સોનાની છડી, રત્નો અને…,પાંચ દશક પછી ખોલવામાં આવેલા બાંકે બિહારી મંદિરમાં ભોયરામાં શું-શું મળ્યું?

Mathura Banke Bihari Mandir Treasury Chamber : મથુરામાં 19 મી સદીના બાંકે બિહારી મંદિરનું ટ્રેઝરી ચેમ્બરને રવિવારે ફરીથી ખોલવામાં આવ્યું હતું. ગર્ભગૃહની બાજુમાં રહેલ આ ભોયરું છેલ્લે 1971માં ખોલવામાં આવ્યું હતું. ત્યારથી તિજોરીની અંદર શું છે તે વિશે ઉત્સુકતા હતી

Mathura Banke Bihari Mandir Treasury Chamber : મથુરામાં 19 મી સદીના બાંકે બિહારી મંદિરનું ટ્રેઝરી ચેમ્બરને રવિવારે ફરીથી ખોલવામાં આવ્યું હતું. ગર્ભગૃહની બાજુમાં રહેલ આ ભોયરું છેલ્લે 1971માં ખોલવામાં આવ્યું હતું. ત્યારથી તિજોરીની અંદર શું છે તે વિશે ઉત્સુકતા હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Banke Bihari treasure chamber opened

મથુરામાં 19 મી સદીના બાંકે બિહારી મંદિરના ગર્ભગૃહની બાજુમાં રહેલ આ ભોયરું છેલ્લે 1971માં ખોલવામાં આવ્યું હતું (તસવીર - સોશિયલ મીડિયા)

Mathura Banke Bihari Mandir Treasury Chamber Opens: મથુરામાં 19 મી સદીના બાંકે બિહારી મંદિરનું ટ્રેઝરી ચેમ્બરને રવિવારે ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ મંદિર સાડા પાંચ દાયકામાં પ્રથમ વખત ખોલવામાં આવ્યું હતું. નિરીક્ષણ કાર્ય હાથ ધરવા માટે આ ટ્રેઝરી ચેમ્બર ખોલવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત અધિકારીઓ, મંદિરના પૂજારીઓ અને સુરક્ષા રક્ષકોની સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Advertisment

ગર્ભગૃહની બાજુમાં રહેલ આ ભોયરું છેલ્લે 1971માં ખોલવામાં આવ્યું હતું. ત્યારથી તિજોરીની અંદર શું છે તે વિશેની ભ્રાતિઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2025ના આદેશમાં મંદિરના રોજિંદા કામકાજની દેખરેખ માટે અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારની અધ્યક્ષતામાં 12 સભ્યોની સમિતિની રચના કરી હતી. શનિવારે કમિટીના સભ્યોની દેખરેખમાં તોશખાનાના તાળા તોડી નાખવામાં આવ્યા હતા. પોલીસની સર્ચ ટીમ, સિટી મેજિસ્ટ્રેટ અને ચાર ગોસ્વામી પણ માસ્ક પહેરીને ચેમ્બરમાં પ્રવેશ્યા હતા.

ભોંયરામાં શું-શું મળ્યું?

એક સભ્યએ જણાવ્યું હતું કે ટીમને ગુલાલ વાળી ચાંદીની છડીઓ, એક ચમકતી સોનાની છડી, રત્નો અને કિંમતી વાસણો મળી આવ્યા હતા, પરંતુ સંપત્તિને લગતા કોઈ દસ્તાવેજો મળ્યા નથી. કેટલાક સભ્યોએ ગૂંગળામણની ફરિયાદ કર્યા બાદ તેઓ શનિવારે મંદિરના ભોંયરામાં ગયા ન હતા. એક સભ્યએ જણાવ્યું હતું કે રવિવારે ટીમે ફરીથી તોશખાનાની મુલાકાત લીધી હતી અને ભોંયરામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ યાદીમાં ઉમેરવા માટે કંઇ મળ્યું ન હતું.

મીડિયા સાથેની વાતચીતમાં કમિટીના સભ્ય દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભોયરાનો દરવાજો ખોલવાની પ્રક્રિયા શનિવારે બપોરે લગભગ 1.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને સાંજે સાડા ચાર વાગ્યા સુધી ચાલુ રહી હતી. તાળા તૂટી ગયા પછી ભોંયરા સુધીનો વિસ્તાર સાફ કરવામાં આવ્યો હતો. અમને ઘણાં વાસણો મળ્યા. એવું લાગે છે કે તેનો ઉપયોગ ઠાકુરજી (ભગવાન કૃષ્ણ) દ્વારા કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે આ મોટે ભાગે પિત્તળ અને તાંબાના બનેલા છે, પરંતુ અમે ખાતરી માટે કહી શકતા નથી કારણ કે તે ધૂળમાં ઢંકાયેલા છે. લાકડીઓ જોઈને લાગે છે કે ઠાકુરજી ચાંદીની લાકડીઓ પર હોળી રમતા હશે. ઘણી તિજોરી મળી આવી છે, જેમાંથી ઘણી ખોલી શકાઇ નથી.

Advertisment

બંને દિવસની પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી

દિનેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર તિજોરીમાંથી મળેલી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. બંને દિવસની આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે તોશખાનાની અંદર નિરીક્ષણનું કામ પૂર્ણ થઈ ગયું છે. શોધવા માટે કશું જ બચ્યું નથી. સિટી મેજિસ્ટ્રેટ રાકેશકુમાર સિંહે જણાવ્યું હતું કે તેઓ વધુ સમીક્ષા માટે સમિતિને અહેવાલ રજૂ કરશે.

આ પણ વાંચો - ગ્રીન ફટાકડા ખરેખર ઇકો ફ્રેન્ડલી હોય છે? જાણો નિષ્ણાંતો શું કહે છે

જોકે ચિંતાજનક બાબત એ છે કે ઘણા સંપત્તિના દસ્તાવેજો તિજોરીની અંદર મળવાની અપેક્ષા હતી, પરંતુ તે હજી સુધી મળ્યા નથી. મંદિરના ઇતિહાસકારો કહે છે કે 19 મી સદીના મંદિરના રેકોર્ડમાં ઘણા શાહી પરિવારો દ્વારા મંદિરને દાનમાં આપવામાં આવેલા દસ્તાવેજો, ભેટ પત્રો અને જમીનની માલિકીના કાગળોનો ઉલ્લેખ છે, જે તોશખાનામાં રાખવામાં આવ્યા હતા.

અરજદારે સીએમ યોગીને પત્ર લખ્યો

શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં અરજદાર રહેલા ધર્મગુરુ દિનેશ ફલાહારીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને મંદિરની સંપત્તિના મોટા પાયે ગેરવહીવટ અને ગાયબ થવાની સીબીઆઈ તપાસની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ દાનમાં આપવામાં આવી હતી. હવે તે દસ્તાવેજો ક્યાંય મળતા નથી.

ઉત્તર પ્રદેશ દેશ