scorecardresearch
Live

Today News Live Updates: દિલ્હી મેયર ચૂંટણી: નોમિનેટેડ કોર્પોરેટર નહીં કરી શકે વોટ, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી AAPને મળી રાહત

Today Latest news updates, 17 february : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

live news, breaking news, latest news updates
આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates
18:29 (IST) 17 Feb 2023
દિલ્હી મેયર ચૂંટણી: નોમિનેટેડ કોર્પોરેટર નહીં કરી શકે વોટ, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી AAPને મળી રાહત

Delhi Mayor Election: દિલ્હી મેયર ચૂંટણીને લઇને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી છે. બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે મેયરની ચૂંટણીમાં નોમિનેટેડ કોર્પોરેટર વોટ કરી શકશે નહીં.

16:01 (IST) 17 Feb 2023
રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટમાં 250 વિકેટ પુરી કરી, ભારતનો આઠમો બોલર બન્યો

રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી ઇતિહાસ રચ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 250 વિકેટ ઝડપનાર ભારતનો આઠમો બોલર બન્યો છે. તેણે 62મી મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

14:25 (IST) 17 Feb 2023
ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ટેસ્ટ મેચ દરમિયાન એક ચાહક મેદાનમાં કૂદી પડ્યો

નવી દિલ્હીમાં શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો એક પ્રશંસક મેદાન પર કૂદી પડ્યો. એક્સપ્રેસ ફોટો પ્રવીણ ખન્ના

14:06 (IST) 17 Feb 2023
Adani Hindenburg Row: ‘ભારત પર હુમલો સહન નહીં કરે’, ભાજપે પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ જ્યોર્જ પર વળતો પ્રહાર કર્યો

ભારતીય જનતા પાર્ટી (BJP) એ શુક્રવારે અબજોપતિ જ્યોર્જ સોરોસ પર હુમલો કર્યો. સોરોસે આગાહી કરી હતી કે બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણીની કટોકટીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નબળા પડી જશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભારતીયોને એક થવા અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં દખલ કરવાનો પ્રયાસ કરતી વિદેશી શક્તિઓને જવાબ આપવા આહ્વાન કર્યું હતું. ઈરાનીએ કહ્યું કે સોરોસની ટિપ્પણી ભારત પર હુમલો છે

14:00 (IST) 17 Feb 2023
Supreme Court : શિવસેના વિવાદનો કોઈ ઉકેલ નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું- નબામ રેબિયાના ચુકાદાને મોટી બેંચને મોકલવાની જરૂર નથી

સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રની રાજકીય કટોકટીથી સંબંધિત ગેરલાયકાતની અરજીઓનો સામનો કરવા માટે વિધાનસભાના અધ્યક્ષોની સત્તા પરના 2016 નાબામ રેબિયાના ચુકાદાને સાત જજોની મોટી બેંચને તાત્કાલિક મોકલવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં શિવસેનાને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈનો કોઈ અંત નથી.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે નબામ રેબિયાના ચુકાદાને સાત જજોની બેંચને મોકલવો જોઈએ કે કેમ તે મહારાષ્ટ્ર પોલિટી કેસની સુનાવણી સાથે જ નિર્ણય લઈ શકાય છે. તેની સુનાવણી હવે 21 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

12:35 (IST) 17 Feb 2023
Chetan Sharma Resigns: ચેતન શર્માએ મુખ્ય પસંદગીકાર પદ પરથી રાજીનામું આપ્યું

એક ટીવી ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ શુક્રવારે પદ પરથી રાજીનામું આપી દીધું છે. આમાં તેણે ટીમ અને પસંદગી પ્રક્રિયા વિશે આંતરિક માહિતી શેર કરીને કરારનો ભંગ કર્યો હતો. આ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમને રાજીનામું આપવા કહ્યું હતું. હાલમાં બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ માટે કોલકાતામાં ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈના સચિવ જય શાહને મોકલી આપ્યું છે, જેણે તેને સ્વીકારી લીધું છે.

09:48 (IST) 17 Feb 2023
Gujarat News Latest Updates : અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ, પાંચ દિવસમાં 3.30 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી હતી.

09:46 (IST) 17 Feb 2023
Gujarat News Latest Updates : ગીર સોમનાથના એલમપુર ગામમાં ઝેરી મધમાખીઓનો હુમલો

ગીર સોમનાથના એલમપુર ગામમાં ઝેરી મધમાખીઓનો હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને ઉનાની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

08:24 (IST) 17 Feb 2023
Turkey – Syria Earthquake updates: તુર્કી અને સીરિયાના ભૂકંપમાં 41,000થી વધારે લોકોના મોત

એએફપીના અહેવાલો અનુસાર તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપથી મૃત્યુઆંક 41,000ને વટાવી ગયો છે.

08:17 (IST) 17 Feb 2023
નેપાળ દ્વારા બાંધવામાં આવેલા બે ઝૂલતા પુલનું ઉદ્ધાટન કરાયું

ઉત્તરાખંડ: નેપાળ દ્વારા બાંધવામાં આવેલા બે ઝૂલતા પુલનું સંયુક્ત રીતે પિથોરાગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ધારચુલા, નેપાળના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મલ્લા ઘાટ અને ગર્ભધાર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

https://twitter.com/AHindinews/status/1626411334635241474

Web Title: Today latest news live updates breaking news 17 february 2023 aaj na taja samachar

Best of Express