અમે એવા લોકો બનાવી રહ્યા છીએ જેઓ જૂની ટેક્નોલોજીમાં સાયબોર્ગ કહેવાશેઃ સિદ્ધાર્થ મુખર્જી

Siddhartha Mukherjee latest news: સિદ્ધાર્થ મુખર્જી (Siddhartha Mukherjee) વિશ્વનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર ચોથા ભારતીય લેખક છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય 1937માં ગોવિંદ બિહારી લાલ હતા.

Siddhartha Mukherjee latest news: સિદ્ધાર્થ મુખર્જી (Siddhartha Mukherjee) વિશ્વનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર ચોથા ભારતીય લેખક છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય 1937માં ગોવિંદ બિહારી લાલ હતા.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update

ફેમસ આર્કિયોલોજિસ્ટ અને ઓથર સિદ્ધાર્થ મુખર્જી

ભારતીય મૂળના અમેરિકી ચિકિત્સક અમે પ્રતિષ્ઠિત પુલ્તિજર એવોર્ડથી સ્નમાનિત સિદ્ધાર્થ મુખર્જીએ સોમવારે નવી દિલ્હી ખાતે એક્સપ્રેસ અડ્ડા સાથે ખાસ વાતચીત કરી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તેમણે, શા માટે વિજ્ઞાનમાં રોક સ્ટારનો અભાવ છે, વિજ્ઞાન દ્વારા બનાવવામાં આવેલા "નવા માનવીઓ" સુધી તથા ઓન્કોલોજિસ્ટ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી.

Advertisment

સિદ્ધાર્થ મુખર્જી વિશ્વનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર ચોથા ભારતીય લેખક છે. આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય 1937માં ગોવિંદ બિહારી લાલ હતા. તેમને આ સન્માન પત્રકારત્વ માટે મળ્યું હતું. આ પછી જાણીતા લેખિકા ઝુમ્પા લાહિરી આ એવોર્ડ મેળવનાર બીજા ભારતીય હતા. ઝુંપાને આ એવોર્ડ 2000માં 'ઇન્ટરપ્રિટર્સ ઓફ મેલેડીઝ' માટે મળ્યો હતો. ત્રીજા ભારતીય ગીતા આનંદ છે જે પત્રકાર છે. તેમને 2003માં પોમ્પે ડિસીઝ પરના સંશોધન માટે આ એવોર્ડ મળ્યો હતો. તે વોલ સ્ટ્રીટ જનરલ માટે પણ લખતી રહી છે.

સિદ્ધાર્થ મુખર્જીની તાજેતરમાં પ્રકાશિત થયેલી બિનફિક્શન ધ સોંગ ઓફ ધ સેલ: એન એક્સપ્લોરેશન ઓફ મેડિસિન એન્ડ ધ ન્યૂ હ્યુમન (એલન લેન), જીવનના મૂળભૂત એકમ - સેલના અભ્યાસ પર આધારિત છે અને તબીબી વિજ્ઞાનમાં તે ભાગ ભજવે છે. તે અભિન્ન ભૂમિકા દ્વારા વાચકોને દોરી જાય છે.

આ પણ વાંચો: જનતા અને સરકાર વચ્ચે વિશ્વાસ જ સુશાસનનો પાયો છે : અમિત શાહ

ન્યૂ હ્મુમન પ્રત્યે તેમના મંતવ્ય પ્રગટ કરતા મુખર્જીએ કહ્યું કે, તેને ઘણી રીતે અવું લાગે છે કે, અંગોના નિર્માણ, ઓર્ગેનોઇડ્સ, કોશિકાઓ તથા ઉપકરણો વચ્ચે ઇંટરફેક્સ સહિત અમે એવા મનુષ્ય બનાવી રહ્યા છીએ, જેનો અમે આ પહેલા ક્યારેય સામનો કર્યો નથી. ખરેખર તો અમારી વચ્ચે એવા લોકો ફરી રહ્યા છે જેના અસ્થિ મજ્જા પ્રત્યારોપણ હોઇ શકે છે અને તે જીવિત કલ્પના છે. એટલે તેનું શરીર તો તેનું પોતાનું હોય છે, પણ રક્ત અન્યના શરીરમાંથી બનાવાય છે.

Advertisment

આ બાબતને વધુ સ્પષ્ટ રીતે સમજાવવા માટે મુખર્જીએ ન્યૂ હ્રુમનના સર્જનમાં કૃત્રિમ સ્વાદુપિંડનું ઉદાહરણ આપ્યું હતુ, અને કહ્યું હતું કે લોકો ડિપ્રેશન જેવા રોગોના લક્ષણોને ઓછા કરવા માટે તંત્રિકા ઉતેજનમાંથી પસાર થાય છે. આ સાથે મુખર્જીએ લુઇસ બ્રાઉન તથા પેટ્રી ડિશમાં ગર્ભ ધારણ કરનાર પ્રથમ બાળકનું ઉદાહરણ આપતા કહ્યું કે, અમે સાથે સાથે શું બનાવી શકીએ છીએ તે સાઇન્સ ફિક્શન એક સાયબોર્ગ છે.

વધુમાં સિદ્ધાર્થ મુખર્જીએ કહ્યું હતું કે, અમે એવા લોકોનું નિર્માણ કરીએ છીએ જેને જૂની ટેકનોલોજીમાં સાયબોર્ગ તરીકે ઓળખાય છે. જે સેલુલર ઉપાયો અને લોકોમાં ઇન્ટરફેન્સની ભૂમિકા ભજવે છે. આ પ્રકારે ખરેખર આપણી વર્તમાન ટેકનોલોજીની મર્યાદાઓની ધાર પર બેસીએ… તેઓ આપણી વચ્ચે છે. તેઓ સાયન્સ-ફિક્શન ન્યૂ હ્યુમન કરતાં વધુ વાસ્તવિક છે.

સિદ્ધાર્થ મુખર્જીએ તેના નવા પુસ્તકમાં ચિકિત્સા તથા સ્વાસ્થ સંબંધિત જાહેર પ્રવચનને ઘ્વસ્ત અને માનવીય બનાવી દીધું છે. આ સાથે મહામારી અંગે પણ તપાસ કરી છે કે, કંઇ રીતે તેનો આપણા જીવન પર ઉંડો પ્રભાવ પડ્યો તથા આપણી કોશિકાઓ સાથે સાર્સ-સીઓ 2 જેણે વૈશ્વિક મહામારી દૂર કરવા માટે સક્ષમ બનાવ્યું છે.

આ પણ વાંચો: BJP President: શું ભાજપની નૈયા પાર લગાવશે જેપી નડ્ડા? એક વર્ષનો સમય અને સામે છે 10 મોટા પડકારો

દર્શકો સાથે એક પ્રશ્ન-જવાબ સત્ર પછી ગોયનકા સાથે રૈપીડ-ફાયર રાઉન્ડમાં લેખક સિદ્ધાર્થ મુખર્જીએ ખુલાસો કર્યો કે, તે પૂર્વ નિર્ધારિત નિયતિમાં વિશ્વાસ નથી, તે અન્ય ગ્રહો પર જીવનમાં વિશ્વાસ ધરાવે છે. તેમજ તેમના મનપસંદ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને નામિત કરે છે. આ પછી મુખર્જીને સવાલ પ્રશ્મ કરાયો હતો કે, શું લોકોએ નિમનલિખિત વસ્તુઓ ઉપયોગ ઓછો કરવો જોઇએ? આ અંગે તેમણે કહ્યું કે, માઈક્રોવેવ, 5 જી અને સેલફોન માટે ઓછો ઉપયોગ કરવો જોઇએ.

જીવનશૈલી દેશ