/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/sachin-pilot.jpg)
સચિન પાયલટની ફાઇલ તસવીર -
રાજસ્થાનમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઇ છે. આ દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું. સચિન પાયલટે કહ્યું હતું કે મેં ધોલપુરમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ભાષણ સાંભળ્યું, તેમને સાંભળીને એવું લાગે છે કે તેમની નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારી સરકારને તોડવાનું કામ બીજેપી કરી રહી છે તો બીજી તરફ એવું પણ કહેવાય છે કે વસુંધરા રાજે અમને બચાવવાનું કામ કરી રહી છે. તમે શું કહેવા માંગો છો તે તમારે સ્પષ્ટ કરવું જોઇએ. પાયલટે કહ્યું કે મારા પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે. મને નકામો દેશદ્રોહી શું કામ કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ઇચ્છીએ છીએ.
તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ 11 મેના રોજ અજમેરથી જયપુર સુધી જન સંઘર્ષ યાત્રા કાઢવાની જાહેરાત પણ કરી હતી .ધોલપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં, રાજેના ગઢ, ગેહલોતે દાવો કર્યો હતો કે 2020 ની કટોકટી દરમિયાન જ્યારે સચિન પાયલટ અને તેના 18 ધારાસભ્યોએ તેમની વિરુદ્ધ બળવો કર્યો હતો.
ત્યારે રાજે અને ભાજપના નેતા કૈલાશ મેઘવાલે હોર્સ-ટ્રેડિંગ વિરુદ્ધ બોલ્યા હતા. ગેહલોતે ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાની પણ પ્રશંસા કરી હતી. જેમણે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને કોંગ્રેસને ટેકો આપ્યો હતો .
તેમણે વધુમાં કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્ર સિંહ શેખાવત પર સરકારને તોડવાના "ષડયંત્ર"માં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Seems like Vasundhara Raje, not Sonia Gandhi, is Ashok Gehlot’s leader: Sachin Pilot
Read more: https://t.co/kZlu98ErtEpic.twitter.com/WSSLmGma3r— The Indian Express (@IndianExpress) May 9, 2023
ગેહલોતની ટિપ્પણીઓ તેમના સમયને કારણે મહત્વ ધરાવે છે. જ્યારે રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની અંદર બહુવિધ સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. તેમણે પાયલટ અને રાજે બંનેને મુશ્કેલ સ્થાને મૂક્યા છે. અને ફરી એક વાર એ રેખાંકિત કર્યું છે કે કોંગ્રેસ રાજ્ય એકમમાં જૂથવાદની કઢાઈ આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં પણ ઉકળતી રહેશે.
ધોલપુરમાં વિસ્ફોટક ભાષણના એક દિવસ પહેલા, પાયલટે બાડમેર જિલ્લામાં એક રેલીમાં જાહેર કર્યું હતું કે તે "ભ્રષ્ટાચાર સામે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે". બાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ફરી એકવાર રાજેના સમયથી કથિત ભ્રષ્ટાચારના કેસોની તપાસની તેમની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us