/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/PM-Modi-Meeting-1.jpg)
પીએમ મોદી સાથેની બેઠકમાં બીજેપી નેતાઓના ફોન લઈ લેવામાં આવ્યા (source-twitter/@BJP4India)
Phone Proofing: ભારતીય જનતા પાર્ટી (BJP) ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મંગળવારે (17 જાન્યુઆરી) ના રોજ પૂર્ણ થઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જો કે આ બેઠકમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે, પીએમ સાથેની બેઠક પહેલા ભાજપના નેતાઓના ફોન લઈ લેવામાં આવ્યા હતા.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ફોનને મંજૂરી આપવામાં આવી ન હતી
વાસ્તવમાં, ભાજપ તેની સંગઠનાત્મક ચર્ચાઓની ગુપ્તતા પ્રત્યે ખૂબ કાળજી રાખે છે. તાજેતરમાં, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓને તેમના મોબાઈલ ફોન હોલની બહાર રાખવા માટે કહેવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાર્ટીના હૈદરાબાદ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનની ટૂંકી વિડિયો ક્લિપ વાયરલ થયા પછી, પાર્ટીના નેતાઓ ગોપનીયતા વિશે ખૂબ જ સાવચેત છે.
પક્ષના એક ટોચના નેતા, જેમણે શરૂઆતમાં પ્રતિનિધિઓને મીડિયા સાથે આઉટ ઓફ ટર્ન વાત કરવા સામે ચેતવણી આપી હતી, ક્લિપ લીક થવાથી નારાજ થયા હતા. જે બાદ તેમણે સૂચન કર્યું કે મીટીંગ હોલમાં ફોનને પ્રવેશ ન આપવો જોઈએ.
જેપી નડ્ડા જૂન 2024 સુધી ભાજપના અધ્યક્ષ રહેશે
તો, દિલ્હીમાં યોજાયેલી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળને એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ સાથે જ ભાજપે કારોબારી બેઠકમાં 2024ની રૂપરેખા તૈયાર કરી છે. પ્રમુખ જેપી નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરવી પડશે અને આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.
આ પણ વાંચો - PM મોદીનો ભાજપને સંદેશ, સોફ્ટ પાવર અને ગુડવિલ બનાવવા પર ધ્યાન આપો
પીએમ મોદીએ કાર્યકર્તાઓને માત્ર વોટ માટે નહીં પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે કામ કરવા કહ્યું
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઠરાવ હેઠળ તમામ રાજ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ અને એકબીજાની ભાષા અને સંસ્કૃતિને સ્વીકારવી જોઈએ. લોકોને પાર્ટી સાથે જોડવા માટે ભાજપ 'BJP Jodo' અભિયાન ચલાવશે. વડા પ્રધાને બેઠકમાં જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ સમાજના તમામ વર્ગો સાથે સંવેદનશીલતા સાથે સંબંધ બાંધવો પડશે અને માત્ર મત માટે નહીં પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે કંઈક કરવું પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us