Today News: મનસા દેવી મંદિર નાસભાગના મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય મળશે

Today Latest News Update in Gujarati 27 July 2025: પીએમ નરેન્દ્ર મોદીનો આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રોડ શો યોજાયો હતો. પીએમ મોદી તમિલનાડુના ગંગઇકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરઇ મહોત્સવ અને મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી સમારોહમાં ભાગ લેવાના છે.

Today Latest News Update in Gujarati 27 July 2025: પીએમ નરેન્દ્ર મોદીનો આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રોડ શો યોજાયો હતો. પીએમ મોદી તમિલનાડુના ગંગઇકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરઇ મહોત્સવ અને મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી સમારોહમાં ભાગ લેવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mansa Devi Temple Stampede | Mansa Devi Temple Stampede In Haridwar | Haridwar news | Uttarakhand news | Stampede in Uttarakhand

Mansa Devi Temple Stampede In Haridwar: ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના મોત થયા છે. (Photo: Social Media)

Today Latest News Update in Gujarati 27 July 2025 : પીએમ નરેન્દ્ર મોદીનો આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રોડ શો યોજાયો હતો. પીએમ મોદીનો રોડ શો જોવા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇયે કે, પીએમ મોદી આજે તમિલનાડુના ગંગઇકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરઇ મહોત્સવ સાથે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી સમારોહમાં ભાગ લેવાના છે.

Advertisment

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ

ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી હતી. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ ANI ને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર બોઇંગ 737 વિમાનમાં આગ લાગી, 179 મુસાફરો હતા

અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સના AA-3023 બોઇંગ 737 MAX 8 વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. આ વિમાન ડેનવર એરપોર્ટથી મિયામી જવાનું હતું. આ વિમાનના 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કૂલ 179 લોકોને ઇમરજન્સી એક્ઝિટ ડોરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisment
  • Jul 27, 2025 15:58 IST

    મનસા દેવી મંદિર નાસભાગના મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય મળશે

    ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં આજે સવારે નાસભાગ મચી હતી. આ નાસભાગમાં 6 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, તમામ ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે તે અમારી પ્રાથમિકતા છે. તમામ અધિકારીઓ રાહત બચાવ કામગીરીમાં લાગેલા છે. અમારો પ્રયાસ છે કે, ઘાયલો વહેલાસર સ્વસ્થ થાય, તેને સારી સારવાર મળે છે. તેમને તેમના ઘરે પહોંચાડવામાં આવે. એક ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો. તમામનો તેમના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આર્થિક સહાયની ઘોષણા કરવામાં આવે છે. આ નાસભાગમાં જીવ ગુમાવનારને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે.



  • Jul 27, 2025 12:16 IST

    PM મોદીનો તિરુચિરાપલ્લીમાં રોડ શો, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા

    પીએમ નરેન્દ્ર મોદીનો આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રોડ શો યોજાયો હતો. પીએમ મોદીનો રોડ શો જોવા મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. તમને જણાવી દઇયે કે, પીએમ મોદી આજે તમિલનાડુના ગંગઇકોંડા ચોલપુરમ મંદિરમાં આદિ તિરુવથિરઇ મહોત્સવ સાથે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી સમારોહમાં ભાગ લેવાના છે.

    — ANI_HindiNews (@AHindinews)

    #WATCH | तमिलनाडु: प्रधानमंत्री नरेंद्र मोदी ने तिरुचिरापल्ली में रोड शो किया।

    प्रधानमंत्री नरेंद्र मोदी आज तमिलनाडु के गंगईकोंडा चोलपुरम मंदिर में आदि तिरुवथिरई महोत्सव के साथ महान चोल सम्राट राजेंद्र चोल प्रथम की जयंती समारोह में भाग लेंगे।

    (सोर्स: ANI/DD) pic.twitter.com/wtg2WFsIbb

    — ANI_HindiNews (@AHindinews) July 27, 2025

    rel="nofollow ugc">July 27, 2025

    https://platform.twitter.com/widgets.js



  • Jul 27, 2025 11:39 IST

    અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, રિવરફ્રન્ટ પર પાણી ભરાયા

    અમદાવાદમાં શનિવા રાતથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં મોડી રાતથી સવારના છ વાગ્યા સુધીમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, દાણીલીમડા, જોધપુર, સેટલાઇટ, વસ્ત્રાપુર, નિકોલ, શિવરંજની, ઓઢવ, ખોખરે જેવા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન લોકોને મુશ્કેલી પડી રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) July 27, 2025



  • Jul 27, 2025 10:28 IST

    અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર બોઇંગ 737 વિમાનમાં આગ લાગી, 179 મુસાફરો હતા

    અમેરિકામાં ડેનવર એરપોર્ટ પર અમેરિકન એરલાઇન્સના AA-3023 બોઇંગ 737 MAX 8 વિમાનના લેન્ડિંગ ગિયરમાં આગ લાગી હતી. આ વિમાન ડેનવર એરપોર્ટથી મિયામી જવાનું હતું. આ વિમાનના 173 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કૂલ 179 લોકોને ઇમરજન્સી એક્ઝિટ ડોરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. વધુ અહેવાલ વાચવા માટે અહીં ક્લિક કરો

    — R A W S A L E R T S (@rawsalerts) July 26, 2025



  • Jul 27, 2025 10:25 IST

    હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, ઘણા લોકો ઘાયલ

    Today Latest News Update in Gujarati 27 July 2025: ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ ભાગદોડ મચી હતી. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ ANI ને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. વધુ વિગત વાંચવા અહીં ક્લિક કરો

    Uttarakhand | 6 people dead in a stampede after a huge crowd gathered at the Mansa Devi temple in Haridwar. I am leaving for the spot. A detailed report of the incident is awaited: Garhwal Division Commissioner Vinay Shankar Pandey to ANI pic.twitter.com/nTLNf6DG9j
    — ANI (@ANI) July 27, 2025



india અકસ્માત વિશ્વ દેશ