જ્ઞાનવાપીની જેમ હવે મથુરામાં વિવાદિત સ્થળનો થશે સર્વે, હિન્દુ પક્ષની અપીલ પર કોર્ટે આપ્યો નિર્ણય

Survey Of Shahi Idgah Complex In Mathura: વારાણસીના જ્ઞાનવાપી કેસની જેમ મથુરામાં વિવાદિત સ્થળનો પણ સર્વે કરવામાં આવશે. કોર્ટે આ નિર્ણય હિન્દુ પક્ષની અપીલ પર આપ્યો છે.

Survey Of Shahi Idgah Complex In Mathura: વારાણસીના જ્ઞાનવાપી કેસની જેમ મથુરામાં વિવાદિત સ્થળનો પણ સર્વે કરવામાં આવશે. કોર્ટે આ નિર્ણય હિન્દુ પક્ષની અપીલ પર આપ્યો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gyanvapi Masjid Case | Supreme Court | News in Gujarati

પ્રતિકાત્મક તસવીર

Survey Of Shahi Idgah Complex In Mathura: મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ વિવાદ કેસમાં હિન્દુ પક્ષ માટે સારા સમાચાર આવ્યા છે. વારાણસીના જ્ઞાનવાપી કેસની જેમ મથુરામાં વિવાદિત સ્થળનો પણ સર્વે કરવામાં આવશે. કોર્ટે આ નિર્ણય હિન્દુ પક્ષની અપીલ પર આપ્યો છે.

Advertisment

શુક્રવારે (24 ડિસેમ્બર, 2022) મથુરા કોર્ટ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. આ સાથે કોર્ટે વિવાદિત સ્થળનો સર્વે રિપોર્ટ નકશા સાથે 20 જાન્યુઆરી સુધીમાં દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સિવિલ જજ સિનિયર ડિવિઝન III સોનિકા વર્માની કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

હિન્દુ સેનાનો દાવો- મંદિર તોડીને ઈદગાહ બનાવવામાં આવી હતી

વાદીના એડવોકેટ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપપ્રમુખ સુરજીત સિંહ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝન (III) જજ સોનિકા વર્માની કોર્ટમાં દાવો કર્યો હતો કે શ્રી કૃષ્ણ ઇદગાહના જન્મસ્થળ પર 13.37 એકર જમીન છે. મંદિર તોડીને ઔરંગઝેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમણે ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મંદિરના નિર્માણ સુધીનો સમગ્ર ઈતિહાસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.

20 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે

તેમણે વર્ષ 1968માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ વચ્ચે થયેલા કરારને ગેરકાયદે ગણાવીને રદ કરવાની પણ માંગ કરી છે. દુબેએ કહ્યું કે વાદીની અરજી પર સુનાવણી કરતા કોર્ટે અમીનને સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અમીને 20 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં ઈદગાહનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

Advertisment
વારાણસીના શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં પાંચ મહિલાઓએ અરજી દાખલ કરી હતી

તમને જણાવી દઈએ કે, મથુરા પહેલા વારાણસીના શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં કોર્ટના આદેશ પર વિવાદિત સ્થળનો સર્વે કરવામાં આવ્યો હતો. આ બાબતને લઈને 17 ઓગસ્ટ 2021ના રોજ પાંચ મહિલાઓએ શૃંગાર ગૌરીમાં પૂજા અને મૂર્તિઓની સુરક્ષાને લઈને અરજી દાખલ કરી હતી. આ અંગે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરે કોર્ટ કમિશનરની નિમણૂક કરી જ્ઞાનવાપીનો સર્વે કરવાનો આદેશ કર્યો હતો.

જ્ઞાનવાપી દેશ