પાર્ટીએ સતર્ક રહેવું જોઈએ.

ભાજપના 70 ધારાસભ્યોમાંથી 40થી વધુને અગાઉ રાજેના નજીકના માનવામાં આવતા હતા. પરંતુ ભાજપના કેટલાક લોકોને લાગે છે કે હવાની લહેર કઇ તરફ છે તેના આધારે તેઓ પાલો બદલી શકે છે. હવે બધાની નજર ટિકિટની વહેંચણી પર છે, જો રાજેના સમર્થકોની અવગણના કરવામાં આવે તો રાજે વધુમાં વધુ અપક્ષના રૂપમાં પ્રચારિત કરી શકે છે. આ એક મુશ્કેલ ચૂંટણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં વસુંધરાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ભાજપ તેમને સરળતાથી સાઇડલાઇન કરી શકે નહીં.

Rajasthan ચૂંટણી 2023 Express Exclusive દેશ ભાજપ PM Narendra Modi