scorecardresearch

Sanjay rai case: સંજય રાય શેરપુરિયાએ જમ્મુ અને કાશ્મીરના LGને રૂ.25 લાખ ઉછીના આપ્યા હતા, જાણો કેમ?

Sanjay Rai Sherpuria case : કથિત રૂપે વડા પ્રધાન કાર્યાલયમાં તેમની પહોંચનો બનાવટી રીતે અને વ્યક્તિગત લાભ માટે વડા પ્રધાનના નામનો “દુરુપયોગ” કરવા બદલ તેણે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાvs 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.

Sanjay Rai Sherpuria, Sanjay Rai Sherpuria arrest
સંજય રાય ફાઇલ તસવીર

Shyamlal Yadav : સંજય પ્રકાશ રાય ‘શેરપુરિયા’ જેની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી. કથિત રૂપે વડા પ્રધાન કાર્યાલયમાં તેમની પહોંચનો બનાવટી રીતે અને વ્યક્તિગત લાભ માટે વડા પ્રધાનના નામનો “દુરુપયોગ” કરવા બદલ તેણે 2019ની લોકસભા ચૂંટણી પહેલા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાvs 25 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા.

સિંહાએ તેમના ચૂંટણી સોગંદનામામાં આને “અસુરક્ષિત” લોન તરીકે જાહેર કર્યું. સિંહા 2014માં યુપીના ગાઝીપુરથી લોકસભા માટે ચૂંટાયા હતા પરંતુ 2019માં તેઓ બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર અફઝલ અન્સારી સામે હારી ગયા હતા.

રાજ્યના વિભાજન અને કલમ 370 નાબૂદ થયાના લગભગ એક વર્ષ પછી ઓગસ્ટ 2020 માં તેમને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સિંહાના 2019ની લોકસભા ચૂંટણીની એફિડેવિટમાં 57 લાખ રૂપિયા સુધીની પાંચ “અસુરક્ષિત” લોનનો ઉલ્લેખ છે. શેરપુરિયાની લોન સૌથી વધુ છે, અન્ય ચાર વ્યક્તિઓ પાસેથી રૂ. 3 લાખ, રૂ. 6 લાખ, રૂ. 8 લાખ અને રૂ. 15 લાખની લોન લીધી હતી.

1996 અને 1999માં ગાઝીપુરથી સાંસદ તરીકે ચૂંટાયેલા સિંહા 2019માં લોકસભાની ચૂંટણી હારી ગયા પછી પણ આ વિસ્તારમાં રાજકીય રીતે ખૂબ સક્રિય હતા. પરંતુ જમ્મુ અને કાશ્મીરના L-G તરીકે તેમની નિમણૂક બાદ તેમનું બંધારણીય પદ જોતાં તેમણે પાર્ટીની પ્રવૃત્તિઓથી દૂર રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસે સિન્હાને વિગતવાર પ્રશ્નાવલિ મોકલી હતી. તેઓ ટિપ્પણી માટે અનુપલબ્ધ હતા પરંતુ તેમની નજીકના સ્ત્રોતે દાવો કર્યો હતો કે સિન્હાનો 2015-16 થી રાય સાથે કોઈ સંપર્ક નથી.

સ્ત્રોતે જણાવ્યું હતું કે “L-G પારદર્શક હતો અને એફિડેવિટમાં અસુરક્ષિત લોન તરીકે પ્રાપ્ત નાણાં જાહેર કર્યા હતા”, સૂત્રએ ઉમેર્યું હતું કે L-G એ “તેમનો સંપર્ક કરવા અને પૈસા પરત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે ” પરંતુ રાય અનુપલબ્ધ રહ્યો.

જ્યારે ગાઝીપુર જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાનુપ્રતાપ સિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પાર્ટીને રાયથી દૂર કરી દીધી. સિંહે જણાવ્યું કે “રાય ન તો ભાજપના સભ્ય છે કે ન તો પદાધિકારી. તે ગાઝીપુરની મુલાકાત લેતો હતો અને અમને મળતો હતો પરંતુ તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી,”

વારાણસીમાં ભાજપના એક અગ્રણી નેતા જેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “રાય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની નિકટતા માટે જાણીતા હતા અને જ્યારે પણ તેઓ અહીં આવતા હતા, ત્યારે પક્ષના સ્થાનિક નેતાઓ નિયમિતપણે તેમને મળતા હતા.”

disclaimer:- આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો

Web Title: Sanjay rai sherpuria fake pmo accses jammu kashmir lg money

Best of Express