/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Mahua-moitra-.jpg)
મહુઆ મોઇત્રાની ફાઇલ તસવીર
બહુચર્ચિત કેશ ફોર ક્વેરી કૌભાંડ મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ છીનવી લેવામાં આવ્યું છે. સંસદ એથિક્સ કમિટી દ્વારા રજુ કરાયેલા રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ આ કાર્યવાહી સામે ટીએમસી નેતાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમના પક્ષે ભારપૂર્વક કહ્યું છે કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેણીએ હમણાં જ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો જે તે ભવિષ્યમાં પણ ઉઠાવતી રહેશે. તપાસ ટીમને ભેટ કે રોકડના કોઈ પુરાવા મળ્યા નથી.
જાહેર કરાયેલા નિવેદનમાં, ટીએમસી નેતાએ કહ્યું કે મારી હકાલપટ્ટી ફક્ત તેના આધારે થઈ છે કે મેં મારું પોર્ટલ લોગિન અન્ય લોકો સાથે શેર કર્યું છે. પરંતુ સત્ય એ છે કે હજુ સુધી તેને નિયંત્રિત કરવાના કોઈ નિયમો નથી. એથિક્સ કમિટિ પાસે હકાલપટ્ટી માટે કોઈ પુરાવા કે આધાર નથી. હું સ્પષ્ટ કરી દઉં કે આ ભાજપના અંતની શરૂઆત છે.
#WATCH | Mahua Moitra on her expulsion as a Member of the Lok Sabha says, "...If this Modi government thought that by shutting me up they could do away with the Adani issue, let me tell you this that this kangaroo court has only shown to all of India that the haste and the abuse… pic.twitter.com/DKBnnO4Q0d
— ANI (@ANI) December 8, 2023
મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર પણ આકરા શબ્દોમાં અનેક આરોપો લગાવ્યા છે. તેમના વતી, એવું કહેવામાં આવ્યું હતું કે એથિક્સ કમિટીની તપાસ સંપૂર્ણપણે બે વ્યક્તિઓની લેખિત જુબાની પર આધારિત છે, જેમના નિવેદનો વાસ્તવમાં એકબીજા સાથે વિરોધાભાસી છે. હું જણાવવા માંગુ છું કે બે ફરિયાદીઓમાંથી એક મારો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ છે જે ખોટા ઇરાદા સાથે ખાનગી નાગરિક તરીકે એથિક્સ કમિટિ સમક્ષ હાજર થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us