રક્ષક પણ બન્યા અને હનુમાન પણ! રામ મંદિર આંદોલનમાં વાંદરાઓની ભૂમિકા

Ram temple role monkeys : રામ મંદિર આંદોલનમાં વાંદરાઓની ભૂમિકા અનેક વખત જોવા મળી છે, બાબરી ધ્વંસ હોય કે કોર્ટમાં રામ મંદિર વિવાદને લઈ ચાલી રહેલી સુનાવણી, તો જોઈએ ક્યાં શું બન્યું હતુ.

Ram temple role monkeys : રામ મંદિર આંદોલનમાં વાંદરાઓની ભૂમિકા અનેક વખત જોવા મળી છે, બાબરી ધ્વંસ હોય કે કોર્ટમાં રામ મંદિર વિવાદને લઈ ચાલી રહેલી સુનાવણી, તો જોઈએ ક્યાં શું બન્યું હતુ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Ram temple role monkeys

રામ મંદિર આંદોલન અને વાંદરાઓની ભૂમિકા (પ્રતિકાત્મક તસવીર)

Ram Temple Role Monkeys : રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રામલલાની મૂર્તિ 22મી જાન્યુઆરીએ પવિત્ર થવા જઈ રહી છે. ઘણા વર્ષોના સંઘર્ષ અને આંદોલન પછી આ સમય એવો આવ્યો છે, જ્યારે રામલલાને તંબુમાંથી મુક્ત કરીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે આ રામમંદિર આંદોલનમાં કાર સેવકો સાથે ઘણા નેતાઓએ ભૂમિકા ભજવી હતી, પરંતુ તેની સાથે વાંદરાઓએ પણ ભૂમિકા ભજવી હતી.

Advertisment

બહુ ઓછા લોકો જાણે છે કે, રામ મંદિર આંદોલનમાં વાંદરાઓએ પણ તેમની ભૂમિકા ભજવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન ક્યારેક ભગવા ધ્વજને બચાવવાથી લઈને ક્યારેક ધાબા પર બેસવા સુધી, એવી ઘણી કહાનીઓ છે, જે દર્શાવે છે કે, આ આંદોલનમાં વાંદરાઓ પણ સક્રિય હતા. આવી જ એક ઘટના 1990 ની છે જ્યારે વિશ્વ હિંદુ પરિષદે બાબરી મસ્જિદની જગ્યાએ રામ મંદિર બનાવવાનું સૌપ્રથમ વચન આપ્યું હતું.

30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યાને ચારે બાજુથી સુરક્ષા દળોએ ઘેરી લીધું હતું. લગભગ 28 હજાર સુરક્ષા દળો મુસદૈતી સાથે મેદાન પર ઉભા હતા. કારણ હતું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં આવવાના હતા અને વિવાદિત સ્થળે જવાનું હતું. હવે VHP કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા, કેટલાકે વિરોધ પણ શરૂ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ પણ જડબાતોડ જવાબ આપ્યો. પછી એક સાધુએ હિંમત બતાવી અને તેમણે વાહન તરફ કૂદકો માર્યો, ત્યારબાદ બધાને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા હતા.

એવું કહેવાય છે કે, તે સાધુના કારણે જ પોલીસ બેરિકેડ તૂટી ગઈ હતી અને ત્યાંના તમામ કાર સેવકોને આગળ વધવાનો મોકો મળ્યો હતો. બેરીકેડ તોડતાની સાથે જ કાર સેવકો આક્રમક બની ગયા હતા એટલું જ નહીં, પોલીસે લાઠીચાર્જ પણ શરૂ કર્યો હતો. ગોળીબાર પણ કરવામાં આવ્યો, ઘણા મૃત્યુ પામ્યા, પરંતુ કેટલાક બાબરી મસ્જિદના ગુંબજની છત પર ચઢવામાં સફળ થયા. તેમના તરફથી ત્યાં ભગવો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો.

Advertisment

હવે એક તરફ પોલીસ ગોળીબારમાં 20 લોકોના મોત થયા હતા, તો બીજી તરફ બાબરી મસ્જિદના ગુંબજ પર ભગવો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે. હવે જો પોલીસ ઇચ્છતી તો તે ધ્વજને ત્યાંથી તરત જ હટાવી શકી હોત, પરંતુ એક મોટું ધાર્મિક સંકટ ઊભું થયું, અને તે ધાર્મિક સંકટ એક વાનર લાવ્યો. તે વાંદરો બાબરી મસ્જિદના ગુંબજ પર ચઢી ગયો અને ભગવા ધ્વજનું રક્ષણ કર્યું. ત્યાં ઉભેલા સુરક્ષાદળોને લાગ્યું કે, વાંદરો વાસ્તવમાં ભગવાન હનુમાનનું જ સ્વરૂપ છે, જે ભગવા ધ્વજને બચાવવા આવ્યો હતો.

આ પણ વાંચો - પ્રાણ પ્રતિષ્ઠા પછી, કુબેર ટીલામાં પૂજા… આ છે PM મોદીની અયોધ્યા મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ

આ કારણથી પોલીસે વાંદરાને ત્યાંથી હટાવ્યો ન હતો અને જ્યાં સુધી વાંદરો ત્યાં ઊભો રહ્યો, ત્યાં સુધી બાબરી મસ્જિદ પર ભગવો ઝંડો લહેરાતો રહ્યો. આ કહાનીનું એક ચિત્ર ઇતિહાસના પાનામાં પણ નોંધાયેલું છે, અને આજે પણ તેનો ઉલ્લેખ છે.

આવી જ એક વાંદરાઓને લઈને 1986 ની એક ઘટના પણ છે. કેએમ પાંડેની આત્મકથા “વિવેકનો અવાજ” માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્યારે તેઓ બાબરી મસ્જિદનો દરવાજો ખોલવાનો આદેશ આપી રહ્યા હતા, ત્યારે સુનાવણી દરમિયાન કોર્ટ સંકુલની છત પર એક વાંદરો હાજર હતો. તેની પાસે એક ભગવો ધ્વજ પણ હતો, ઘણા પ્રયત્નો પછી પણ વાંદરો ત્યાંથી ખસ્યો નહીં. હિંદુ પક્ષની તરફેણમાં નિર્ણય આપવામાં આવતાં વાંદરો ત્યાંથી ચાલ્યો ગયો હતો.

Ayodhya રામ મંદિર ગુજરાતી ન્યૂઝ Express Exclusive દેશ