છત્તીસગઢના ઈતિહાસની સૌથી મોટી અથડામણ, 30 નક્સલવાદીઓ ઠાર

Chhattisgarh encounter : છત્તીસગઢમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી માઓવાદીઓ પાસેથી AK47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા હથિયારો મળી આવ્યા

Chhattisgarh encounter : છત્તીસગઢમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી માઓવાદીઓ પાસેથી AK47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા હથિયારો મળી આવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Sukma encounter, naxalite encounter,

Chhattisgarh encounter : છત્તીસગઢમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. (પ્રતિકાત્મક ફાઇલ ફોટો)

Chhattisgarh encounter : છત્તીસગઢમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે દંતેવાડા જિલ્લાના અબુઝહમદમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 30 માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના 24 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટું ઓપરેશન છે. તેમની પાસેથી અનેક ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે.

Advertisment

પોલીસના જણાવ્યા અનુસાર દંતેવાડા અને નારાયણપુરના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ્સ (DRG), વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતી હતી. તેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર બપોરે ત્રણ ગામો ગોવેલ, નેંદુર અને તુલતુલીની આસપાસના જંગલ વિસ્તારમાં થયું હતું. આ ત્રણેય ગામો અબુઝહમદમાં આવે છે.

AK47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા હથિયારો મળી આવ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળેથી AK47 અને સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ જેવા હથિયારો મળી આવ્યા છે અને સાંજ સુધી એન્કાઉન્ટર ચાલુ હતું. આ વર્ષે એપ્રિલમાં આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા બસ્તર વિભાગના કાંકેર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં 29 માઓવાદીઓ માર્યા ગયા હતા. આ વર્ષે માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યા 187 થઈ ગઈ છે. કુલ 15 સુરક્ષાકર્મીઓ અને 47 નાગરિકોના પણ મોત થયા છે.

આ પણ વાંચો - વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCO મીટિંગમાં ભાગ લેશે

Advertisment

ઓગસ્ટમાં રાજ્યની રાજધાની રાયપુરમાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે જાહેર કર્યું હતું કે માઓવાદીઓ સાથેની છેલ્લી લડાઈ નજીક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે માર્ચ 2026 સુધીમાં દેશ ડાબેરી ઉગ્રવાદથી મુક્ત થઈ જશે.

અબુઝહમદને નક્સલવાદીઓનો ગઢ માનવામાં આવે છે

અબુઝહમદને નક્સલવાદીઓનો ગઢ માનવામાં આવે છે. સુરક્ષા દળોએ વિવિધ ઓપરેશનમાં 50 ટકા અથવા લગભગ 4000 ચોરસ કિલોમીટર જમીન પાછી મેળવી હોવાનો દાવો કર્યો છે. રાજ્યમાંથી છેલ્લું મોટું એન્કાઉન્ટર 3 સપ્ટેમ્બરે નોંધાયું હતું. જ્યારે દંતેવાડા અને બીજાપુર જિલ્લાની સરહદ પર છ મહિલાઓ સહિત નવ માઓવાદીઓ માર્યા ગયા હતા.

છત્તીસગઢ india દેશ