લગ્નના 10 જ દિવસમાં કન્યાએ બાળકને જન્મ આપ્યો, સાસરીમાં હંગામો, બાળક કોનું? ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) ના એક ગામમાં પરિણીત મહિલાએ લગ્નના 10 દિવસ બાદ બાળકને જન્મ આપ્યો, સાસરીયાઓ અપનાવવાની ના પાડી. યુવતીએ ગામના બે લોકો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) ના એક ગામમાં પરિણીત મહિલાએ લગ્નના 10 દિવસ બાદ બાળકને જન્મ આપ્યો, સાસરીયાઓ અપનાવવાની ના પાડી. યુવતીએ ગામના બે લોકો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Uttar Pradesh Crime News

ઉત્તર પ્રદેશ ક્રાઈમ સમાચાર (ફોટો - પ્રતિકાત્મક)

Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને કોઈપણના હોશ ઉડી જશે. પોલીસ ફરિયાદ અનુસાર એક છોકરીના લગ્નના થોડા દિવસ બાદ જ કંઈક એવું થયું કે તેની આખી જિંદગી પલટાઈ ગઈ. ગયા મહિને જ તેના લગ્ન થયા હતા અને હવે તેના સાસરિયાઓ તેને અપનાવવાની ના પાડી રહ્યા છે. તેનું કારણ એ છે કે, લગ્નના થોડા જ દિવસ પછી જ તેણે એક બાળકને જન્મ આપ્યો છે, જે પછી સાસરિયાઓએ છોકરીને અપનાવવાની ના પાડી દીધી છે.

Advertisment

લગ્નના 10 દિવસ પછી ડિલિવરીનો દુખાવો ઉપડ્યો

આ મામલો કાનપુર દેહતના રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં 15 મે, 2023ના રોજ ભોગનીપુલ કોતવાલી વિસ્તારના એક ગામમાં એક દલિત યુવતીના લગ્ન થયા હતા. લગ્ન બાદ નવપરિણીત મહિલા તેના ઘરે ગઈ ત્યારે 25 મેના રોજ તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ પછી જ્યારે તે હોસ્પિટલ પહોંચી તો ખબર પડી કે, તેને લેબર પેઈન છે. 26 મેના રોજ તેણે એક બાળકીને જન્મ આપ્યો, જેના સમાચાર તેના સાસરિયા સુધી પહોંચ્યા. આ મુદ્દે તેણે નવી પરિણીત મહિલાને અપનાવવાની ના પાડી દીધી હતી.

ગામના જ બે યુવકોએ યુવતી પર અનેક વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો

બાદમાં ખબર પડી કે, પીડિતા પર તે જ ગામના અરુણ પાલ અને વિનય પાલ દ્વારા ઘણી વખત બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમજ તેને ધમકી આપી હતી કે, જો તે આ અંગે કોઈને કહેશે તો તેને મારી નાખવામાં આવશે. પીડિતાના ઘરે બાળકીનો જન્મ થતાં આ વિસ્તારમાં ચકચાર ફેલાઇ ગઈ હતી. આ પછી, તેણે 6 જૂને અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને કહ્યું કે, તેની સાથે ઘણી વખત બળજબરીથી બળાત્કાર કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - ‘ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રાણનાથ છે…’, MBBS સ્ટુડન્ટ શિવરંજની તિવારી ગંગોત્રીથી બાગેશ્વર ધામ પદયાત્રા કરશે, 16 જૂને મોટો ખુલાસો!

Advertisment

આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

પીડિતાની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં રૂરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સમર બહાદુર સિંહે જણાવ્યું કે, અરુણ પાલ અને વિનય પાલ વિરુદ્ધ 374-D, 506 3(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાને મેડિકલ તપાસ માટે પણ મોકલવામાં આવી છે અને આરોપીને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ