/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Sadhvi-Pragya-Thakur.jpg)
માલેગાંવ બ્લાસ્ટ કેસથી ચર્ચામાં આવેલ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ભાજપના સાંસદ રહી ચૂક્યા છે (ફોટો ક્રેડિટ @sadhvipragyag)
Sadhvi Pragya thakur Malegaon blast case: 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મુંબઇની NIA કોર્ટે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. નિર્દોષ જાહેર કરાયેલા લોકોમાં ભોપાલના પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનો સમાવેશ થાય છે. લગભગ 17 વર્ષ પહેલા થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ મહારાષ્ટ્ર ATS દ્વારા આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
કોણ છે પ્રજ્ઞા સિંહ ઠાકુર?
પ્રજ્ઞા સિંહ ઠાકુર - આ કેસમાં સૌથી ચર્ચાસ્પદ નામ પ્રજ્ઞા સિંહ ઠાકુર ઉર્ફે સ્વામી પૂર્ણા ચેતનંદ ગિરિનું છે. મધ્ય પ્રદેશના રહેવાસી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર ABVP કાર્યકર્તા રહી ચૂક્યા છે.
બોમ્બ બ્લાસ્ટ કેસમાં એટીએસ દ્વારા પહેલા તેમની ધરપકડ કરવામાં આવી હતી. 29 સપ્ટેમ્બર, 2008ના રોજ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં એક વ્યસ્ત રસ્તા પર બોમ્બ વિસ્ફોટ થતાં છ લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સામે શું આરોપ લાગ્યા?
એટીએસે દાવો કર્યો હતો કે, જે ગોલ્ડ કલરની લવ માય લાઇફ ફ્રીડમ મોટરસાઇકલ પર વિસ્ફોટક ડિવાઇસ અટેચ કરવામાં આવ્યું હતું, તે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હતી. એટીએસએ તેમના પર કાવતરા માટેની બેઠકોમાં ભાગ લેવાનો આરોપ લગાવ્યો હતો.
એટીએસે દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશની રહેવાસી પ્રજ્ઞાસિંહ ઠાકુરના વોન્ટેડ આરોપી રામચંદ્ર કલસાંગરા ઉર્ફે રામજી સાથે સંબંધ છે. તે સમયે તે મોટરસાયકલનો ઉપયોગ કરી રહ્યો હતો અને તેણે જ બોમ્બ લગાવ્યો હતો.
એટીએસે આરોપ લગાવ્યો હતો કે પ્રજ્ઞા ઠાકુરે બોમ્બ બ્લાસ્ટના થોડા મહિના પહેલા જુલાઈ 2008માં કલસાંગરા અને અન્ય એક વોન્ટેડ આરોપી સંદીપ ડાંગેની ઓળખાણ અન્ય સહ આરોપીઓ સાથે કરાવી હતી.
પ્રજ્ઞા ઠાકુરનો બચાવ શું હતો?
પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું કે તે આ ષડયંત્રમાં સામેલ નથી અને આરોપ લગાવ્યો કે એટીએસ દ્વારા તેની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને તેના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.
#राष्ट्र_भक्ति_ही_हमार_पहचान_है राष्ट्रीय आतंकवाद विरोधी दिवस के अवसर पर राष्ट्र की रक्षा हेतु आतंकवाद के विरुद्ध युद्ध में अपना बलिदान करने वाले सभी वीर जवानों को भावपूर्ण नमन।आइए हम सब समाज में एकता और सदभाव का संदेश देते हुए आतंकवाद के विरुद्ध लोगों को जागरूक करने का संकल्प ले pic.twitter.com/9uJ2t9drbA
— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) May 21, 2025
તત્કાલીન કોંગ્રેસ સરકાર પર ખોટી રીતે તેમની ધરપકડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ભાયખલા જેલમાં રહેવા દરમિયાન ઠાકુરે વારંવાર પોતાની તબિયત વિશે ફરિયાદ કરી હતી અને દાવો કર્યો હતો કે તે કેન્સરથી પીડિત છે. આરોગ્યના આધારે વિવિધ અદાલતો દ્વારા તેમની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી.
આ કેસમાં વળાંક કેવી રીતે આવ્યો?
વર્ષ 2016માં એનઆઈએએ મહારાષ્ટ્ર એટીએસ પાસેથી આ કેસ પોતાના હાથમાં લીધો હતો. એનઆઈએએ ચાર્જશીટમાં કહ્યું કે પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા નથી.
એનઆઈએએ દાવો કર્યો હતો કે બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી મોટરસાયકલ પ્રજ્ઞા ઠાકુરના કબજામાં નહોતી અને તે બોમ્બ બ્લાસ્ટના ઘણા સમયથી તેનો ઉપયોગ કરી રહી ન હતી.
એનઆઈએએ જણાવ્યું હતું કે, એટીએસને પોતે ષડયંત્રની બેઠકોમાં સામેલ હોવાનું જણાવનાર મુખ્ય સાક્ષીએ એનઆઈએ સમક્ષ પોતાનું નિવેદન ફરીથી નોંધ્યું છે અને આવી કોઈ જાણકારી હોવાનો ઈન્કાર કર્યો છે.
જો કે સ્પેશિયલ કોર્ટે એનઆઇએની દલીલને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રજ્ઞાસિંહ ઠાકુર સામે કાર્યવાહી કરવા માટે પ્રથમદર્શી પુરાવા છે કારણ કે તે મોટરસાયકલની "માલિક" હતી.
રાજકારણમાં એન્ટ્રી કેવી રીતે?
વર્ષ 2019માં ભાજપે લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જે સમયે તેમની સામે ચૂંટણી લડવામાં આવી હતી, તે સમયે તેમના પર આરોપો લાગ્યા હતા. તેમણે ભોપાલથી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સામે જીત મેળવી હતી.
મોદીએ કહ્યું હતું, તે માફ નહીં કરી શકે...
સંસદીય કાર્યકાળ દરમિયાન તેમણે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને 'દેશભક્ત' કહીને વિવાદ જગાવ્યો હતો. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ તેમને ક્યારેય દિલથી માફ નહીં કરી શકે.
શ્રાપને કારણે કરકરેનું મોત થયું....
પ્રજ્ઞા ઠાકુરે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે એટીએસના દિવંગત વડા હેમંત કરકરે આ કેસની તપાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે હેમંત કરકરેનું મૃત્યુ તેમના શ્રાપને કારણે થયું હતું.
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી સહિત 7 આરોપીઓનો નિર્દોષ છુટકારો
વર્ષ 2011માં પાકિસ્તાની હુમલા દરમિયાન હેમંત કરકરેની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ભાજપે વર્ષ 2024માં ટિકિટ આપી ન હતી, પરંતુ તેઓ હજુ પણ ભાજપના સભ્ય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us