Sandeshkhali Case: ‘શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવે’, કલકત્તા હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને પક્ષકાર બનવાનો નિર્દેશ આપ્યો

Sandeshkhali Case News: સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ રોક લગાવવામાં આવી નથી : સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ રોક લગાવવામાં આવી નથી

Written by Ashish Goyal
Updated : February 27, 2024 15:06 IST
Sandeshkhali Case: ‘શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવે’, કલકત્તા હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને પક્ષકાર બનવાનો નિર્દેશ આપ્યો
ટીએમસી નેતા શાહજહાં શેખ, કોલકત્તા હાઇકોર્ટ (તસવીર - ફાઇલ ફોટો)

Sheikh Shahjahan Arrest: સંદેશખાલી મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી શકે છે. આ મામલે સોમવારે કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન કલકત્તા હાઇકોર્ટના જજે સંદેશખાલી કેસમાં શાહજહાં શેખનું નામ જોડવાનો આદેશ આપ્યો હતો. આ કિસ્સામાં જાહેર નોટિસ જોઈએ. સંદેશખાલી કેસમાં કોઈ સ્ટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. શાહજહાં શેખની ધરપકડ થવી જોઈએ.

આ કેસની સુનાવણી દરમિયાન કલકત્તા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી ટીએમસી નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ રોક લગાવવામાં આવી નથી. હાઈકોર્ટે આરોપી શાહજહાં શેખ, ઈડી, સીબીઆઈ અને રાજ્યના ગૃહ સચિવને આ કેસમાં પક્ષકાર તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

સંદેશખાલીમાં ટીએમસી નેતાના ઘરમાં તોડફોડ

સોમવારે ટીએમસી નેતા શંકર સરદારના ઘરમાં કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સરદાર શંકરનું ઘર ઉત્તર 24 પરગણાના સંદેશખાલી સ્થિત પોલપરા ગામમાં છે. તેની પત્નીએ આરોપ લગાવ્યો છે કે કેટલીક સ્થાનિક મહિલાઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે હાજર છે.

એક સ્થાનિક મહિલાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તે એક એનજીઓ માટે કામ કરે છે. ટ્રકમાં તેમના માટે સામાન આવે છે. તેણે અજિત મૈથી અને શંકર પર તેનો માલ અને દુકાન લૂંટવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ કહ્યું કે અજિત મૈથી અને શંકર તેમને કામ કરવા દેતા નથી. મહિલાએ કહ્યું કે તે આદિવાસી છે અને અજિત મૈથી અને શંકર તેમની જમીન, જંગલ અને પાણી છીનવી લીધા છે.

આ પણ વાંચો – INLD ના હરિયાણાના ચીફ નફે સિંહ રાઠીની ગોળી મારીને હત્યા, એક સુરક્ષાકર્મીનું પણ મોત

શંકર સરદારની પત્નીએ મીડિયાને જણાવ્યું હતું કે મહિલાઓએ બળજબરીથી અમારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. મારો પતિ ટીએમસીમાં છે તેથી તેમની સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધ પક્ષો તેમને ફસાવવા માગે છે. તેઓ ઘરે નથી.

પોલીસ અધિકારીએ શું કહ્યું?

બસીરહાટના એસપી એચએમ રહેમાને જણાવ્યું હતું કે શંકર સરદારના ઘરે કેટલીક મહિલાઓ ઘૂસી ગઈ હતી. હું સંદેશખાલીના લોકોને કહું છું કે કાયદો હાથમાં ન લે, નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમે કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શાહજહાં શેખ સાથે જોડાયેલા સવાલ પર તેમણે કહ્યું કે અમને તેમની વિરુદ્ધ ફરિયાદો મળી છે. અમે કાર્યવાહી કરીશું. અમે શેખ શાહજહાં વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ