/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/ashok-gehlot-sachin-pilot.jpg)
રાજસ્થાન રાજકારણ - અશોક ગેહલોત - સચિન પાયલોટ
Rajasthan Politics : રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના મતભેદોને દૂર કરવા કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. આ માટે કોંગ્રેસ નેતૃત્વએ સોમવારે અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે બેઠક યોજી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ બેઠક સકારાત્મક રહી હતી. આ સાથે જ અશોક ગેહલોતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વિશ્વાસ આપવાથી જ વિશ્વાસ જીતવામાં આવે છે.
પત્રકારોએ અશોક ગેહલોતને પૂછ્યું કે, શું હાઈકમાન્ડ દ્વારા કમિટમેન્ટ કરવામાં આવ્યું છે? તેના જવાબમાં અશોક ગેહલોતે કહ્યું, “હાઈકમાન્ડ સાથે બેસવું અને તેમની સાથે વાત કરવી, પછી કોઈ કેમ સહયોગ નહીં કરે. વિશ્વાસ આપીને જ વિશ્વાસ જીતવામાં આવે છે. હાઈકમાન્ડને અમારા પર વિશ્વાસ છે, અમે આગળ વધીશું. જો બધા સાથે મળીને આગળ વધશે તો રાજસ્થાનમાં ફરી અમારી સરકાર આવશે.
અશોક ગેહલોતે કહ્યું, “અમે પાર્ટીમાં પ્રામાણિક રહ્યા છીએ અને આગળ પણ રહીશું. સોનિયા ગાંધીએ એક વખત સંમેલનની અંદર કહ્યું હતું કે, ધીરજ રાખનારને ક્યારેક તો તક મળે છે. મને આજે પણ સોનિયા ગાંધીજીનું એ નિવેદન યાદ છે અને હું તેને મારા હૃદયમાં રાખું છું. હું તમામ કાર્યકરોને કહું છું કે, ધીરજ રાખો તો તમને આગળ જવાની તક જરૂર મળશે.
આ પણ વાંચો - ગુજરાતમાં કમોસમી વરસાદ: વીજળી અને વરસાદથી 9 લોકોના મોત, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
સચિન પાયલટ અંગે અશોક ગેહલોતે કહ્યું, “જો સચિન પાયલટ પાર્ટીમાં હશે તો અમે સાથે ચાલીશું. તેમની ભૂમિકા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવશે. જો અમે સાથે ચાલીશું તો અમારી સરકાર ફરી રીપીટ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us