ઉત્તરાખંડ ટનલ અકસ્માત : ડ્રિલિંગ પૂર્ણ થતાં મજૂરો ઘૂંટણિયે થઇને બહાર આવશે? બધાને સલામત બહાર કાઢવા માટે શું છે પ્લાન?

Uttarakhand Tunnel Collapse : અધિકારીઓના જણાવ્યા અનુસાર એનડીઆરએફે ગઈ કાલે રાત્રે મોકડ્રીલ યોજી હતી. મોકડ્રીલનો હેતુ એ હતો કે ડ્રિલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેઓ શ્રમિકોને કેવી રીતે બચાવશે

Uttarakhand Tunnel Collapse : અધિકારીઓના જણાવ્યા અનુસાર એનડીઆરએફે ગઈ કાલે રાત્રે મોકડ્રીલ યોજી હતી. મોકડ્રીલનો હેતુ એ હતો કે ડ્રિલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેઓ શ્રમિકોને કેવી રીતે બચાવશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Uttarakhand Tunnel Collapse | Uttarakhand

ઉત્તરાખંડમાં ટનલ ધરાશાયી થઇ છે (તસવીર - એએનઆઈ સ્ક્રિનગ્રેબ)

uttarkashi tunnel collapse : ઉત્તરકાશીના સિલ્કયારામાં નેશનલ હાઇવે પર બની રહેલી ટનલમાં ફસાયેલા 40 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ઓપરેશનની કામગીરી ચાલી રહી છે. ટનલમાં ફસાયેલા મજૂરોને પાઈપ દ્વારા ઓક્સિજન, ખાદ્ય સામગ્રી અને દવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. બચાવકર્મીઓએ આજે બપોર સુધીમાં 24 મીટર સુધી ખોદકામ કર્યું છે, જેના કારણે તેઓ રવિવારે સવારે ધરાશાયી થયેલી નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 40 કામદારોની નજીક આવી ગયા છે. નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆઇડીસીએલ)ના જણાવ્યા અનુસાર 800 એમએમ અને 900 એમએમના વ્યાસવાળા પાઇપ્સને 60 મીટર સુધી ડ્રિલ કરવાની જરૂર પડે છે, જ્યાં સુધી બહાર નીકળવાનો માર્ગ ન બને ત્યાં સુધી એક પછી એક દાખલ પાઇપ દાખલ કરવામાં આવે છે.

Advertisment

ડ્રિલિંગ પૂર્ણ થયા પછી શું થશે?

અધિકારીઓના જણાવ્યા અનુસાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે (એનડીઆરએફ) ગઈ કાલે રાત્રે મોકડ્રીલ યોજી હતી. મોકડ્રીલનો હેતુ એ હતો કે ડ્રિલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તેઓ શ્રમિકોને કેવી રીતે બચાવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમારો પ્રથમ પ્રયાસ એક ટૂંકો અને સ્થિર માર્ગ બનાવવાનો છે, જેના દ્વારા શ્રમિકો તેમના ઘૂંટણ પર બહાર આવી શકે, પરંતુ હવે તેઓ દોરડાઓ દ્વારા તેમને બહાર કાઢવાની યોજના બનાવી રહ્યા છે. જેના પર વ્હીલ લગાવવામાં આવે છે. એકવાર પાઇપો અંદર આવી જાય પછી, સ્ટાફ તેના પર ચઢશે અને દોરડાનો ઉપયોગ કરીને તેને બીજી બાજુ ખેંચશે.

એનએચઆઇડીસીએલ કંપનીના ડિરેક્ટર ખલખોએ કહ્યું હતું કે પહેલાથી જ કાર્યરત મશીનનો વધારાનો પુરવઠો પૂરો પાડવા માટે ઇન્દોરથી અન્ય એક મશીન (બેકઅપ તરીકે) એરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે, જે શનિવારે સવારે અહીં પહોંચશે. જો અત્યારે કામ કરતું મશીન બંધ થઈ જાય તો આવી સ્થિતિમાં આપણે તે મશીનનો ઉપયોગ કરી શકીએ.

આ પણ વાંચો - અમેરિકન મશીનો સાથે ટનલ ડ્રિલિંગ, યુદ્ધના ધોરણે કામગીરી

ડ્રિલિંગની ધીમી ગતિનું કારણ શું છે?

આ સવાલના જવાબમાં એનએચઆઇડીસીએલના ડાયરેક્ટર અંશુ મનીષ ખલખોનું કહેવું છે કે તેઓ વધારે સતર્ક રહેવા માગે છે અને એ સુનિશ્ચિત કરવા માગે છે કે પાઇપ એક સેન્ટીમીટરથી પણ આમથી તેન ના થાય. ખલખોએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે લગભગ 35 મીટર વધુ ખોદકામ કર્યા બાદ તેને સફળતા મળશે. ખલખોએ જણાવ્યું હતું કે અહીં બીજી એક અગત્યની બાબત એ પણ ધ્યાનમાં રાખવી કે મશીન ડીઝલ દ્વારા ચાલે છે તે એક વિસ્તારમાં કામ કરે છે. તેથી કોમ્પ્રેસરનો ઉપયોગ કરીને સતત વેન્ટિલેશન આવશ્યક છે.

Advertisment

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા એનએચઆઇડીસીએલના ડિરેક્ટર અંશુ મનીષ ખલખોએ જણાવ્યું હતું કે આ સમય સુધીમાં અમે લગભગ 24 મીટર અંદર છીએ, જે મને લાગે છે કે ખૂબ જ સારું છે. અમે શક્ય તેટલી વહેલી તકે બીજી બાજુ જવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પહેલેથી જ કાર્યરત મશીન માટે, અન્ય એક મશીન (બેકઅપ તરીકે) ઇન્દોરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે. જે શનિવારે સવાર સુધીમાં અહીં આવી જશે. જો હાલનું યંત્ર બંધ થઈ જાય, તો આપણે આગળ પણ કામ ચાલુ રાખી શકીએ.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના ટ્રેન્ડિંગ ન્યૂઝ ઉત્તરાખંડ દેશ