Socialist Secular : સેક્યુલેર અને સોશિયાલિસ્ટ શબ્દનો શું અર્થ છે? ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેવી રીતે સામેલ કરાયા? જાણો ઇતિહાસ

Preamble Constitution of Indian : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો કે, નવી સંસદમાં પ્રવેશ વખતે તેમને જે ભારતીય સંવિધાનની નકલ આપવામાં આવી હતી જેમાં સેક્યુલેર (ધર્મનિરપેક્ષ) અને સોશિયાલિસ્ટ (સમાજવાદ) શબ્દનો ઉલ્લેખ નથી

Written by Ajay Saroya
September 20, 2023 20:17 IST
Socialist Secular : સેક્યુલેર અને સોશિયાલિસ્ટ શબ્દનો શું અર્થ છે? ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેવી રીતે સામેલ કરાયા? જાણો ઇતિહાસ
ભારતના બંધારણની નકલ.

Preamble of Constitution of Indian & Socialist And Secular Meaning : કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે આરોપ લગાવ્યો કે સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદોને આપવામાં આવેલી બંધારણની નકલમાં ‘સેક્યુલર’ અને ‘સોશિયાલિસ્ટ’ શબ્દો ગાયબ છે. આ મામલાને ગંભીર ગણાવતા ચૌધરીએ કહ્યું કે આ શબ્દો ખૂબ જ ચાલાકીથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે ભાજપની કેન્દ્ર સરકારના ઈરાદા પર શંકા વ્યક્ત કરી હતી. આ બધાની વચ્ચે ફરી એકવાર સેક્યુલર અને સોશિયાલિસ્ટ શબ્દોના અર્થ અને મહત્વ પર સવાલો ઉભા થયા છે. ચાલો જાણીએ કે આ શબ્દોને બંધારણમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો અમને આપવામાં આવી હતી, જેને અમે હાથમાં રાખીને સંસદની નવી ઇમારતમાં પ્રવેશ કર્યો હતો. તેની પ્રસ્તાવનામાં ‘સોશિયાલિસ્ટ સેક્યુલર’ શબ્દ નથી. અધીર રંજને કહ્યું કે અમે જાણીએ છીએ કે આ શબ્દો 1976માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને તેમાં આ શબ્દો નથી તો તે ચિંતાનો વિષય છે. તેણે કહ્યું કે મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મને આ મુદ્દો ઉઠાવવાની તક મળી નહીં.

સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો મૂળરૂપે પ્રસ્તાવનાનો હિસ્સો ન હતા

આ બે શબ્દો સોશિયાલિસ્ટ અને સેક્યુલર મૂળ પ્રસ્તાવનાનો હિસ્સો ન હતા. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી દરમિયાન બંધારણ (42મો સુધારો) અધિનિયમ, 1976 દ્વારા આ બંને શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. ભારતની એક બિનસાંપ્રદાયિક દેશ તરીકેની રજૂઆત છેલ્લા ચાર દાયકાથી ઉગ્ર ચર્ચામાં છે. આલોચકો તેમજ મોટાભાગના દક્ષિણપંથી લોકો દાવો કરે છે કે, આ થોપવામાં આવેલા શબ્દો – ખોટી ધર્મનિરપેક્ષતા (સેક્યુલારિઝમ), વોટ બેંકની રાજનીતિ અને લઘુમતી તુષ્ટિકરણ માટે છે.

બંધારણમાં સોશિયાલિસ્ટ અને બિનસાંપ્રદાયિક શબ્દો કેવી રીતે આવ્યા?

ઇન્દિરા ગાંધીએ ‘ગરીબી દૂર કરો’ જેવા સૂત્રો સાથે સમાજવાદી અને ગરીબ તરફી સરકારની છબીના આધારે લોકોમાં તેમની છબી મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. કટોકટી દરમિયાન તેમની સરકારે આ શબ્દને પ્રસ્તાવનામાં દાખલ કર્યો કે સોશિયાલિસ્ટ એ ભારતીય રાજ્યનું એક લક્ષ્ય અને દાર્શનિક છે.

જો કે, ભારત દ્વારા જે સમાજવાદની કલ્પના કરવામાં આવી હતી તે તત્કાલીન યુએસએસઆર અથવા ચીનનો સમાજવાદ ન હતો. તેમણે ભારતમાં ઉત્પાદનના તમામ માધ્યમોના રાષ્ટ્રીયકરણની કલ્પના કરી ન હતી. ઇન્દિરા ગાંધીએ પોતે સ્પષ્ટતા કરી હતી કે અમારી પાસે સમાજવાદની અમારી પોતાની બ્રાન્ડ છે, જે હેઠળ અમે ફક્ત તે જ ક્ષેત્રોનું રાષ્ટ્રીયકરણ કરીશું જ્યાં અમને જરૂર લાગે. તેમણે રેખાંકિત કર્યું કે માત્ર રાષ્ટ્રીયકરણ જ અમારા પ્રકારનો સમાજવાદ નથી.

સેક્યુલરનો શું અર્થ છે?

ભારતના લોકો ઘણી બધી આસ્થાઓમાં માને છે અને ધાર્મિક માન્યતાઓમાં ભિન્નતા હોવા છતાં, તેમની એકતા અને ભાઈચારાને પ્રસ્તાવનામાં ‘ધર્મનિરપેક્ષતા’ના આદર્શને સ્થાપિત કરીને હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે રાજ્ય તમામ ધર્મોનું સમાન રીતે રક્ષણ કરે છે, તમામ ધર્મો પ્રત્યે તટસ્થતા અને નિષ્પક્ષતા જાળવી રાખે છે અને કોઈ એક ધર્મને રાજ્ય ધર્મ તરીકે રાખતું નથી.

એક બિનસાંપ્રદાયિક ભારતીય રાજ્યની સ્થાપના એ વિચાર પર કરવામાં આવી હતી કે તે માણસ અને માણસ વચ્ચેના સંબંધ સાથે સંબંધિત છે, નહીં કે માણસ અને ભગવાન વચ્ચે, જે વ્યક્તિગત પસંદગી અને વ્યક્તિગત વિવેકની બાબત છે. આવી સ્થિતિમાં ભારતીય બંધારણમાં ધર્મનિરપેક્ષતા ધાર્મિક લાગણીનો પ્રશ્ન નથી, પરંતુ કાયદાનો પ્રશ્ન છે. ભારતીય રાજ્યનું બિનસાંપ્રદાયિક સ્વરૂપ બંધારણની કલમ 25-28 દ્વારા સુરક્ષિત છે.

બંધારણમાં 42માં સંશોધન મારફતે ઔપચારિક રીતે આ શબ્દનો સમાવેશ કરાયો

ધર્મનિરપેક્ષતા હંમેશા બંધારણની ફિલસૂફીનો એક હિસ્સો હતો. ભારતના પ્રજાસત્તાકના સ્થાપકોએ બંધારણમાં બિનસાંપ્રદાયિકતાની ફિલોસોફીને સમાવવા અને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ હેતુ સાથે કલમ 25, 26 અને 27 અપનાવી હતી. 42માં સંશોધને બંધારણમાં માત્ર ઔપચારિક રીતે શબ્દ ઉમેર્યો અને ગણતંત્રના સંસ્થાપક દસ્તાવેજની વિવિધ જોગવાઈઓ અને એકંદર ફિલોસોફીમાં પહેલેથી જ શું સમાયેલું હતું તે સ્પષ્ટ કર્યું.

હકીકતમાં, બંધારણ સભાએ ખાસ કરીને પ્રસ્તાવનામાં આ શબ્દોનો સમાવેશ કરીને ચર્ચા કરી અને આવું ન કરવાનો નિર્ણય લીધો. કે.ટી.શાહ અને બ્રજેશ્વર પ્રસાદ જેવા સભ્યોએ આ શબ્દોને પ્રસ્તાવનામાં ઉમેરવાની માગણી ઉઠાવ્યા પછી, ડૉ. બી.આર. આંબેડકરે દલીલ કરી હતી કે મારી દલીલ એ છે કે આ સુધારામાં જે સૂચવવામાં આવ્યું છે તે પ્રસ્તાવનાના ડ્રાફ્ટમાં પહેલેથી જ સામેલ છે.

તાજેતરમાં, પૂર્વ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી સહિત અનેક પ્રસંગોએ પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો હટાવવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ પણ આવી અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ દલીલ કરી છે કે આ શબ્દો ક્યારેય બંધારણમાં દાખલ કરવાનો ઈરાદો નહોતો અને આ પ્રકારનો ઉમેરો કલમ 368 હેઠળ સંસદની સુધારણાની સત્તાની બહાર છે.

સુપ્રીમ કોર્ટે સોશિયાલિસ્ટને હટાવવાની માગણી કરતી અરજી ફગાવી હતી

2008માં સુપ્રીમ કોર્ટે સોશિયાલિસ્ટને હટાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ભારતના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ કેજી બાલકૃષ્ણનની આગેવાની હેઠળની ત્રણ જજોની ખંડપીઠે કહ્યું હતું કે, “તમે સોશિયાલિસ્ટને કોમ્યુનિસ્ટો દ્વારા વ્યાખ્યાયિત કરેલા સંકુચિત અર્થમાં શા માટે લો છો? વ્યાપક અર્થમાં તેનો અર્થ નાગરિકો માટે કલ્યાણકારી પગલાં છે. આ લોકશાહીનું એક પાસું છે. તેનો કોઈ ચોક્કસ અર્થ નથી. જુદા જુદા સમયે તેનો અલગ અલગ અર્થ થાય છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ