છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, 8 જવાન અને 1 ડ્રાઇવર શહીદ

Chhattisgarh : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો. ડીઆરજી જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો

Chhattisgarh : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો. ડીઆરજી જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Naxal IED blast Bijapur, Naxal IED blast

Chhattisgarh : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો (Photo: Special Arrangement)

Chhattisgarh : છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષાદળોના કાફલા પર હુમલો કર્યો છે. આ હુમલામાં 8 જવાનો સહિત એક ડ્રાઈવર શહીદ થયા છે. ડીઆરજી જવાન એક વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને નિશાન બનાવીને નક્સલવાદીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટક ભરેલું વાહન સુરક્ષા દળોના કાફલાની નજીક આવ્યું અને વિસ્ફોટ થયો હતો.

Advertisment

બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી સુંદરરાજ પી કહ્યું હતું કે દંતેવાડા, બીજાપુર અને નારાયણપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં 3 દિવસથી નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલી રહ્યું હતું જેમાં 5 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને આપણો એક જવાન શહીદ થયો હતો. આ પછી જ્યારે અમારી ટીમ પરત ફરી રહી હતી, ત્યારે માઓવાદીઓએ બીજાપુર જિલ્લાના અંબેલી વિસ્તારમાં IED પ્લાન્ટ કર્યો હતો, જેની ચપેટમાં સુરક્ષા દળોનું એક વાહન આવ્યું હતું. જેમાં 8 સૈનિકો અને એક ડ્રાઇવર શહીદ થયા હતા.

નકસલવાદીઓ પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા

દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરની સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન ચલાવીને પરત ફરી રહી હતી ત્યારે નકસલવાદીઓ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટ બપોરે 2:15 વાગ્યે થયો હતો. નક્સલવાદીઓ પહેલેથી જ ઘાત લગાવીને બેઠા હતા. આ હુમલામાં ડીઆરજી 8 જવાનો અને દંતેવાડાના ડ્રાઇવર સહિત 9 લોકો શહીદ થયા છે.

આ પણ વાંચો - પોરબંદરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડનું ચોપર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોના મોત

Advertisment

છત્તીસગઢના મુખ્યમંત્રીએ શું કહ્યું

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે કહ્યું કે બીજાપુર જિલ્લાના કુટરુમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED બ્લાસ્ટમાં ડ્રાઈવર સહિત 8 જવાનોના શહીદ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શહીદોના પરિવારો સાથે છે. હું શહીદ જવાનોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ પ્રદાન કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. બસ્તરમાં ચાલી રહેલા નક્સલ નાબૂદી અભિયાનથી નક્સલવાદીઓ હતાશ છે અને વિચલિત થઈને આવા કાયરતાપૂર્ણ કૃત્યો કરી રહ્યા છે. જવાનોની શહાદત વ્યર્થ નહીં જાય, નક્સલવાદને ખતમ કરવાની અમારી લડાઈ મજબૂત રીતે ચાલુ રહેશે.

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે કહ્યું કે આખો દેશ જાણે છે કે અમારી સરકારને સત્તામાં આવ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આપણા સૈનિકો નક્સલવાદ સામે જોરદાર લડાઈ લડી રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ સંકલ્પ કર્યો છે માર્ચ 2026 સુધીમાં આપણે નક્સલવાદને સમાપ્ત કરવાનો છે. મને વિશ્વાસ છે કે તેમનો સંકલ્પ પૂરો થશે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે, જેના કારણે તેઓ હતાશ છે. છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે કહ્યું કે જ્યારે પણ નક્સલીઓ વિરુદ્ધ મોટા ઓપરેશન કરવામાં આવે છે ત્યારે તેઓ આવા કાયરતાપૂર્ણ કૃત્યો કરે છે. તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકાર જે પગલાં લઈ રહી છે તેને વધુ તીવ્ર બનાવશે. આ સરકાર ડરતી નથી અને ઝૂકશે પણ નહીં.

છત્તીસગઢ Indian army india