શું ભાજપ સાથે નીતિશ કુમારની નિકટતા વધી રહી છે? બિહારના સીએમએ આરોપો પર કેમ આપવી પડી સ્પષ્ટતા?

Bihar Poitics : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ભાજપના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો

October 22, 2023 16:23 IST
શું ભાજપ સાથે નીતિશ કુમારની નિકટતા વધી રહી છે? બિહારના સીએમએ આરોપો પર કેમ આપવી પડી સ્પષ્ટતા?
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ (ફાઇલ ફોટો)

સંતોષ સિંહ : બિહારના મોતિહારીમાં ગુરુવારે એક દિક્ષાંત સમારોહ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે એવું નિવેદન આપ્યું હતું. જેના કારણે તેમના નિવેદન પરથી અનેક અર્થ કાઢવામાં આવ્યા હતા. વિવાદ વધ્યો તો તેમણે શનિવારે પોતાનું રાજકીય વલણ સ્પષ્ટ કરવું પડ્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ તરફ કોઈ ઝુકાવ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. એમ પણ કહ્યું કે મીડિયાએ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.

નીતીશ કુમારે ગુરુવારે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન ભાજપના નેતાઓ સાથે મંચ શેર કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ અમારા મિત્રો છે અને મિત્રો જ રહેશે. જે બાદ ભાજપ સાથે JDUની મિત્રતાની અટકળોએ જોર પકડ્યું હતું. જેડી(યુ)ના નેતા અને મંત્રી વિજય કુમાર ચૌધરીએ સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ માત્ર પોતાના અંગત અને રાજકીય સંબંધોના સંકેત આપ્યા છે.

મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છેઃ નીતિશ કુમાર

આ પછી નીતીશ કુમાર ગુસ્સે થઈ ગયા અને સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે હું પરેશાન છું કે કેવી રીતે મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું અને સંદર્ભની બહાર તેનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે હું એનડીએમાં હતો ત્યારે મોતિહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાના મારા પ્રયાસોનો ઉલ્લેખ કરી રહ્યો હતો. મેં ફક્ત મારા ભૂતપૂર્વ ભાજપના સાથીદારોને મારા પ્રયત્નો વિશે યાદ કરાવ્યું. આમ કહેવામાં ખોટું શું છે? તેમણે તેમના નિવેદનોના પસંદગીયુક્ત અર્થઘટનને કારણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

તેજસ્વીને તેમના અનુગામી બનાવવાના સંકેત

નીતિશ કુમારે નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે અમારી સાથે સખત મહેનત કરતા રહો. આ બાળક અમારા માટે સર્વસ્વ છે. ગયા વર્ષે નાલંદામાં તેમના નિવેદન બાદ આ બીજી વખત છે જ્યારે તેમણે તેજસ્વીને તેમના અનુગામી બનાવવાના સંકેત આપ્યા છે. વિવાદને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરતાં તેમણે કહ્યું કે, મારી કોઈ અંગત મહત્વાકાંક્ષા નથી. મારો એકમાત્ર ઉદ્દેશ્ય આપણા ગઠબંધન (ભારત બ્લોક)ના સ્ટેન્ડને મજબૂત કરવાનો છે.

આ પણ વાંચો – PM મોદીએ રાહુલની OBC નીતિનો કર્યો કાઉન્ટર, BJP ની મોટી રણનીતિનો ખુલાસો!

જેડીયુ વિઘટનના આરે છેઃ ભાજપ

નીતિશ કુમાર પર પ્રહાર કરતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે નીતીશ કુમારને ખાતરી નથી કે તેઓ શું બોલી રહ્યા છે. બિહારના લોકો નક્કી કરશે કે તેમનો ઉત્તરાધિકારી કોણ હશે. ભાજપના રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીએ કહ્યું કે નીતિશ “ટ્વીન-ટ્રેક” રાજકારણ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે JD(U) વિઘટનના આરે છે અને ભાજપને હવે નીતિશની જરૂર નથી.

જોકે બિહાર કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અખિલેશ પ્રસાદ સિંહ નીતીશ કુમારના ઉત્તરાધિકારની ફોર્મ્યુલાથી આશ્ચર્ય પામ્યા ન હતા. તેમણે કહ્યું કે નીતીશ કુમારે તેજસ્વીને ભાવિ સીએમ કહેવામાં કંઈ નવું નથી. તે આ પહેલા પણ કહી ચૂક્યો છે. અમે તેજસ્વીને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજૂ કરીને 2020ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમાર મહેતાએ કહ્યું કે નીતીશ કુમાર અમારા નેતા તેજસ્વી વિશે જે કહી રહ્યા છે તે દર્શાવે છે કે બિહારના ડેપ્યુટી સીએમ નેતા તરીકે કેટલા પરિપક્વ થયા છે. તેજસ્વી અને લાલુ પ્રસાદે ભારતીય વિપક્ષી ગઠબંધનના વિશાળ હિતમાં ઓગસ્ટ 2022માં નીતિશ કુમાર સાથે હાથ મિલાવવાનું સાહસિક પગલું ભર્યું હતું. નીતીશ કુમાર સારી રીતે જાણે છે કે તેજસ્વીમાં બિહારના વિકાસના એજન્ડાને આગળ લઈ જવાની ક્ષમતા છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ