/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/vasundhara-raje.jpg)
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (ફાઇલ ફોટો)
Vasundhara raje, Lok Sabha election 2024: ભાજપ સહિત તમામ પક્ષોએ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. વિવિધ રાજ્યોમાં ઉમેદવારોની પસંદગી અને ચૂંટણીના મુદ્દાઓ પર તમામ પક્ષો વચ્ચે વાતચીત અને બેઠકો થઈ રહી છે. કેન્દ્રીય નેતૃત્વની સૂચના પર જયપુરમાં રાજસ્થાન ભાજપની બેઠક પણ યોજાઈ હતી, પરંતુ તેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ વસુંધરા રાજેની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.
આ બેઠકમાં હાલના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. જેમાં રાજ્યના પ્રભારી અરુણ સિંહ છત્તીસગઢના પ્રભારી અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓમ માથુર, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા, અશોક સિંહ વગેરે સામેલ હતા. પરનામી, અરુણ ચતુર્વેદી, વિપક્ષના પૂર્વ નેતા રાજેન્દ્ર રાઠોડ અને ડેપ્યુટી સીએમ ડો. પ્રેમચંદ બૈરવા હાજર હતા, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીએ હાજરી આપી ન હતી. જેના કારણે અનેક અટકળોને વેગ મળ્યો છે.
- વિધાનસભાની ચૂંટણીમાં પણ બહુ મહત્વ ન આપવાનો આરોપ
મીડિયા સૂત્રોનું કહેવું છે કે વસુંધરા રાજે નારાજ છે. તેમની નારાજગીનું કારણ એ છે કે તેમને સીએમ બનાવવામાં આવ્યા નથી. વિધાનસભા ચૂંટણી વખતે તેમને પાર્ટીમાં બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. જોકે, પક્ષ દ્વારા પુત્રવધૂની નાદુરસ્ત તબિયતનું કારણ આપવામાં આવ્યું હતું.
વસુંધરા રાજે રાજકીય ગતિવિધિઓથી દૂર રહેવાની આ પહેલી ઘટના નથી. થોડા દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની જયપુરમાં આયોજિત IG-DG કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ રાજ્યમાં પાર્ટીના નવા ધારાસભ્યો અને પદાધિકારીઓને મળ્યા હતા. આ બેઠકમાં વસુંધરા રાજે પણ હાજરી આપી ન હતી.
જયપુરમાં પીએમની આ પહેલી મુલાકાત હતી. જેમાં રાજ્યના તમામ મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. વસુંધરા રાજે આમંત્રિત કર્યા બાદ પણ બેઠકથી દૂર રહેવાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. તેમની ગેરહાજરીને કારણે ભાજપમાં જૂથવાદ અને આંતરિક કલહ વધવાની આશંકા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us