/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Sam-Manekshaw.jpg)
ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ ખાતે ફિલ્ડ માર્શલ સામ માણેકશાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. (Express Archive photo by Ravi Batra)
Vicky Kaushal AS A Sam Manekshaw In Sam Bahadur Movie : ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા (પૂરું નામ - હોરમૂજજી ફ્રેમજી જમસેદજી માણેકશા)ના જીવન પર આધારિત ફિલ્મ 'સામ બહાદુર' 1 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. માણેકશા હવે દંતકથા બની ગયા છે. તેમની સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. પરંતુ અહીં આપણે તેમના જીવન અને લશ્કરી કારકિર્દીના કેટલાક ઓછા જાણીતા પાસાઓ જાણીશું:
સેમ શીખ સૈનિકો સાથે પંજાબીમાં વાત કરતા હતા (Sam Manekshaw History)
માણેકશા પારસી હતા. તેમનો જન્મ અમૃતસરમાં થયો હતો. તેમને અભ્યાસ માટે શેરવુડ કોલેજ, નૈનિતાલમાં મોકલવામાં આવ્યા તેની પહેલા તેમનો ઉછેર અમૃતસર શહેરમાં થયો હતો. સ્વાભાવિક છે કે આ કારણે જ તેઓ પંજાબી ભાષા જાણતા હતા. જ્યારે પણ તે શીખ સૈનિકોની સામે આવતા ત્યારે તેમની સાથે પંજાબીમાં જ વાત કરતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ie-sam-7-1.jpg)
તેમણે તેમની સૈન્ય સેવાના શરૂઆતના વર્ષોમાં શીખ સૈનિકો સાથે પાયદળ બટાલિયનમાં પણ સેવા આપી હતી, જેનાથી તેમની પંજાબી ભાષા વધુ ધારદાર બની હતી. તેમની જૂની ફ્રન્ટિયર ફોર્સ બટાલિયનમાંથી તેમના ઘણા સાથી સૈનિકો તેમની પાસે મદદ માટે પૂછવા આવતા અને તેઓ તરત જ મદદ કરતા.
સામ બહાદુરે ક્યારેય ગોરખા સૈનિકો સાથે કામ કર્યું નથી
જે વ્યક્તિને પ્રેમથી સામ બહાદુર કહેવામાં આવે છે, હકીકતમાં તેમણે ક્યારેય ગોરખા સૈનિકો સાથે કામ કર્યું નથી. સામને આઠ ગોરખા રાઈફલ્સના સેનિકોએ સમ્માનપૂર્વક સામ બહાદુરની ઉપાધિ આપી હતી. સામ ગોરખા રાઈફલ્સના કર્નલ હતા. જો કે, તેમણે તેમની સૈન્ય સેવા દરમિયાન એક પણ દિવસ ગુરખાઓ સાથે કામ કર્યું ન હતું.
સેમને ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટની બટાલિયનમાં અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે શીખ સૈનિકોનો સમાવેશ થતો હતો. તેમણે આ બટાલિયનમાં કંપની કમાન્ડરના સ્તર સુધી સેવા આપી હતી અને બીજા વિશ્વયુદ્ધમાં બર્માના યુદ્ધમાં ઘાયલ થયા હતા.
અખંડ ભારતના ભાગલા બાદ તેમની રેજિમેન્ટ પાકિસ્તાનને ફાળવવામાં આવી હતી. આ પછી સેમને થોડા સમય માટે 16મી પંજાબ રેજિમેન્ટ ફાળવવામાં આવી હતી. બાદમાં, લેફ્ટનન્ટ કર્નલ તરીકે, તેમને 5મી ગોરખા રાઈફલ્સની 3જી બટાલિયનની કમાન્ડ આપવામાં આવી.
જો કે, તે સમયે (1948-49) તેઓ કાશ્મીરમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આર્મી હેડક્વાર્ટરમાં મહત્વપૂર્ણ કાર્યભાર સંભાળી રહ્યા હતા, તેથી તેમની બટાલિયનને કમાન્ડ કરવા માટે તેમને છોડી શકાયા ન હતા. આથી તે ક્યારેય ગોરખાઓ સાથે કામ કરી શક્યો નહીં. 1953માં સેમને 8મી ગોરખા રાઈફલ્સના કર્નલ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ એક લાગણ હતી, જેને તેમણે જીવનભર જાળવી રાખ્યું હતું.
1962ના યુદ્ધ પહેલા સેમની પૂછપરછ કરવામાં આવી હતી
ચીન સાથેના યુદ્ધ પહેલા સેમને પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. 1962માં, સેમ માણેકશા સામેના અનેક ખોટા આરોપોની તપાસ કરવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે સેમ 'મેજર જનરલ'ના હોદ્દા પર ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટનના કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
તે સમયે ઘણા લોકો માનતા હતા કે આ આરોપો તત્કાલીન સંરક્ષણ પ્રધાન વીકે કૃષ્ણ મેનન અને તે સમયે સત્તામાં રહેલા લોકોના નજીકના જનરલોના કહેવા પર લગાવવામાં આવ્યા હતા. તત્કાલીન જીઓસી-ઇન-સી વેસ્ટર્ન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહે તપાસની આગેવાની કરી હતી.
આ તપાસ દરમિયાન કેટલાક સેવા આપતા આર્મી અધિકારીઓએ જુબાની આપી હતી. તેમાંથી મોટાભાગના સેમની તરફેણમાં નિવેદનો આપી ચૂક્યા છે. કેટલાકે તેની વિરુદ્ધ પણ જુબાની આપી હતી. આખરે લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહે સેમને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા. સેમની પ્રશંસા એ વાત માટે કરવામાં આવે છે કે જ્યારે તેઓ સેનામાં ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યો ત્યારે તેણે પોતાના વિરુદ્ધ નિવેદન આપનારા અધિકારીઓ પાસેથી કોઈ બદલો લીધો ન હતો.
આકસ્મિક રીતે, લેફ્ટનન્ટ જનરલ દૌલત સિંહનું નવેમ્બર 1963માં જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એર ક્રેશમાં મૃત્યુ થયું હતું. સેમ માણેકશા એ ત્યારબાદ ડિસેમ્બર 1963માં પશ્ચિમી કમાન્ડના GOC-in-C તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
નેહરુના મૃત્યુ પછી સેમ માણેકશાએ દિલ્હીમાં લશ્કર મોકલ્યું?
સેમ માણેકશોએ ડિસેમ્બર 1963માં વેસ્ટર્ન કમાન્ડના GOC-in-C તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. રાજધાની દિલ્હીમાં અશાંતિની આશંકા રાખતા નેહરુના મૃત્યુના થોડા સમય પહેલા તત્કાલીન આર્મી ચીફે દેશની રાજધાનીમાં સૈન્ય દળ તૈનાત કરવાની યોજના બનાવી હતી. આ યોજના હેઠળ અંબાલા સ્થિત 4 ઇન્ફન્ટ્રી ડિવિઝન અને આગરાની 50 પેરાશૂટ બ્રિગેડના સૈનિકોને SAMમાં મોકલવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા.
સેમ માણેકશા એ લેખિતમાં આ આદેશોનો વિરોધ કર્યો. પરંતુ આદેશોનું પાલન કરવામાં આવ્યું કારણ કે આ આર્મી ચીફ દ્વારા જારી કરવામાં આવ્યા હતા. ચાર્જ સંભાળ્યા બાદ નવી સરકારે આર્મી ચીફને સૈનિકોની અવરજવરનું કારણ પૂછ્યું. તેમના ભૂતપૂર્વ એડીસી મેજર જનરલ એસ.ડી. સૂદ દ્વારા લખાયેલા પુસ્તક મુજબ, તે હલચલ માટેનો સમગ્ર દોષ સેમ માણેકશા પર ઠોપવામાં આવ્યો હતો.
પાકિસ્તાની સેનાના યુદ્ધ કેદીઓને કુરાન આપી
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી સેમ માણેકશાએ ભારતીય જેલ કેમ્પોમાં આશરે 90,000 પાકિસ્તાની સેનાના યુદ્ધ કેદીઓને કેવી રીતે સારવાર આપવામાં આવી રહી છે તેમાં ઊંડો રસ લીધો હતો. તેઓ અવારનવાર પાકિસ્તાની યુદ્ધ કેદીઓના કેમ્પમાં જઈને તેમની ખબર-અંતર પૂછતા હતા. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકો સેમના ખૂબ વખાણ કરતા હતા. એકવાર તે પાકિસ્તાની સૈનિકોને મળવા પહોંચ્યો તો તેમણે કેમ્પ કમાન્ડેટને એવા સશસ્ત્ર સૈનિકોને હટાવવા માટે કહ્યુ જેઓ સેમ માણેકશાની સુરક્ષામાં સાથે સાથે ચાલી રહ્યા હતા.
એકવાર દિલ્હી છાવણીમાં મિલિટરી હોસ્પિટલની મુલાકાત દરમિયાન તે પાકિસ્તાની આર્મીના કર્નલને મળ્યા હતા. પાકિસ્તાની કર્નલની ત્યાં સારવાર ચાલી રહી હતી. પૂછવામાં આવ્યું કે શું તેને કોઇ વસ્તુની જરૂર છે, તો પાકિસ્તાની કર્નેલે સેમ પાસે કુરાનની નકલ માંગી. સેમે તેના એડીસીને તરત જ તેની માંગ પૂરી કરવા જણાવ્યુ હતું. સાંજ સુધીમાં સ્થાનિક રાજપૂતાના રાઈફલ્સ બટાલિયનમાંથી કુરાન મંગાવવામાં આવી હતી. ખરેખર, તે બટાલિયનમાં કેટલાક ભારતીય મુસ્લિમો હતા જેમની પાસે કુરાન હતી. એક સૈનિક પાસેથી કુરાન માંગીને તે પાકિસ્તાની સૈન્ય અધિકારીને આપવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us