White Paper : શ્વેત પત્રમાં યુપીએ પર ગંભીર આક્ષેપ, જાણો કોંગ્રેસની મનમોહન સરકાર વિશે લખ્યું છે

White Paper Alleges On UPA Government : શ્વેત પત્રમાં યુપીએ સરકાર પર ભયંકર આક્ષેપ કરવામાં આવ્યા છે. જાણો મોદી સરકારના આ શ્વેત પત્રમાં કોંગ્રેસની મનમોહન સરકાર વિશું લખવામાં આવ્યું છે.

Written by Ajay Saroya
February 08, 2024 20:53 IST
White Paper : શ્વેત પત્રમાં યુપીએ પર ગંભીર આક્ષેપ, જાણો કોંગ્રેસની મનમોહન સરકાર વિશે લખ્યું છે
ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુપીએ સરકારના કાર્યકાળ વખતના પૂર્વ પીએમ મનોમોહન સિંહ (Express Photo by Tashi Tobgyal/File)

White Paper Alleges On UPA Government : શ્વેત પત્ર જારી થતા રાજકારણ ગરમાયું છે. યુપીએ સરકારના 10 વર્ષના કાર્યકાળ વિશે મોદી સરકારે શ્વેત પત્ર બહાર પાડ્યું છે. આ શ્વેત પત્ર નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. આ શ્વેત પત્રમાં યુપીએ સમયગાળાની આર્થિક નીતિઓ પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યા છે અને ઘણા મુદ્દાઓ પર તેમને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સમયે દરેકના મનમાં સવાલ એ છે કે મોદી સરકારે આ શ્વેત પત્રમાં શું લખ્યું છે જે યુપીએની મનમોહક છબીને બગાડે છે.

શ્વેત પત્રમાં કયા મુદ્દા છે?

શ્વેત પત્રમાં મોદી સરકારે જણાવ્યું છે કે, યુપીએ સરકારે દેશનો આર્થિક પાયો નબળો કરી દીધો હતો. એવા નિર્ણયો લેવાવામાં આવ્યા છે જેના કારણે દેશ વિકાસમાં પાછળ રહી ગયો છે. ઉપરાંત આ જ શ્વેત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યુપીએના સમયમાં રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી મોટી વાત એ છે કે, જે યુપીએ, મોદી સરકાર પર આક્ષેપ કરે છે કે તેણે બેન્કિંગ સેક્ટર બરબાદ કરી દીધું છે, નાણા મંત્રી નિર્મલા સીતારમને તેમને અરીસો દેખાડ્યો છે.

ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો

શ્વેત પત્રમાં એક મહત્વપૂર્ણ મુદ્દો વિદેશી હૂંડિયામણ ભંડોળનો પણ ઉઠાવવામાં આવ્યો છે. મોદી સરકારના જણાવ્યા અનુસાર યુપીએના કાર્યકાળ દરમિયાન દેશનો વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે આવી ગયો હતો. આ ઘટાડો પણ અગાઉની સરકારના ખોટા કાર્યોને કારણે થયો હતો. ઉપરાંત મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે UPAએ જ પોતાની ખોટી નીતિઓ દ્વારા દેશને દેવામાં ડૂબી દીધો છે. તે દેવામાંથી બહાર આવવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવ્યા ન હતા.

કોલસા કૌભાંડમાં યુપીએને ઘેરવાનો પ્રયાસ

શ્વેત પત્રમાં કોલસા ખાણની ફાળવણી અંગે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસની યુપીએ સરકારના કૌભાંડનો ઉલ્લેખ કરતા નાણા મંત્રીએ કહ્યું કે, કોલસા કૌભાંડે 2014માં દેશની અંતરાત્મા હચમચાવી દીધી હતી.

આ પણ વાંચો | શ્વેત પત્ર શું છે? નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા લોકસભામાં રજૂ કરાયું, કોંગ્રેસની યુપીએ સરકાર પર પ્રહાર

વર્ષ 2014 પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવી હતી. આ ક્રિયાઓની તપાસ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને 2014 માં સુપ્રીમ કોર્ટે 1993 થી ફાળવેલ 204 કોલસાની ખાણો/બ્લોકની ફાળવણી રદ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ