UCC મામલે પીએમ મોદીનું મોટું નિવેદન: ‘એક ઘર બે અલગ કાયદાથી ન ચાલે તો દેશ કેવી રીતે ચાલે, વિપક્ષ સુપ્રીમ કોર્ટનું પણ નથી સાંભળતા’

PM Modi on Uniform Civil Code : પીએમ નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) મામલે સ્પષ્ટતા કરી કહ્યું કે, આ કાયદો ઈસ્લામની વિરુદ્ધ નથી, જો એવું હોત તો મુસ્લીમ દેશો (Muslim country) માં કેમ ત્રિપલ તલાક (triple talaq) પર પ્રતિબંધ છે. વિપક્ષ (opposition) સુપ્રીમ કોર્ટ (Supreme Court) નું પણ નથી સાંભળી રહી અને માત્ર વોટ માટે મુસ્લીમોને ભડકાવી રાજકીય લાભ લઈ રહી છે.

Written by Kiran Mehta
Updated : June 27, 2023 15:07 IST
UCC મામલે પીએમ મોદીનું મોટું નિવેદન: ‘એક ઘર બે અલગ કાયદાથી ન ચાલે તો દેશ કેવી રીતે ચાલે, વિપક્ષ સુપ્રીમ કોર્ટનું પણ નથી સાંભળતા’
યુનિફોર્મ સિવિલ કોડ અને ત્રિપલ તલાક પર મોટુ નિવેદન આપી પીએમ મોદીએ વપક્ષ પર કર્યા પ્રહાર (ફોટો - @BJP4india

PM Modi on UCC issue : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભોપાલમાં પસમાંદા મુસ્લિમોના વિકાસ વિશે વાત કરી અને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) ની જોરદાર હિમાયત કરી. તેમણે ‘ટ્રિપલ તલાક’નું સમર્થન કરનારાઓ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું, “જો આ ઇસ્લામનું એક મહત્વપૂર્ણ પાસું હતુ તો, તે પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, કતાર, જોર્ડન, સીરિયા અને બાંગ્લાદેશમાં કેમ નથી?” તેમણે વધુમાં દાવો કર્યો હતો કે, ઈજિપ્તે 80-90 વર્ષ પહેલા આ પ્રથા નાબૂદ કરી દીધી હતી, પરંતુ કેટલાક લોકો ટ્રિપલ તલાક દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ કરવા માટેનું લાઇસન્સ ઈચ્છે છે.

વિપક્ષો મુસ્લીમોને ઉશ્કેરી રાજકીય લાભ લઈ રહી : મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ભારતના મુસ્લિમ ભાઈ-બહેનોએ સમજવું પડશે કે, કઈ રાજકીય પાર્ટીઓ તેમને ઉશ્કેરીને તેમનો રાજકીય લાભ લઈ રહી છે. અમે જોઈ રહ્યા છીએ કે, યુનિફોર્મ સિવિલ કોડના નામે મુસ્લીમ પુરૂષોને ભડકાવવાનું કામ થઈ રહ્યું છે. જો એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા માટે બીજો કાયદો હોય તો શું ઘર સરખી રીતે ચાલી શકશે? તો આવી બેવડી વ્યવસ્થા સાથે દેશ કેવી રીતે ચાલશે? તેમણે કહ્યું કે, આપણે યાદ રાખવું પડશે કે, ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે.

વિપક્ષ હિતચિંતક હોત તો, મુસ્લીમ નોકરી-શિક્ષણમાં પાછળ ન હોત : મોદી

વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, આ લોકો અમારા પર આરોપ લગાવે છે, પરંતુ સત્ય એ છે કે, આ લોકો મુસ્લિમ-મુસ્લિમ કરે છે. જો તે ખરેખર મુસલમાનોના હિતચિંતક હોત તો મારા મુસ્લિમ પરિવારના મોટાભાગના ભાઈ-બહેનો શિક્ષણ અને નોકરીમાં પાછળ ન રહ્યા હોત. હજુ વધારે મુશ્કેલીભર્યું જીવન જીવવા માટે તેમને દબાણ ન કરો. મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ વારંવાર કહી રહી છે કે કોમન સિવિલ કોડ લાવો, પરંતુ આ વોટબેંકના ભૂખ્યા લોકો, વોટ બેંકની રાજનીતિ કરનારાઓએ હંમેશા મુસ્લિમોનું શોષણ કર્યું છે, પરંતુ તેમની ક્યારેય ચર્ચા કરવામાં આવી નથી. આજે પણ તેમને સમાન અધિકારો નથી મળતા.

પીએમ મોદીએ કહ્યું કે, અમે એસી રૂમમાં બેસીને પાર્ટીઓ ચલાવનારા અને ફતવા જાહેર કરનારાઓમાં નથી. આપણે એવા લોકો છીએ, જે ગામડે ગામડે જઈને દરેક હવામાન અને દરેક પરિસ્થિતિમાં લોકો વચ્ચે વિતાવીએ છીએ.

ત્રિપલ તલાક ઈસ્લામમાં મહત્ત્વનો હોત તો મુસ્લીમ દેશોમાં કેમ પ્રતિબંધ? : મોદી

વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, જે કોઈ ટ્રિપલ તલાકની તરફેણમાં વાત કરે છે, જે કોઈ તેની તરફેણ કરે છે… તે વોટ બેંકના ભૂખ્યા લોકો મુસ્લિમ દીકરીઓ સાથે મોટો અન્યાય કહી રહ્યા છે. ટ્રિપલ તલાક માત્ર દીકરીઓને જ અન્યાય કરતું નથી… તેનાથી આખો પરિવાર બરબાદ થઈ જાય છે. જો ટ્રિપલ તલાક ઇસ્લામનો આવશ્યક ભાગ છે, તો પછી કતાર, જોર્ડન, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં તેને કેમ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે?

વિરોધ પક્ષોમાં ભ્રષ્ટાચારની ગેરંટી : મોદી

આજકાલ એક શબ્દ વારંવાર આવે છે – ગેરંટી. વિરોધ પક્ષના આ બધા લોકોમાં ભ્રષ્ટાચારની ગેરંટી છે, લાખો અને કરોડો રૂપિયાના કૌભાંડોની ગેરંટી છે. થોડા દિવસો પહેલા તેમના દ્વારા એક ‘ફોટો ઓપ’ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો હતો. જો આપણે એ ફોટામાંના તમામ લોકોની કુલ સંખ્યાને એકસાથે મુકીએ તો તે બધા મળીને 20 લાખ કરોડ રૂપિયાના કૌભાંડની ગેરંટી છે. એકલા કોંગ્રેસ પાસે લાખો કરોડનું કૌભાંડ છે.

જેમણે ગરીબો અને દેશને લૂંટ્યો તેમણે હિસાબ પતાવવા પડશે : મોદી

વડાપ્રધાને કહ્યું કે, આ પક્ષોને માત્ર કૌભાંડોનો જ અનુભવ છે અને તેથી જ જો તેમની પાસે કોઈ ગેરંટી હોય તો તે કૌભાંડોની ગેરંટી છે. તેમણે કહ્યું કે, આજે હું પણ તમને ગેરંટી આપવા માંગુ છું – જો તેમના કૌભાંડની ગેરંટી હોય તો મોદીની પણ ગેરંટી છે અને આ ગેરંટી છે – દરેક કૌભાંડી સામે કાર્યવાહી કરવામાં આવશે. દરેક ચોર-લૂંટારા પર કાર્યવાહીની ખાતરી છે, જેમણે ગરીબોને લૂંટ્યા છે, જેમણે દેશને લૂંટ્યો છે, તેનો હિસાબ પતાવવો પડશે. જ્યારે સામે જેલના સળિયા દેખાય છે, ત્યારે તેમની આ જુગલબંધી થઈ રહી છે.

આ પણ વાંચો –

વડા પ્રધાને કહ્યું કે, ભાજપના કડવા વિરોધી પક્ષો, 2014 હોય કે 2019, બંને ચૂંટણીઓમાં એટલી ખચકાટ ન હતી જેટલી આજે જોવા મળી રહી છે. જેમને પહેલા લોકો દુશ્મન કહેતા હતા, પાણી પીધા પછી અપશબ્દો બોલતા હતા, આજે તેઓ તેમની સામે પ્રણામ કરે છે. તેમની અસ્વસ્થતા દર્શાવે છે કે, દેશની જનતાએ 2024ની ચૂંટણીમાં ભાજપને પરત લાવવાનું મન બનાવી લીધું છે. 2024માં ફરી એકવાર ભાજપની જોરદાર જીત નિશ્ચિત છે, જેના કારણે તમામ વિરોધ પક્ષો ગભરાટમાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ