ISRO Aditya L1: સોલાર મિશન આદિત્ય-એલ1 આ તારીખે તેના મુખ્ય સ્થાને પહોંચશે, ઈસરોના વડાએ આપી મહત્વપૂર્ણ જાણકારી

ISRO Solar Mission Aditya L1 Destination: સૂર્યના રહસ્યોનો અભ્યાસ કરવા માટે સોલાર મિશન આદિત્ય એલ1 ઈસરો દ્વારા 2 સપ્ટેમ્બર, 2023ના રોજ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

Written by Ajay Saroya
December 23, 2023 09:55 IST
ISRO Aditya L1: સોલાર મિશન આદિત્ય-એલ1 આ તારીખે તેના મુખ્ય સ્થાને પહોંચશે, ઈસરોના વડાએ આપી મહત્વપૂર્ણ જાણકારી
આદિત્ય એલ1 સૂર્ય મિશન

ISRO Solar mission Aditya-L1 Destination: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1 તેના મુખ્ય ગંતવ્ય સ્થાન એટલે કે લેગ્રાંગિયન પોઇન્ટ (એલ1) પર પહોંચશે જે પૃથ્વીથી 15 લાખ કિમી દૂર આવેલું છે.

આ અવકાશ મિશન, હેલો ઓર્બિટ ભ્રમણકક્ષા L1 થી સૂર્યનો અભ્યાસ કરવા માટેનું પ્રથમ ભારતીય અવકાશ યાન છે, જે ઈસરો દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું.

ISRO aditya l1 | aditya l1 isro | aditya l1 photo | aditya l1 video | isro solar mission | aditya l1 ISRO sun mission | ISRO Update
આદિત્ય એલ-1 સૂર્યની નજીક પહોંચી ગયું છે. (ઇમેજ ક્રેડિટ-ઇસરો)

ઈસરોના ચેરમેન એસ. સોમનાથે શુક્રવારે અહીં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટે કામ કરતી એનજીઓ વિજ્ઞાન ભારતી દ્વારા આયોજિત ભારતીય વિજ્ઞાન સંમેલનનમાં મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે, “આદિત્ય-L1 6 જાન્યુઆરીએ L1 પોઈન્ટમાં પ્રવેશ કરશે. જે અપેક્ષા અનુસાર છે. યોગ્ય સમયે ચોક્કસ સમયની જાહેરાત કરવામાં આવશે.”

તેમણે ઉમેર્યુ કે,“જ્યારે આદિત્ય યાન L1 પોઈન્ટ પર પહોંચે છે, ત્યારે અમારે ફરી એકવાર એન્જિનને ફાયર કરવું પડશે જેથી તે આગળ ન જાય. તે નિર્ધારિત પોઇન્ટ સુધી જશે, અને એકવાર તે તે પોઇન્ટ પર પહોંચશે, તે તેની આસપાસ ફરશે અને L1 પર સ્થિર થઇ જશે.”

એકવાર આદિત્ય-એલ1 તેના ગંતવ્ય પર પહોંચશે, તે આગામી પાંચ વર્ષ સુધી સૂર્ય પર બનતી વિવિધ ઘટનાઓને માપવામાં મદદ કરશે.

ઇસરો વડાએ જણાવ્યું કે, “એકવાર આદિત્ય એલ1 સોલાર અવકાશ યાનને L1 પોઈન્ટ પર સફળતાપૂર્વક મુકવામાં આવ્યા પછી, તે આગામી પાંચ વર્ષ સુધી ત્યાં રહેશે, તે તમામ ડેટાને એકત્ર કરશે જે એકલા ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યની ગતિશીલતા અને તે આપણા જીવનને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે આ ડેટા ખૂબ જ ઉપયોગી થશે.”

ISRO Aditya L1 mission (ISRO via YouTube)
ISRO આદિત્ય L1 મિશન (YouTube દ્વારા ISRO)

સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત કેવી રીતે ટેકનોલોજીકલ રીતે શક્તિશાળી દેશ બનવા જઈ રહ્યું છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઈસરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના અનુસાર ‘અમૃત કાલ’ દરમિયાન ‘ભારતીય સ્પેસ સ્ટેશન’ નામનું ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, એમ સોમનાથે જણાવ્યું હતું.

આ પણ વાંચો | ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલે કરી કમાલ! પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું ફર્યું, ISROએ ગણાવ્યા ફાયદા

“અવકાશ ક્ષેત્રમાં આપણે નવા કલાકારોનો ઉદભવ જોઈ રહ્યા છીએ…અમે નવી પેઢીની આસપાસ અર્થતંત્રને ટેકો આપવા, પ્રોત્સાહિત કરવા અને તેનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ,” તેમણે ઉમેર્યું હતું કે ભારત દરેક બાબતમાં અગ્રેસર ન બની શકે, પરંતુ તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એવા ક્ષેત્રો જ્યાં તે કંઇક કરવા સક્ષમ છે ત્યાં કરવું જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ