Banke Bihari Corridor: વૃંદાવનના બાંકે બિહારી કોરિડોર સામે વિરોધ કેમ? UP સરકાર ખર્ચવાની છે 500 કરોડ

Vrindavan Banke Bihari Temple Corridor: વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરિડોર યોગી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે 5 એકરમાં તૈયાર થઈ જશે. તેના નિર્માણમાં ઓછામાં ઓછા 3 વર્ષનો સમય લાગવાનો છે.

Vrindavan Banke Bihari Temple Corridor: વૃંદાવનના બાંકે બિહારી મંદિર કોરિડોર યોગી સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જે 5 એકરમાં તૈયાર થઈ જશે. તેના નિર્માણમાં ઓછામાં ઓછા 3 વર્ષનો સમય લાગવાનો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vrindavan banke Bihari temple corridor | vrindavan banke Bihari temple | banke Bihari temple corridor | banke Bihari temple corridor map | banke Bihari mandir

Banke Bihari Temple Corridor : બાંકે બિહારી મંદિર કોરિડોર સામે વિરોધ થઇ રહ્યો છે.

Banke Bihari Temple Corridor: ઉત્તર પ્રદેશની યોગી સરકાર લાંબા સમયથી વૃંદાવનમાં બાંકે બિહારી કોરિડોર બનાવવા માંગતી હતી, પરંતુ ગોસ્વામી સમુદાયના વિરોધને કારણે સીએમ યોગીનો આ ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો છે. મોટી વાત એ છે કે યુપી સરકાર આ પ્રોજેક્ટ પાછળ 500 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે, જો બાંકે બિહારી કોરિડોરનું નિર્માણ પૂર્ણ થશે તો ભક્તો સરળતાથી દર્શન કરી શકશે, આરતી સમયે તેમને વધુ જગ્યા મળશે, પાર્કિંગ માટે અલગથી જગ્યા પણ હશે.

Advertisment

બાંકે બિહારી મંદિર કોરિડોર શું છે?

એવું જણાવવામાં આવી રહ્યું છે કે યોગી સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ 5 એકરમાં બનાવવામાં આવશે. તેના નિર્માણમાં ઓછામાં ઓછા 3 વર્ષનો સમય લાગવાનો છે. કોરિડોરના કારણે મંદિરનો રસ્તો પહેલા કરતા ઘણો પહોળો થઇ જશે, આ સાથે જ પ્રવેશ માટે ત્રણ દરવાજા અલગથી બનાવવામાં આવશે. 30 હજાર ચોરસ મીટરનો પાર્કિંગ એરિયા ઊભો કરવાની પણ યોજના છે. સરકારના જણાવ્યા અનુસાર આ કોરિડોર એવી રીતે તૈયાર કરવામાં આવશે કે તેનો એક ભાગ મંદિર વિસ્તાર માટે હશે જ્યારે બીજો ભાગ પરિક્રમા માટે હશે.

હવે સરકાર પાસે પોતાની તમામ દલીલો તૈયાર છે, યુપીના ઘણા મોટા અધિકારીઓ આ સમયે વૃંદાવનમાં લોકો સાથે વાત કરી રહ્યા છે. સાંસદ હેમા માલિની પોતે આ કોરિડોરના ફાયદા લોકોને જણાવતા થાકતા નથી. સરકાર માટે રાહતની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે 5 એકર જમીન સંપાદનની મંજૂરી આપી દીધી છે. આવી સ્થિતિમાં કોર્ટ પાસે પરવાનગી છે, સરકાર પાસે પૈસા છે, પરંતુ તેમ છતાં, સીએમ યોગીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હજી પૂર્ણ થઈ રહ્યો નથી.

બાંકે બિહારી કોરીડોર સામે ગોસ્વામી સમાજનો વિરોધ કેમ?

આ સમયે યોગી સરકારનો સૌથી મોટો પડકાર એ છે કે તેમણે ગોસ્વામી સમુદાયને પોતાના પક્ષમાં લાવવો પડશે. હવે ગોસ્વામી સમુદાય કેટલાક કારણોસર બાંકે બિહારી કોરિડોરનો વિરોધ કરી રહ્યો છે. હકીકતમાં ગોસ્વામી સમુદાયના બાંકે બિહારી કોરિડોરને લઈને ચાર મોટા ભય છે. પહેલો ડર એ છે કે કોરિડોરના નિર્માણથી કોરિડોરની ગલીઓ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. સમાજનો બીજો ડર એ છે કે જો કોરિડોર બનશે તો તેની સીધી અસર વૃંદાવનની સંસ્કૃતિ પર પડશે. ત્રીજો ડર એ છે કે આ કોરિડોરને કારણે દુકાનદારોની આવક પર સીધી અસર પડશે. ગોસ્વામી સમુદાયનો ચોથો ડર બાંધકામની કામગીરી દરમિયાન ટેન્ડરમાં મનસ્વીપણા વિશે છે.

Advertisment

ગોસ્વામી સમાજની નારાજગી આ સમયે એટલી વધી ગઈ છે કે તે સરકારને સીધી ચેતવણી આપી રહી છે કે જો સરકાર કોરિડોર બનાવવા માટે વધુ દબાણ કરશે તો તેવામાં ઠાકુર બાંકે બિહારી અહીંથી પલાયન કરી જશે.

દૂર્ઘટના બાદ કોરિડોરની માંગ

હવે આ નારાજગી વચ્ચે બાંકે બિહારીમાં કોરિડોર બનાવવાની જરૂર કેમ પડી રહી છે તે સમજવું જરૂરી બની જાય છે. સરકારની પોતાની દલીલો ચોક્કસ છે, પરંતુ એક અકસ્માત પણ છે, જેના કારણે આ કોરિડોરની જરૂરિયાત અનુભવાવા લાગી. 19 ઓગસ્ટ, 2022ના રોજ, મંગળા આરતી દરમિયાન બાંકે બિહારી મંદિરમાં બે ભક્તોના કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે આઠ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. તે ઘટના બાદ જ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને ત્યાંથી યોગી સરકારને બાંકે બિહારી કોરિડોર બનાવવાની મંજૂરી મળી ગઈ. પરંતુ હવે ગોસ્વામી સમાજ પોતાના વિરોધ પર અડગ હોવાથી આના કારણે આ કોરિડોરનું નિર્માણ જમીન પર શરૂ થયું નથી.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ દેશ