West Bengal Poll Violence: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસામાં 13 લોકોના મોત, ફાયરિંગ અને બોમ્બ ધમાકા

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસક બનતાં 13 લોકોના મોત થયા છે. જ્યારે આ આંકડો વધુ હોવાની પણ વકી છે. ચૂંટણીને લઇને શરૂ થયેલી હિંસા લોહિયાળ બની હતી. ઠેર ઠેર બૂથ કેપ્ચરિંગ, ફાયરિંગ અને બોમ્બ ધમાકા જેવી ઘટનાઓ બની હતી. હિંસક ટોળા, બદમાશોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. હિંસા મામલે સત્તાધીશ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષે એકબીજા સામે આક્ષેપ કર્યા હતા.

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસક બનતાં 13 લોકોના મોત થયા છે. જ્યારે આ આંકડો વધુ હોવાની પણ વકી છે. ચૂંટણીને લઇને શરૂ થયેલી હિંસા લોહિયાળ બની હતી. ઠેર ઠેર બૂથ કેપ્ચરિંગ, ફાયરિંગ અને બોમ્બ ધમાકા જેવી ઘટનાઓ બની હતી. હિંસક ટોળા, બદમાશોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. હિંસા મામલે સત્તાધીશ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષે એકબીજા સામે આક્ષેપ કર્યા હતા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
West Bengal Panchayat Election 2023 | Panchayat Poll Violence | West Bengal Election Photos

પશ્વિમ બંગાળ પંચાયત ચૂંટણી બની લોહિયાળ, હિંસામાં 13 લોકોના મોત

સ્વીટી કુમારી કોલકત્તા | West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા 13 લોકોના જીવ ગયા હતા, વિપક્ષ અને શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ એકબીજા પર આક્ષેપ કર્યો હતો. માર્યા ગયેલા લોકોમાંથી સાત ટીએમસી સાથે સંકળાયેલા હતા, શાસક પક્ષે વિપક્ષ પર હિંસામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. રાજ્યની પ્રાથમિક વિપક્ષ પાર્ટી ભાજપે સમગ્ર ચૂંટણી રદ કરવાની હાકલ કરી હતી. હિંસાને પગલે બંગાળમાં ભયનો માહોલ છવાયો છે.

Advertisment

પશ્વિમ બંગાળ જાણે શનિવારે હિંસાનું કેન્દ્ર બન્યું. સમગ્ર બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન બેફામ હિંસા ફાટી નીકળી. કેન્દ્રિય દળ ક્યાં છે? પોલીસ ક્યાં છે? આ સવાલ દિવસભર પુછાતો રહ્યો અને બીજી તરફ હિંસાનો દોર ચાલતો જ રહ્યો. નિર્દોષ લોકો હિંસામાં હોમાતા રહ્યા. પશ્વિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું. પરંતુ રાજ્યમાં હિંસાનો છૂટો દોર જોવા મળ્યો. મુર્શિદાબાદના ખરગ્રામ, રેઝીનગર, રાણીનગર, ડોમકલથી લઇને કૂત બિહારના દિનહાટા, દક્ષિણ 24 પરગણામાં ભાનાડ, ઉત્તર 24 પરગણાના બસંતી બારાસત સહિત વિસ્તારમાં હિંસક સ્થિતિ જોવા મળી હતી. શુક્રવાર સાંજથી થયેલી હિંસામાં માર્યા ગયેલા લોકો નીચે મુજબ છે

1. નદિયામાં TMC સમર્થક
ટીએમસી સમર્થક અમઝદ હુસૈનની નાદિયાના છપરામાં કથિત રીતે કોંગ્રેસના કાર્યકરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. શાસક પક્ષે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના સમર્થકોએ તેના કાર્યકરો પર હુમલો કર્યો જ્યારે તેઓ મતદાન કરવા જઈ રહ્યા હતા. ટીએમસીના 11 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને છપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુસેનને ત્યાં પહોંચતા જ તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

છપરાના ટીએમસી ધારાસભ્ય રુકબાનુર રહેમાને કહ્યું, “કોંગ્રેસના બદમાશોએ ટીએમસી સમર્થકો પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો જ્યારે તેઓ મતદાન કરવા જઈ રહ્યા હતા. કોંગ્રેસ આતંક દ્વારા વિસ્તાર પર કબજો કરવા માંગે છે પરંતુ લોકો તેને સ્વીકારશે નહીં. વિરોધ પક્ષે આ આરોપને ફગાવી દીધો હતો. જિલ્લા કોંગ્રેસના નેતા સિલ્વી સાહાએ જણાવ્યું હતું કે, “છાપરામાં ખુલ્લેઆમ વોટની લૂંટ ચાલી રહી છે, ક્યાંય પોલીસ કે કેન્દ્રીય દળ નથી. અમારી સામેના આરોપો પાયાવિહોણા છે.

2.TMC કાર્યકર જે કતારમાં ઊભો હતો
TMC કાર્યકર અનીસુર ઓસ્તાગર દક્ષિણ 24 પરગણા જિલ્લાના બસંતીમાં એક બૂથની બહાર કતારમાં ઉભો હતો એ સમયે મતદાન કરવા માટે રાહ જોઈ રહેલા લોકો પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બસંતીના ફુલમલંચના રહેવાસી 50 વર્ષીય વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા અને અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક રહેવાસી મોસીબુર રહેમાન ઓસ્તાગરે જણાવ્યું હતું કે, “અપક્ષ ઉમેદવારોના જૂથે બોમ્બ ફેંક્યા હતા. બોમ્બ અનીસુરના જમણા કાનમાં વાગ્યો જેનાથી તેનું મૃત્યુ થયું.

Advertisment

3. કૂચ બિહારમાં બીજેપી પોલિંગ એજન્ટ, યુવકની ગોળી મારી હત્યા
ઉત્તર બંગાળના કૂચ બિહાર જિલ્લામાં ભાજપના પોલિંગ એજન્ટ માધબ બિસ્વાસની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. “અમારા પોલિંગ એજન્ટને ફાલીમારીમાં એક મતદાન મથકની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આનાથી ખરાબ કંઈ હોઈ શકે? બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આવી છે,” જિલ્લા ભાજપના પ્રમુખ સુકુમાર રોયે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું . બીજેપી ઉમેદવાર માયા બર્મને આરોપ લગાવ્યો કે, “TMCના ગુંડાઓએ મારા એજન્ટ પર બોમ્બ ફેંક્યો અને તેને મારી નાખ્યો. તેઓએ મારા પર હુમલો પણ કર્યો હતો. જોકે, હું બચી ગયો હતો.”

એવો આરોપ છે કે ટીએમસી સમર્થકોએ બિસ્વાસને મતદાન મથકમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે અથડામણ થઈ. સ્થિતિ વણસી જતાં ભાજપના કાર્યકરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ટીએમસીએ આરોપોને ફગાવી દીધા હતા. દરમિયાન, કૂચબિહારના દિનહાટા વિસ્તારમાં ચિરંજીત કરજી તરીકે ઓળખાતા યુવકનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. સ્થાનિક ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે કાર્જી તેમના કાર્યકર હતા, જોકે તેમના સંબંધીઓએ આ દાવાને ફગાવી દીધો હતો.

4. મુર્શિદાબાદમાં ચારના મોત
મુર્શિદાબાદ જિલ્લામાં ચાર મૃત્યુ નોંધાયા છે. નઝીરપુર વિસ્તારમાં શનિવારે સવારે શંકાસ્પદ બોમ્બ હુમલામાં TMC કાર્યકર યાસીન શેખનું મોત થયું હતું જ્યારે સત્તાધારી પક્ષના કાર્યકર સબીરુદ્દીન શેખનો મૃતદેહ મુર્શિદાબાદના ખારગ્રામમાં ખાલી જમીનમાંથી મળી આવ્યો હતો. TMCએ આક્ષેપ કર્યો હતો કે શનિવારે સવારે 3 વાગ્યાની આસપાસ ખાગ્રામ પોલીસ સ્ટેશનના રતનપુર નલદિપ ગામમાં શંકાસ્પદ કોંગ્રેસ સમર્થકોએ સબિરુદ્દીનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. કેટલાક સ્થાનિકોનો આરોપ છે કે શેખ કોંગ્રેસના કાર્યકર ફુલચંદ શેખની હત્યાનો મુખ્ય આરોપી છે, જેનું નામાંકનના પહેલા દિવસે જ હત્યા કરવામાં આવી હતી. ટીએમસી અને શેખના પરિવારે આરોપોને ફગાવી દીધા હતા.

ટીએમસી સાથે જોડાયેલા શંકાસ્પદ બદમાશોએ આ વિસ્તારમાં બોમ્બ ફેંક્યા બાદ નોવડા વિસ્તારમાં કોંગ્રેસના એક કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. હાજી નિયાકત અલીને ગંભીર હાલતમાં પહેલા સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

દરમિયાન, મુર્શિદાબાદના લાલગોલામાં સીપીઆઈ(એમ) કાર્યકર રોશન અલી જ્યારે મતદાન કરી રહ્યા હતા ત્યારે માર્યા ગયા. આ ઘટના મયાલ પ્રાથમિક શાળામાં બની હતી. અલી ત્યાં મતદાન કરવા ગયો હતો અને સ્થાનિકોના કહેવા પ્રમાણે, ટીએમસીના કાર્યકરો દ્વારા તેને કથિત રીતે અટકાવવામાં આવ્યો હતો અને મારપીટ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં મોકલી આપ્યો છે.

5. પૂર્વા બર્ધમાનમાં TMC અને CPI(M) કાર્યકરો
TMC કાર્યકર ગૌતમ રોયને પૂર્વા બર્ધમાન જિલ્લાના કટવા વિસ્તારમાં માર મારવામાં આવ્યો હતો, શાસક પક્ષે આરોપ લગાવ્યો હતો કે CPI(M) કાર્યકરોએ રોયને બૂથમાંથી બહાર કાઢ્યા હતા અને તેમને ગંભીર રીતે માર્યા હતા. તે બેભાન થઈને જમીન પર પડી ગયો. રોયને કટવા સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. CPI(M) એ હત્યાના આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે TMC કાર્યકરનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.

દરમિયાન, શુક્રવારે સાંજે પૂર્વા બર્ધમાન જિલ્લાના ઔશગ્રામ-2 બ્લોકમાં ટીએમસીના શંકાસ્પદ સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં CPI(M) કાર્યકર રાજીબુલ હોક ગંભીર રીતે ઘાયલ થયા હતા. શનિવારે સવારે તેણે દમ તોડી દીધો હતો.

6. ઉત્તર દિનાજપુરમાં TMC ઉમેદવાર અને કોંગ્રેસ કાર્યકર
ટીએમસી પંચાયતના ઉમેદવાર મોહમ્મદ શાહીન શાહની ઉત્તર દિનાજપુર જિલ્લાના ચકુલિયા વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. તેને પડોશી બિહારની કિસનગંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ પહોંચતા જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. શાહના ભાઈ ઝુલ્ફીકારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના કાર્યકરોએ શાહની હત્યા કરી હતી જે ચકુલિયા ગ્રામ પંચાયતના પ્રમુખ પણ હતા.

દરમિયાન, કોંગ્રેસ કાર્યકર મોહમ્મદ જમીલુદ્દીન જિલ્લાના ગોલપોખર વિસ્તારમાં મતદાન દરમિયાન માર્યા ગયા હતા. તેમના મૃતદેહને જાગીરબસ્તી બજાર વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરના સુમારે જાગીરબસ્તીમાં મતદાન દરમિયાન ટીએમસી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે તેઓએ શાસક પક્ષને બૂથ કબજે કરવાના પ્રયાસથી રોકવાનો પ્રયાસ કર્યો. અથડામણ દરમિયાન જમીલુદ્દીનનું મોત થયું હતું.

7. માલદામાં TMC કાર્યકર
માલદા જિલ્લાના ગોપાલપુર ગામના જીશરટોલા વિસ્તારમાં બોમ્બ હુમલામાં ટીએમસીના એક કાર્યકરનું મોત થયું હતું. શાસક પક્ષના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં સ્થાનિક પક્ષ પ્રમુખ મોહમ્મદ નાસિરના કાકા શેખ મલેકનું મોત થયું હતું. તેમના જણાવ્યા મુજબ, નાસિરને પગમાં ગોળી વાગી હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. કોંગ્રેસે આરોપોને નકારી કાઢ્યા અને ટીએમસી પર ભયનો માહોલ બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.

west bengal હિંસા ચૂંટણી 2023