જ્ઞાનવાપી મસ્જિદ કેસ : વારાણસી કોર્ટે ASI સર્વેની મંજૂરી આપી, મુસ્લિમ પક્ષે કર્યો હતો વિરોધ

Varanasi Court : હવે આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. તેથી એએસઆઈને પણ 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે

Written by Ashish Goyal
Updated : August 03, 2023 12:24 IST
જ્ઞાનવાપી મસ્જિદ કેસ : વારાણસી કોર્ટે ASI સર્વેની મંજૂરી આપી, મુસ્લિમ પક્ષે કર્યો હતો વિરોધ
gyanvapi masjid case: વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે (File)

Gyanvapi Masjid Case : વારાણસી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે મસ્જિદ પરિસરના એએસઆઈ સર્વેની મંજૂરી આપી દીધી છે. મુસ્લિમ પક્ષે સર્વે કરાવવાનો વિરોધ કર્યો હતો. કોર્ટના નિર્ણય મુજબ વિવાદિત વિસ્તારને બાદ કરતાં સમગ્ર કેમ્પસનો સર્વે કરવામાં આવશે.

કોર્ટનો મોટો નિર્ણય, ક્યારે થશે સર્વે?

આ કેસમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે મને કહેવામાં આવ્યું છે કે મારી અરજીને મંજૂરી આપવામાં આવી છે અને કોર્ટે વજુ ટેન્ક છોડીને (જેને સીલ કરી દેવામાં આવ્યું છે) જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો એએસઆઈ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે.

હવે આ કેસની આગામી સુનાવણી 4 ઓગસ્ટના રોજ થવા જઈ રહી છે. તેથી એએસઆઈને પણ 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. હિન્દુ પક્ષ લાંબા સમયથી આ માંગ કરી રહ્યો હતો, આવી સ્થિતિમાં કોર્ટના આદેશથી આ વિવાદને નિષ્કર્ષ પર લાવવા માટે મોટી પહેલ કરવામાં આવી છે.

આ પણ વાંચો – પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા ભાજપના સાંસદ લોકેટ ચેટર્જી, કહ્યું- ટીએમસીના ગુંડાઓએ બંદૂકની અણીએ મહિલાને કરી હતી નગ્ન

શું છે આ આખો મામલો?

જાણકારી માટે જણાવી દઇએ કે આ મામલાની શરૂઆત આ વર્ષે 16 મે ના રોજ શરૂ થઇ હતી જ્યારે ચાર મહિલાઓએ કહ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદિત ભાગ સિવાય સ્થળ પર એએસઆઈ સર્વે કરાવવામાં આવે. આ અરજી પર 14 જુલાઈએ સુનાવણી થઈ હતી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હવે આ જ મામલે શુક્રવારે સૌથી મહત્વનો નિર્ણય આવ્યો અને સર્વેને મંજૂરી આપવામાં આવી.

મુસ્લિમ પક્ષનો વાંધો શું છે?

જોકે આ મામલે મુસ્લિમ પક્ષ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે જો જ્ઞાનપવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે તો તેવા સંજોગોમાં જ્ઞાનવાપીના માળખાને મોટું નુકસાન થઇ શકે છે. આ જ તર્કના આધારે હિન્દુ પક્ષની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે જ્ઞાનવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે તો ખોદકામ વગેરેથી જ્ઞાનવાપીના માળખાને ભારે નુકસાન થઈ શકે છે. તેથી જ્ઞાનવાપી મસ્જિદના પરિસરનો પુરાતત્વીય સર્વે કોઈ પણ રીતે ન થવો જોઈએ. પરંતુ શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે તે દલીલો સ્વીકારી ન હતી અને હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ