/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/maurya.jpg)
સ્વામી પ્રસાદ મૌર્ય, ફાઇલ તસવીર (ફોટો સ્ત્રોત- ટ્વિટર)
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં જ પાર્ટીના નેતાઓને વિવાદાસ્પદ નિવેદનો કરવાથી બચવાની સલાહ આપી હતી. તેમની ચેતવણી છતાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર હિંદુ ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે હિંદુ ધર્મને છેતરપિંડી ગણાવ્યો, જેના પછી વિવાદ વધુ ઉગ્ર બન્યો.
સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, "હિંદુ એક છેતરપિંડી છે." આરએસએસના વડા મોહન ભાગવતે બે વાર કહ્યું છે કે હિંદુ નામનો કોઈ ધર્મ નથી પરંતુ તે જીવન જીવવાની રીત છે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે ત્યાં કોઈ હિંદુ ધર્મ નથી. જ્યારે આ લોકો આવા નિવેદનો કરે છે ત્યારે ભાવનાઓને ઠેસ પહોંચતી નથી પરંતુ જો સ્વામી પ્રસાદ મૌર્ય આવું કહે તો અશાંતિ ફેલાય છે.
સ્વામી પ્રસાદના નિવેદન પર છેડાયેલા વિવાદ બાદ સમાજવાદી પાર્ટીએ ખુદને આનાથી અલગ કરી દીધી હતી. સપાના નેતા ડિંપલ યાદવે કહ્યું કે આ સ્વામી પ્રસાદ મૌર્યનું અંગત નિવેદન છે.
આ પણ વાંચોઃ- ફ્રાંસમાં ફસાયેલા 276 ભારતીયોને લઈને ભારત પહોંચી ફ્લાઈટ, કેટલાકે પરત ફરવાનો ઈન્કાર કર્યો, જાણો કારણ
અખિલેશ યાદવે ધર્મ અને જાતિ પર ટિપ્પણી ન કરવા માટે આપી હતી સલાહ
આ પહેલા સમાજવાદી પાર્ટી કાર્યાલય પર રવિવારે આયોજિત થયેલી મહાપંચાયતમાં અખિલેશ યાદવે કોઈનું નામ લીધા વગર ગત દિવસોમાં રામ અને રામચરિતમાનસ પર તેમના પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે આવી વસ્તુઓ પર પાર્ટી અંકુશ લગાવશે.
તેમણે આશ્વાસન આપ્યું હતું કે આવી ચીજો પર રોક લગાવવામાં આવશે અને સાથે જ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને તેમણે સલાહ આપી હતી કે કોઈપણ ધર્મ અને જાતિ અંગે ટિપ્પણી ન કરે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us