/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/car-accident.jpg)
માર્ગ અકસ્માતમાં ચારનાં મોત (ANI તસવીર)
Accident news : હરિયાણાના ગુરુગ્રામમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં દિલ્હી-જયપુર હાઈવે પર સિધ્રાવલી ગામ પાસે એક ઓઈલ ટેન્કરે કાર અને પીક-અપ વાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરુગ્રામ પોલીસ બિલાસપુર પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ કુમારે આપેલી માહિતી અનુસાર, તેલનું ટેન્કર જયપુરથી આવી રહ્યું હતું. તેણે ડિવાઈડર તોડીને બીજી દિશામાંથી આવતી કાર સાથે ટક્કર મારી હતી.
તેણે કહ્યું કે કદાચ કારમાં સવાર તમામ લોકો જયપુર જઈ રહ્યા હતા. અથડામણને કારણે કારમાં રહેલા સીએનજી સિલિન્ડરમાં આગ લાગી હતી અને કારમાં સવાર ત્રણેય લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે કારને ટક્કર માર્યા બાદ ઓઈલ ટેન્કર હાઈવે પર એક પીકઅપ વાન સાથે અથડાઈ હતી. જેના કારણે વાન ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વિનોદ કુમારે કહ્યું કે અમને દિલ્હી-જયપુર હાઈવે પર માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે જોયું કે આગને કારણે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને તેમાં સવાર ત્રણ લોકોના મોત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ટેન્કર એક પીકઅપ વાન સાથે પણ અથડાયું હતું. જેના કારણે વાન ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેની ધરપકડ કરવા પ્રયાસ કરી રહી છે.
બંગાળથી ઓડિશા જતી બસમાં આગ લાગી હતી
પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં શુક્રવારે રાત્રે ઓડિશાના પારાદીપ જતી લક્ઝરી બસમાં આગ લાગતાં ઓછામાં ઓછા 30 લોકો દાઝી ગયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે માધબપુર વિસ્તાર પાસે બની હતી. અકસ્માત સમયે એસી બસની સ્પીડ ઓછી હતી. બસમાં સવાર ઓછામાં ઓછા 30 મુસાફરોએ બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક મુસાફરો રસ્તાની બાજુના ખાડામાં પડી ગયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us