Uttarkashi Tunnel Accident Rescue: ઉત્તરકાશી ટનલ અકસ્માત રેસક્યુ : ટનલમાં ફસાયેલા મજૂરો કયા કયા રાજ્યના? જાણો પરિવારજનોની વેદના

Uttarkashi Tunnel Accident Workers Rescue : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ અકસ્માતમાં 41 જેટલા કામદારો ફસાયા છે, તેમના પરિવારજનો સાથે ધ ઈન્ડિયન એક્સપ્રેસે વાત કરી, તો જોઈએ કોણ કયા રાજ્યનું અને તેમની વેદના.

Written by Kiran Mehta
Updated : November 22, 2023 12:03 IST
Uttarkashi Tunnel Accident Rescue: ઉત્તરકાશી ટનલ અકસ્માત રેસક્યુ : ટનલમાં ફસાયેલા મજૂરો કયા કયા રાજ્યના? જાણો પરિવારજનોની વેદના
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના (એક્સપ્રેસ તસવીર ચિત્રાલ ખંભાતી)

Uttarkashi Tunnel Accident Rescue : ઉત્તરકાશી ટનલ અકસ્માતમાં ફસાયેલા મજૂરોને સહી સલામત બહાર કાઢવા માટે ર્સક્યુ ચાલી રહ્યું છે, આમાં ફસાયેલા મજૂરો, જેમાં ઝારખંડમાંથી પંદર, ઉત્તર પ્રદેશમાંથી આઠ, ઓડિશા અને બિહારમાંથી પાંચ-પાંચ, પશ્ચિમ બંગાળમાંથી ત્રણ, ઉત્તરાખંડ અને આસામમાંથી બે-બે અને હિમાચલ પ્રદેશમાંથી એક – ઉત્તરકાશી ટનલની અંદર ફસાયેલા 41 લોકો જુદા જુદા રાજ્યોમાંથી આવ્યા છે, પણ શું? આજીવિકાની શોધમાં બહાર જવાની જરૂરિયાતે તેમને એક કર્યા.

ત્યાં કામ કરતા લોકો બે પગારની શ્રેણીઓમાં આવે છે: કુશળ કામદારો, પંપ ઓપરેટરો અથવા ડ્રિલર્સ માટે રૂ. 24,000, અને મજૂરો અથવા હેલ્પર જેવા અકુશળ કામદારો માટે રૂ. 18,000. તેમના સંબંધીઓના જણાવ્યા અનુસાર, પુરુષો દિવસમાં 12 કલાક, અઠવાડિયાના સાત દિવસ કામ કરે છે અને મહિનામાં બે દિવસની રજા લઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસે તેમના પરિવારો સાથે વાત કરી, જેમણે છેલ્લા 10 દિવસ ચિંતામાં વિતાવ્યા છે પરંતુ, આશા હજુ છોડી નથી:

ઓડિશા

રાજ્યના પાંચમાંથી, મયુરભંજ જિલ્લાના જોગીબંધ ગામના રહેવાસી વિશ્વેશ્વર નાયક (38) 22 વર્ષથી ટનલ બાંધકામમાં મજૂર તરીકે કામ કરે છે.

વિશ્વેશ્વર, છ વર્ષની જોડિયા પુત્રીઓના પિતા, ચાર મહિના પહેલા તેમના વિસ્તારના કેટલાક અન્ય લોકો સાથે કામમાં જોડાયા હતા. તેમની પત્ની સુકાંતીએ જણાવ્યું કે, તેમણે અકસ્માતના એક દિવસ પહેલા તેના પતિ સાથે છેલ્લી વાત કરી હતી. “તે અમારી સપોર્ટ સિસ્ટમ છે. આખો પરિવાર આઘાતમાં હતો પરંતુ, તેમના અવાજનું રેકોર્ડિંગ સાંભળીને અમને વિશ્વાસ આવ્યો.

ધીરેન નાયક (40), મયુરભંજ જિલ્લાના બેધાકુદરના રહેવાસી અને તેના ગામના અન્ય ત્રણ લોકો આજીવિકા કમાવવા માટે જુલાઈમાં ઉત્તરાખંડ ગયા હતા. ત્રણ બાળકોના પિતા, તેમણે તેની પત્નીને કહ્યું કે, તે જાન્યુઆરીમાં આવતી મકરસંક્રાંતિ પર પાછા ફરશે. “મારી માતા અને ભાઈ-બહેન સહિત બધા આઘાતમાં છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ અમને તેમના સુધી પહોંચવામાં મદદ કરે.” તેમના મોટા પુત્ર સુભમ કેશરી નાયકે જણાવ્યું હતું.

Uttarkashi Tunnel Accident Workers Rescue
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના – રસક્યુ ઓપરેશન (એક્સપ્રેસ તસવીર ચિત્રાલ ખંભાતી)

મયુરભંજ જિલ્લાના તેના સાથીદારોની જેમ, કુલડીહા ગામના રાજુ નાયકે (25) તેમના માતા-પિતાને વચન આપ્યું હતું કે, તે આદિવાસી બહુલ જિલ્લામાં એક મુખ્ય તહેવાર મકરસંક્રાંતિ પર પાછા આવશે. તેમના પિતા મુચીરામે કહ્યું કે, જોકે તેમને બચાવકર્મીઓમાં વિશ્વાસ છે, પરંતુ શક્ય તેટલી વહેલી તકે કામદારોને બહાર કાઢવાની જરૂર છે. “મારા પુત્રએ આજીવિકા મેળવવા માટે દૂરના સ્થળોએ જવાનું નક્કી કર્યું છે કારણ કે, અહીં કોઈ વધારે તકો ન હતી. અમે રાજ્ય સરકારને અહીં નોકરી આપવા અપીલ કરીએ છીએ જેથી યુવાનો તેમના પરિવાર સાથે રહી શકે.

ચાર ભાઈ-બહેનોમાં બીજા નંબરના, નબરંગપુર જિલ્લાના તાલાબેડા ગામના ભગવાન ભત્રા (28) છેલ્લા 18 મહિનાથી ટનલ બનાવવાના કામમાં રોકાયેલા છે. તે તેના પાંચ સંબંધીઓ સાથે ત્યાં ગયો હતો.

તેણીએ ઘણા વર્ષો પહેલા તેની માતા ગુમાવી હતી, અને તેના પિતા માનસિક રીતે વિકલાંગ છે. પર્યાપ્ત નોકરીઓના અભાવને કારણે, ભગવાનના નાના ભાઈને પણ કામ માટે ઉત્તરાખંડ જવાની ફરજ પડી હતી. ભગવાનના પિતરાઈ ભાઈ ફૂલચંદ ભત્રાએ કહ્યું કે, તેમને ઘટનાના ચાર દિવસ પછી બુધવારે ભગવાન ટનલની અંદર ફસાયેલા હોવાની જાણ થઈ, જ્યારે એક સાથીદારે તેમને જાણ કરી.

Uttarkashi Tunnel Accident Workers Rescue
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના – રસક્યુ ઓપરેશન (એક્સપ્રેસ તસવીર ચિત્રાલ ખંભાતી)

ભદ્રક જિલ્લાનો રહેવાસી તપન મંડલ (21) જૂનમાં તેના મોટા ભાઈ સપન અને પિતરાઈ ભાઈ સાથે કામ કરવા ઉત્તરાખંડ ગયો હતો. તે નાઇટ શિફ્ટ પર હતો અને જ્યારે ટનલ તૂટી ત્યારે બેઝ પર પરત ફરી રહ્યો હતો.

તપનના કાકા ઝુંટુએ કહ્યું: “સપન અને અજય બંને પાઈપ દ્વારા તપન સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અમને ઉત્તરાખંડથી વૉઇસ રેકોર્ડિંગ મોકલી રહ્યાં છે.

ઝારખંડ

રાંચી જિલ્લાના આદિવાસી બહુલ ગામ ખિરબેરાથી, નવ લોકો ટનલ પર કામ કરવા ગયા હતા, અને ત્રણ અંદર ફસાયા હતા. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેમને અન્ય છ લોકો દ્વારા પરિસ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી.

ત્રણ – અનિલ બેડિયા, રાજેન્દ્ર બેડિયા અને સુક્રમ બેડિયા – રાજ્યના જ રહેવાસી છે જ્યાં સૌથી વધુ 16 લોકો ફસાયેલા છે.

સુક્રમની માતા પાર્વતી દેવીએ કહ્યું, “મેં તેને જવાની મનાઈ કરી હતી, પરંતુ તેણે મારી સલાહ માની નહીં.” તેઓ જે વિસ્તારમાંથી આવે છે ત્યાં નોકરીના અભાવને કારણે ગામના ઘણા યુવાનો કામ અર્થે બહાર જાય છે. રાજેન્દ્રના પિતા શ્રવણ બેડિયાએ જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના રોજ જ્યારે તે ઘરેથી નીકળ્યો ત્યારે તેના પુત્રએ તેને ક્યાં જવાનું છે તે પણ જણાવ્યું ન હતું.

તેના પિતા ચક્રુ બેડિયાએ જણાવ્યું કે, અનિલ ઉનાળામાં કામની શોધમાં ગામ છોડીને ગયો હતો. તેમના ભાઈ તેમની ખબર-અંતર પૂછવા માટે ઘટનાસ્થળે ગયા છે.

ફસાયેલા લોકોમાં વિશ્વજીત વર્મા અને સુબોધ કુમાર વર્માનો સમાવેશ થાય છે, જે ગિરિડીહ જિલ્લાના સિમરાધબ પંચાયતના બે રહેવાસી છે. ઋષિકેશમાં રહેતા એક કાકા આ ઘટનાક્રમ વિશે પરિવારને માહિતગાર કરતા હતા.

ગોનોધર નાયક અને સમીર નાયક પૂર્વ સિંઘભૂમ જિલ્લાના માણિકપુર ગામમાંથી ટનલ પર કામ કરતા ઘણા લોકોમાંથી બે છે. જ્યારે બંને ફસાઈ ગયા ત્યારે માનિકપુરના અન્ય લોકોએ પરિવારને સૌથી પહેલા જાણ કરી હતી.

Uttarkashi Tunnel Accident Workers Rescue
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના – રસક્યુ ઓપરેશન (એક્સપ્રેસ તસવીર ચિત્રાલ ખંભાતી)

ખુંટી જિલ્લાની લાર્તા પંચાયતના ત્રણ લોકો પણ ફસાયેલા છે – વિજય હોરો, ગણપતિ હોરો અને ચમરા ઓરાઓં. ગણપતિ તેના ભાઈ બિલકન સાથે ટનલની અંદર કામ કરી રહ્યા હતા, જે તૂટી પડતા પહેલા જ નાસી છૂટ્યા હતા.

ચમરા ઓક્ટોબરમાં ટનલ પર કામ કરવા ગયો હતો, તેના ભત્રીજા સુકરામ ઓરાને જણાવ્યું હતું કે, તે વારંવાર તેમના પરિવારનો સંપર્ક કરી શકતો નથી કારણ કે તેમની પાસે ફોન ન હતો.

પશ્ચિમ સિંહભૂમના ચેલાબેડા ગામના મહાદેવ નાયક એવા કેટલાક લોકોમાંના એક છે જેમણે સુરંગની અંદરથી તેમનો અવાજ રેકોર્ડ કર્યો અને તેમના પરિવારને મોકલ્યો. પરિવારે કહ્યું કે, ઓડિયો રેકોર્ડિંગથી તેમના વૃદ્ધ માતા-પિતા અને ચાર ભાઈ-બહેનોને મોટી રાહત મળી છે.

ઉત્તર પ્રદેશ

રાજ્યમાં ફસાયેલા કામદારોમાંથી છ શ્રાવસ્તીના અને એક-એક લખીમપુર અને મિર્ઝાપુર જિલ્લાના છે. કેટલાકના સંબંધીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે.

ઓગસ્ટમાં 20 લોકોનું એક જૂથ, જેમાં મોટાભાગે શ્રાવસ્તીના મોતીપુર કાલા ગામના રહેવાસી હતા, કામની શોધમાં ઉત્તરકાશી ગયા હતા.

છ ફસાયેલા લોકો એક જ ગામના રહેવાસી છે અને તમામ અનુસૂચિત જનજાતિ થારુ સમુદાયના છે. આ ગામ નેપાળ સરહદથી લગભગ 12 કિમી દૂર છે, અને રહેવાસીઓ મોટાભાગે કામ માટે મુંબઈ, ગુજરાત અને ઉત્તરાખંડ જાય છે.

છ લોકોની ઓળખ રામ મિલન (41), સત્ય દેવ (46), અંકિત કુમાર (22), જય પ્રકાશ (23), સંતોષ કુમાર (24) અને રામ સુંદર (27) તરીકે કરવામાં આવી છે. સંતોષ અને જય પ્રકાશ સિવાય બાકીના બધા પરિણીત છે. સંતોષ, જય પ્રકાશ અને અંકિત જીલ્લાની બહાર કામ અર્થે ગયા હોવાની આ પહેલી ઘટના હતી.

સત્યદેવની પત્ની રામરતિ દેવીએ કહ્યું કે, તેને ઘટના વિશે સ્થળ પર કામ કરતા અન્ય લોકો પાસેથી જાણ થઈ. તેના બંને પુત્રો ધોરણ 9માં અભ્યાસ કરે છે.

રામ મિલનની પત્ની સુનીતા દેવીએ કહ્યું કે, “અંદર ગયાના થોડા કલાકો પહેલા મેં તેમની સાથે વાત કરી હતી. મારા જીજાજી મહેશ ઉત્તરકાશી ગયા છે અને અમને અપડેટ્સ આપી રહ્યા છે.

સંતોષ કુમારના કાકા રામ કરતારે કહ્યું કે, પરિવાર ઇચ્છતો ન હતો કે તે ગામ છોડે, “પરંતુ તેમણે આગ્રહ કર્યો તેથી અમે તેમને જવા દીધા”. રામ સુંદરની પત્ની શીલા દેવીએ કહ્યું કે તેઓ ક્યારે બહાર આવશે તે અંગે કોઈ સરકારી અધિકારીએ પુષ્ટિ કરી નથી.

ટનલમાં ફસાયેલા યુપીના અન્ય બે મજૂરો મિર્ઝાપુરના અખિલેશ કુમાર અને લખીમપુર ખેરીના મનજીત છે.

આસામ

રાજ્યના બે માણસો, સંજય બસુમતરી અને રામ પ્રસાદ નરઝારી, કોકરાઝાર જિલ્લાના રામફલબીલ નામના એક જ ગામના છે. તે, તે જ ગામના અન્ય કાર્યકર, જ્યોતિષ બસુમતરી સાથે, જે સંજયના મોટા ભાઈ છે, છેલ્લા સાત મહિનાથી ઉત્તરાખંડમાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. ત્યારથી તે ઘરે આવાયો નથી.

જ્યોતિષ અનુસાર બંને વ્યક્તિઓની ઉંમર 35 વર્ષની આસપાસ છે. તેમના કામ દ્વારા, જ્યોતિષ અને સંજય તેમની વિધવા માતાને ટેકો આપે છે.

રામ પ્રસાદના માતા-પિતા, તેમની પત્ની અને કિશોરવયની પુત્રી ખૂબ જ ચિંતિત છે.

જ્યારે જ્યોતિષ પણ પ્રોજેક્ટમાં કર્મચારી છે, જ્યારે ટનલ તૂટી ત્યારે તે ફરજ પર ન હતો. “આ ઘટના ત્યારે બની જ્યારે તેની ફરજ પૂરી થવા જઈ રહી હતી. ત્યારથી મેં તેમની સાથે ત્રણ વખત વાત કરી છે,” તેમણે સોમવારે ઉત્તરાખંડથી ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “તેમણે કહ્યું કે તે ઠીક છે પણ તેનું માથું ભારે લાગે છે.”

Uttarkashi Tunnel Accident Workers Rescue
ઉત્તરકાશીમાં ટનલ દુર્ઘટના – રસક્યુ ઓપરેશન (એક્સપ્રેસ તસવીર ચિત્રાલ ખંભાતી)

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના મંડીમાં 20 વર્ષીય વિશાલનો પરિવાર નિંદ્રાધીન રાતો વિતાવી રહ્યો છે. તેમના પિતા ધરમ સિંહ અને મોટા ભાઈ યોગેશ 13 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યારથી ત્યાં જ પડાવ નાખી પુત્ર બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છે.

તેના ગામ બાગોટના તમામ 200 થી વધુ પરિવારો તેના પાછા ફરવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રહેવાસી દેવિન્દર શર્માએ કહ્યું કે, “આ અકસ્માત દિવાળી પર થયો. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને ગામલોકોએ ઉજવણી ન કરી.”

સંબંધીઓનું કહેવું છે કે, આ ઘટના બાદ વિશાલની માતા ઉર્મિલાએ ભાગ્યે જ ખાવાનું ખાધું છે.

વિશાલ પાંચ મહિના પહેલા કન્સ્ટ્રક્શન કંપનીમાં જોડાયો હતો અને તેનો મોટો ભાઈ યોગેશ પણ આ જ પેઢીમાં નોકરી કરે છે. દેવિન્દરે કહ્યું કે, “તે તેની નવી નોકરી હતી; તે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો, તેથી દિવાળી પર ત્યાં જ રોકાયો.”

પશ્ચિમ બંગાળ

“મારે કેટલો સમય રાહ જોવી પડશે? 9-10 દિવસ થઈ ગયા, મેં મારા પુત્રનો અવાજ સાંભળ્યો નથી,” 10 મહિના પહેલા આ કાર્યમાં જોડાયેલા સૌભિક પાખીરા (24)ની માતા લોકી પથિરા (44)એ જણાવ્યું હતું.

શોભિકની માતાએ જણાવ્યું હતું કે, “તે સતત બે દિવસ ડે ડ્યુટી કરવાનો હતો, પરંતુ કોઈ તેના વતન ગયા હતા, તેથી તેમના બદલે તેને નાઈટ ડ્યુટી આપવામાં આવી હતી, અને દુર્ઘટના સર્જાઈ.”

કૂચ બિહાર જિલ્લામાં, 51 વર્ષીય માનિક તાલુકદારના પરિવારે મોબાઇલ પર સમાચાર અથવા અપડેટ્સ જોવાનું બંધ કરી દીધું છે કારણ કે, તે તેમની ચિંતામાં વધારો કરી રહ્યું છે. તેમને ટીવી પર જોયા બાદ તેણીને પ્રથમ જાણ થઈ કે શું થયું હતું, અને ત્યારથી માણિકની પત્ની સોમાએ તેનો ફોટોગ્રાફ તેમની સાથે રાખ્યો હતો.

માણિક સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવા ગયા અને 2007 થી કંપનીમાં છે. “જ્યારે તેમણે રવિવારે સવારે ફોન ન કર્યો, ત્યારે અમને ખબર પડી કે કંઈક ખોટું થયુ હતું.”

અન્ય એક કાર્યકર, જોયદેબ પ્રામાણિક (18) હુગલીના પુરસુરહનો છે. તે ગયા વર્ષે કંપનીમાં જોડાયો હતો.

બિહાર

ભોજપુરના રહેવાસી સબા અહેમદે તેના પરિવાર સાથે છેલ્લી વાત 11 નવેમ્બરે કરી હતી, તેના એક દિવસ પહેલા તે ફસાઈ ગયા હતા. અધિકારીઓએ હજુ સુધી તેમની પત્ની શીબાનો સંપર્ક કર્યો નથી. તે અને તેના ત્રણ બાળકો પિયાર ગામમાં રહે છે. સબાના પિતા મિસ્બાહ અહેમદ, 70, જણાવ્યું હતું કે, પરિવાર તેમના વિશેના સમાચારો માટે મીડિયા પર નિર્ભર છે અને ફસાયેલા લોકોને ખોરાક મળી રહ્યો છે તે જાણીને તેમને રાહત થઈ. કામની શોધમાં સબાએ પાંચ વર્ષ પહેલા રાજ્ય છોડી દીધું હતું.

આ પણ વાંચોઉત્તરકાશી ટનલ દુર્ઘટના : ટનલમાં ફસાયેલા મજૂરે પોતાના ભાઈને કહ્યું – હું સુરક્ષિત છું, માતા-પિતા કેમ છે

બિહારના અન્ય લોકો ખજુઆનના રહેવાસી સોનુ સાહ અને બિરેન્દ્ર કિસ્કુ છે, જેમનો પરિવાર બાંકા જિલ્લાના જયપુર તેતરિયા ગામમાં રહે છે. તે પોકલેન ડ્રાઈવર તરીકે કામ કરે છે.

બિહારના ચોથા વ્યક્તિ સુશીલ કુમારનો પરિવાર તેની તબિયતને લઈને ચિંતિત સ્થળ પર પહોંચી ગયો છે.

અભિષેક અંગદ, મનીષ સાહુ, રાખી જગ્ગા, સંતોષ સિંહ, સુજીત કુમાર બિસોયી, સુક્રિતા બરુઆ, સ્વીટી કુમારી દ્વારા અહેવાલ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ