/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Manipur-CM-fire.jpg)
મણિપુરમાં હિંસા photo credit - ANI
મણિપુરમાં મુખ્યમંરી એન બીરેન સિંહનો શુક્રવારે રાજ્યના ચુરાચાંદપુર જિલ્લામાં એક કાર્યક્રમ આયોજી કાર્યક્રમ સ્થળ પર ભીડે તોડફોડ કરી હતી અને સ્થળ પર આગચંપી પણ કરી હતી. મુખ્યમંત્રી આજે ન્યૂ લમકામાં જીમ કમ સ્પોર્ટ્સ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરનારા હતા. ઘટના બાદ ઇન્ટરનેટ પર અસ્થાયી રૂપથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ચુરાચાંદપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ઇન્ટરનેટ સેવાઓને સ્થગિત કરવામાં આવી હતી.
આદેશ પ્રમાણે "જાહેર/ખાનગી સંપત્તિને કોઈપણ પ્રકારના જાનહાનિ અથવા જોખમને રોકવા માટે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ખોટી માહિતી અને અફવાઓને અટકાવીને જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પર્યાપ્ત પગલાં લેવા જરૂરી બની ગયા છે,"
એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે થયેલી હિંસા સ્વયંસેવકો અને સ્વદેશી આદિજાતિ નેતાઓ ફોરમ (ITLF) ના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા જમીન અને વન સર્વેક્ષણના વિરોધમાં ફોરમે ચૂરાચંદપુરમાં કુલ આઠ કલાકના બંધનું એલાન કર્યું હતું. શુક્રવારે સવારે 8 વાગ્યાથી બંધ અમલમાં આવ્યો હતો. તેણે જિલ્લાઓમાં સરકારી કાર્યક્રમોમાં અસહકારની પણ જાહેરાત કરી હતી.
Manipur | Mob set fire to an open gym constructed at PT Sports Complex in New Lamka, Churachandpur District yesterday which was to be inaugurated by CM N Biren Singh. The mob also vandalised the public meeting venue at Sadhbhav Mandap.
Following the incident, Internet has been… pic.twitter.com/tMh4gZpI8c— ANI (@ANI) April 28, 2023
ITLF એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિલ્લાઓના લોકોની ફરિયાદોને સંબોધવામાં રાજ્યની નિષ્ફળતાને પગલે તેને આંદોલન કરવાની ફરજ પડી હતી. “આઈટીએલએફએ આરક્ષિત જંગલ/સંરક્ષિત જંગલ અને વેટલેન્ડ અને ગ્રામજનોને ખાલી કરવા સંબંધિત રાજ્ય દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ વિશે અમારી ફરિયાદો અને આશંકાઓ વ્યક્ત કરવા માટે મણિપુર સરકારને અનેક મેમોરેન્ડા સબમિટ કર્યા હતા.
વારંવારના મેમોરેન્ડા પછી પણ સરકારે લોકોની દુર્દશાને સંબોધવા માટે કોઈ ઈચ્છા દર્શાવી નથી, કોઈ પ્રામાણિકતા દર્શાવી નથી. જ્યારે બંધ શરૂ થઈ ગયો હતો, આ અહેવાલ લખ્યા ત્યાં સુધી કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ નથી.
disclaimer:- આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us