ગોધરા: શું હતી ગોધરાની ઘટના? આનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજેપી આ ફરીથી કરાવવા જઈ રહી છે.

Godhra Case : ગુજરાતમાં ગોધરાની ઘટનાને 21 વર્ષ પૂર્ણ થયા છે. ફેબ્રુઆરી 2002 માં, સાબરમતી એક્સપ્રેસના કોચને આગ લગાડવામાં આવ્યા બાદ 59 કાર સેવકો માર્યા ગયા હતા, જેનાથી દેશના સૌથી ખરાબ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

Written by Kiran Mehta
September 11, 2023 18:00 IST
ગોધરા: શું હતી ગોધરાની ઘટના? આનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે બીજેપી આ ફરીથી કરાવવા જઈ રહી છે.
જલગાંવમાં આપેલા ભાષણમાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડાએ આ વાતને રામ મંદિરના નિર્માણ સાથે જોડીને કહી હતી. (તસવીરઃ પીટીઆઈ)

Maharashtra Politics : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે કે, દેશમાં ફરી એકવાર ગોધરા જેવી ઘટના બનશે. વિપક્ષી ગઠબંધન ભારતના સભ્ય ઉદ્ધવ ઠાકરેએ શાસક ભાજપના ઈરાદા પર શંકા કરતા કહ્યું હતું કે, BJP (ભાજપ) 2024ની લોકસભા ચૂંટણી પહેલા ગોધરા જેવું કંઈક મોટું કરવા જઈ રહી છે. જલગાંવમાં આપેલા ભાષણમાં શિવસેના (ઉદ્ધવ જૂથ) ના વડાએ આ વાતને રામ મંદિરના નિર્માણ સાથે જોડીને કહી હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે, ગોધરાકાંડ ખરેખર શું હતો? અમે તમને ગોધરાની સંપૂર્ણ કહાની યાદ કરાવીએ.

જ્યારે લોકો રામ મંદિરના ઉદ્ઘાટનથી પાછા ફરે છે…

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “આગામી દિવસોમાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે, એવી સંભાવના છે કે, ઉદ્ઘાટન માટે દેશભરમાંથી ઘણા હિન્દુઓને બોલાવવામાં આવશે અને સમારંભ પૂરો થયા પછી, લોકો જ્યારે પાછા ફરશે, ત્યારે ગોધરાકાંડ જેવું કંઈક કરી શકે છે. “

ગોધરાની કહાની

ગુજરાતના ગોધરાકાંડને 21 વર્ષ વીતી ગયા છે. ફેબ્રુઆરી 2002 માં, સાબરમતી એક્સપ્રેસના કોચને આગ લગાડવામાં આવ્યા બાદ 59 કાર સેવકો માર્યા ગયા હતા, જેનાથી દેશમાં સૌથી ખરાબ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. તેની કહાની એવી છે કે, 27 ફેબ્રુઆરી 2002 ની સવારે સાબરમતી એક્સપ્રેસના એસ 6 કોચમાં આગ લાગી હતી અને તે કોચમાં મુસાફરી કરી રહેલા 59 મુસાફરો દાઝી ગયા હતા. ટ્રેન ગુજરાતના ગોધરા સ્ટેશન પર પહોંચી હતી. પીડિતોમાં 27 મહિલાઓ અને 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. ટ્રેનમાં સવાર અન્ય 48 મુસાફરો ઘાયલ પણ થયા હતા.

આ પણ વાંચોG20 Summit : ભારત-મધ્ય પૂર્વ-યુરોપ મેગા કોરિડોર શું છે? આનાથી ભારતને કેટલો ફાયદો થશે, જાણો બધું

ગુજરાત સરકારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી. પંચમાં જસ્ટિસ જીટી નાણાવટી અને જસ્ટિસ કેજી શાહનો સમાવેશ થાય છે. કમિશને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, માર્યા ગયેલા 59 લોકોમાં મોટાભાગના કાર સેવક હતા, જેઓ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.

સાબરમતી એક્સપ્રેસ મુઝફ્ફરપુરથી અમદાવાદ જઈ રહી હતી. વિશ્વ હિન્દુ પરિષદના આહ્વાન પર પૂર્ણાહુતિ મહાયજ્ઞમાં ભાગ લેવા ગયેલા ઓછામાં ઓછા 2,000 કાર સેવકો અયોધ્યાથી ટ્રેનમાં ચડી ગયા હતા. આ યજ્ઞ રામ મંદિર નિર્માણ કાર્યક્રમનો એક ભાગ હતો.

ટ્રેન સળગાવવાની ઘટનાના કલાકોમાં જ રાજ્યભરમાં હિંસક રમખાણો ફાટી નીકળ્યા હતા. 2 ફેબ્રુઆરીની સાંજે રમખાણો ફાટી નીકળ્યા અને રાજ્યભરમાં 2-3 મહિના સુધી ચાલુ રહ્યા. 2005માં કેન્દ્રએ રાજ્યસભાને જાણ કરી હતી કે રમખાણોમાં 254 હિંદુઓ અને 790 મુસ્લિમોએ જીવ ગુમાવ્યા હતા. કુલ 223 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. હજારો લોકો બેઘર પણ બન્યા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ