/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Mansa-Devi-Temple-Stampede-In-Haridwar.jpg)
Mansa Devi Temple Stampede In Haridwar: ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના મોત થયા છે. (Photo: Social Media)
Mansa Devi Temple Stampede In Haridwar : ઉત્તરાખંડ હરિદ્વારમાં મનસા દેવી મંદિરમાં ભારે ભીડ એકઠી થયા બાદ નાસભાગ મચી હતી. મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 લોકોના કરુણ મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ગઢવાલ ડિવિઝન કમિશનર વિનય શંકર પાંડેએ ANI ને જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ભાગદોડમાં 6 લોકોના મોત થયા છે અને 35 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાનો વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
उत्तराखंड | हरिद्वार के मनसा देवी मंदिर में भारी भीड़ जमा होने के बाद मची भगदड़ में 6 लोगों की मृत्यु हो गई। मैं घटनास्थल के लिए रवाना हो रहा हूं। घटना की विस्तृत रिपोर्ट का इंतज़ार है: गढ़वाल मंडल आयुक्त विनय शंकर पांडे ने ANI को बताया pic.twitter.com/oZvOpxaP9e
— ANI_HindiNews (@AHindinews) July 27, 2025
ગઢવાલના વિભાગીય કમિશનર વિનય શંકર પાંડેએ એએનઆઈને જણાવ્યું હતું કે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ભાગદોડ દરમિયાન અનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, પ્રશાસન અને સરકારી સ્ટાફના તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ મંદિરની આસપાસથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી હરિદ્વારમાં કાવડ યાત્રાના પગલે મોટી સંખ્યામાં કાવડિયાઓ હરિદ્વાર આવ્યા હતા. હવે કાવડિયાઓને ઘટનાસ્થળેથી બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
#WATCH हरिद्वार, उत्तराखंड: मनसा देवी मंदिर में भगदड़ के बाद घायलों को अस्पताल ले जाया जा रहा है। भगदड़ में 6 लोगों की मृत्यु हो गई और कई अन्य घायल हैं। pic.twitter.com/GKPRubGrCu
— ANI_HindiNews (@AHindinews) July 27, 2025
તમને જણાવી દઇયે કે, હરિદ્વારનું મનસા દેવી 51 શક્તિપીઠમાં સામેલ છે. હરિદ્વારના મનસા દેવી અને ચંડી દેવી મંદિર ઉંચા પહાડ પર આવેલું છે, મંદિર સુધી પહોંચવા માટે રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ ભારે ભીડને કારણે મોટી સંખ્યામાં લોકો રોપ-વેને બદલે પગપાળા જ રસ્તો પસંદ કરે છે.
उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने मनसा देवी मंदिर में भगदड़ की घटना पर दुख व्यक्त किया। pic.twitter.com/FvKT90g7Mm
— ANI_HindiNews (@AHindinews) July 27, 2025
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિર માર્ગમાં નાસભાગ થવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં પુષ્કર સિંહ ધામીએ લખ્યું છે. હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિર માર્ગમાં નાસભાગ થવાના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. સ્થાનિક પોલીસ અન્ય બચાવ દળ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us