એર ઇન્ડિયા પ્લેન ક્રેશ : AAIB પ્રાથમિક રિપોર્ટ જાહેર, થોડી વિગતો આપી, ઘણી છુપાવી!

air india plane crash ahmedabad : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું ત્યારથી તપાસની પ્રગતિ અંગેની સત્તાવાર માહિતી ઓછી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને ત્યાં સુધી કે ન્યૂઝ મીડિયામાં પણ બેતુકી અટકળો ચાલી રહી છે

air india plane crash ahmedabad : અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ થયું ત્યારથી તપાસની પ્રગતિ અંગેની સત્તાવાર માહિતી ઓછી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને ત્યાં સુધી કે ન્યૂઝ મીડિયામાં પણ બેતુકી અટકળો ચાલી રહી છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વચ્ચે એર ઇન્ડિયાનું મોટું નિવેદન, બોઇંગ કાફલામાં 'ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ'નું પરીક્ષણ પૂર્ણ

અમદાવાદમાં એર ઇન્ડિયાનુ પ્લેન ક્રેશ થયું હતું (Express Photo)

air india plane crash ahmedabad : કોઇ વિમાન દુર્ઘટનાની પ્રારંભિક તપાસ અહેવાલ સામાન્ય રીતે આટલો જ હોય છે. એક પ્રારંભિક સ્થિતિ અહેવાલ જે ક્રેશના સંજોગોની વિગતો આપે છે અને તપાસના પ્રારંભિક તબક્કામાં જાણીતા તથ્યો રજૂ કરે છે. AI 171 ક્રેશ પર 15-પાનાનો પ્રારંભિક અહેવાલ આપ્યો છે, પરંતુ પસંદગીયુક્ત રીતે. યોગ્ય સંદર્ભ, જરૂરી વિસ્તરણ અને સંબંધિત માહિતીના ખુલાસા વિના. તે વિગતોને જે રીતે શબ્દોમાં રજૂ કરવામાં આવી છે તેનાથી ઘણી અસ્પષ્ટતા પેદા કરે છે. આશ્ચર્યજનક રીતે જવાબો કરતાં વધુ પ્રશ્નો હોય તેવું લાગે છે. અકસ્માતના કારણો પર અટકળોનું સ્તર - જે રિપોર્ટના પ્રકાશન પછી મધ્યમ થવાની અપેક્ષા હતી - તે ફક્ત ઘણા સ્તરો ઉપર ગયું છે. જેમ એક નિષ્ણાતે કહ્યું કે અહેવાલ ઘણું બધું કહે છે, પરંતુ ખુલાસા ઓછા કરે છે અને મૂંઝવણને વેગ આપે છે.

Advertisment

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) તરફથી રિપોર્ટ, જે મધ્યરાત્રિએ AAIB વેબસાઇટ પર અપલોડ કરાયો હતો. નિષ્ણાતો દ્વારા ઉઠાવવામાં આવેલા વાસ્તવિક અને તકનીકી પ્રશ્નો અને રિપોર્ટમાં રહેલી માહિતીમાં સ્પષ્ટ ખામીઓ સમજાવવા માટે તરફથી કોઈ ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો નથી. ક્રેશ થયું ત્યારથી તપાસની પ્રગતિ અંગેની સત્તાવાર માહિતી ઓછી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા અને ત્યાં સુધી કે ન્યૂઝ મીડિયામાં પણ બેતુકી અટકળો ચાલી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ અત્યાર સુધી અકસ્માત અંગે માત્ર એક જ બ્રીફિંગ યોજી છે - 14 જૂનના રોજ, ક્રેશના બે દિવસ પછી - જ્યાં કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા. સત્તાવાર પ્રારંભિક અહેવાલ પ્રકાશિત થાય તે પહેલાં, તપાસની સ્થિતિ અંગે માત્ર થોડી પ્રેસ રિલીઝ હતી, જેમાં તારણો અંગે કોઈ વાસ્તવિક માહિતી ન હતી.

સત્તાવાર માહિતીના નિયમિત પ્રવાહના અભાવે, માહિતીનો એક શૂન્યાવકાશ સર્જાયો છે, જે બેતુકી અટકળો, ખોટી માહિતી અને ફર્જી સમાચારોથી ભરેલું છે. મૃત પાઇલટ્સ, એર ઇન્ડિયા, બોઇંગ, GE; તમારા લક્ષ્યને પસંદ કરો. એક જ ડેટા અને ઘટનાઓનું બહુવિધ અલગ અલગ રીતે અર્થઘટન કરવામાં આવે છે, જે તેની સમીક્ષા કોણ કરી રહ્યું છે તેના પર આધાર રાખે છે.

કોઈ ટાઇમ સ્ટેમ્પ નથી

પાઇલટ્સ વચ્ચે વાતચીતના એક સંક્ષિપ્ત રૂપમાં એક નિવેદનને સંપૂર્ણ સંદર્ભ વિના, સંક્ષિપ્ત રીતે અને સમયરેખા વિના રજૂ કરવામાં આવ્યું છે, જે સવાલ ઉભો કરે છે. શું સંપૂર્ણ ટ્રાન્સક્રિપ્ટ, જે નિશ્ચિત રુપે તપાસકર્તાઓ પાસે ઉપલબ્ધ છે. તેના બદલે ફક્ત આ એક વાક્યને પ્રકાશિત કરવું પ્રાસંગિક હતું? કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) ડેટા પરથી રિપોર્ટમાં જણાવાયું છે કે એક પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું કે તેણે ઇંધણ કેમ બંધ કરી દીધું, જેના જવાબમાં બીજા પાઇલટે કહ્યું કે તેણે આવું કર્યું નથી. પરંતુ તે પહેલાં અને પછી જે કહેવામાં આવ્યું હતું તે રિપોર્ટમાં ગેરહાજર છે.

Advertisment

આ વાતચીત કોના તરફ ઇશાપરો છે? શું તે પાઇલટની ભૂલ હતી - અજાણતાં કે ઇરાદાપૂર્વક? કે પછી તે કોકપીટમાં મૂંઝવણ દર્શાવે છે કે એન્જિનને ઇંધણ પુરવઠો કેવી રીતે અને શા માટે બંધ કરવામાં આવ્યો? આ ટૂંકી વાતચીતના પસંદગીયુક્ત ઉપયોગથી નિષ્ણાતો, ઉદ્યોગ જગતના જાણકારો અને સામાન્ય જનતા અનુમાન લગાવવા મજબૂર કરી દીધા છે, ઘણા લોકો તેમને યોગ્ય લાગે તેવો નિષ્કર્ષ કાઢે છે.

આ પણ વાંચો - શુભાંશુ શુક્લા પરત ફરતા માતા થયા ભાવુક, પરિવારમાં ઉત્સવનો માહોલ, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

CVR ખૂબ જ ધ્વનિ-સંવેદનશીલ છે અને સામાન્ય રીતે મામૂલી અવાજ પણ પકડી લેશે. પાયલોટની પેન કેબિની ફર્શ પર પડે તો પણ અવાજ આવી જાય છે. ટેક-ઓફ દરમિયાન કોકપીટમાં ઉચ્ચ-એમ્બિયન્ટ-અવાજવાળા વાતાવરણમાં પણ થાય છે. તેથી તે ખૂબ જ સંભવ છે કે કોઈપણ મેન્યુઅલ ફ્યુઅલ સ્વીચ ઓપરેશન CVR દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હશે, કારણ કે તે એક સ્પ્રિંગ-લોડેડ સ્વીચ છે જે ઉપર ખેંચવા અને તેના બે મોડ - RUN અને CUTOFF વચ્ચે લઇ જવા પર એક અલગ મેટાલિક ક્લિક અવાજ ઉત્પન્ન કરે છે. આ કામગીરીથી વાકેફ ઘણા લોકોએ કહ્યું છે.

અસ્પષ્ટતામાં વધારો કરે છે

RUN થી CUT OFF નું વર્ણન કરવા માટે "સંક્રમિત" શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે, જે અસ્પષ્ટતામાં વધારો કરે છે. અહેવાલમાં ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે સ્વીચો ભૌતિક રીતે ખસેડવામાં આવી હતી. છતાં જે રીતે તેની લખી અને સંરચિત કરી છે અને પસંદગીયુક્ત માહિતીના ઉપયોગથી ઘણા લોકો માને છે કે તે ગર્ભિત રીતે પાઇલટ્સ પર આંગળી ચીંધે છે, જેઓ અહીં પોતાનો બચાવ કરવા માટે હાજર નથી. અહેવાલમાં ટાંકવામાં આવેલા પાઇલટ્સ વચ્ચેના ટૂંકા વિનિમય પર કોઈ સમયનો ઉલ્લેખ પણ નથી.

તો પછી પ્રશ્ન એ છે કે CVR ટ્રાન્સક્રિપ્ટના સંપૂર્ણ અથવા વધુ વિગતવાર ભાગો કેમ જાહેર ન કરવામાં આવે? 2019 ના ઇથોપિયન એરલાઇન્સ બોઇંગ 737 MAX ક્રેશ પરના પ્રારંભિક અહેવાલમાં, ઇથોપિયન અધિકારીઓએ CVR માહિતીના નોંધપાત્ર ભાગો જાહેર કર્યા હતા. આ તે અકસ્માત હતો જેના કારણે તે સમયે બોઇંગ 737 MAX જેટન વિમાનોને દુનિયાભરમાં ઉડાનો માટે રોકવા પડ્યા હતા. જો CVR ટ્રાન્સક્રિપ્ટનો નોંધપાત્ર ભાગ રોકવાનું ખરેખર કોઈ યોગ્ય કારણ હોય તો પછી ફક્ત કેટલીક સંક્ષિપ્ત રેખાઓ શા માટે પ્રકાશિત કરવામાં આવી જે અટકળોમાં વધારો કરે છે?

બે ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો અને RUN થી CUTOFF મોડ્સ બદલવા વચ્ચે એક સેકન્ડનો સમય તફાવત એ પણ પ્રશ્ન ઉઠાવે છે કે શું પાઇલટ દ્વારા આટલી ઝડપથી ક્રમશઃ મેન્યુઅલી કરી શકાય છે. આનાથી કેટલાક પાઇલટ્સ એવું માને છે કે આ ઇલેક્ટ્રિકલ સિગ્નલો અથવા બોઇંગ 787 જેના પર ઓપરેશનલ રીતે ખૂબ આધાર રાખે છે તે સોફ્ટવેરમાં કોઈ ઊંડી સમસ્યાનો સંકેત આપે છે. પરંતુ જ્યારે વિમાનની ઇલેક્ટ્રિકલ અને અન્ય સિસ્ટમ્સની વાત આવે છે ત્યારે તપાસની સ્થિતિ અંગે પ્રારંભિક અહેવાલ સંપૂર્ણપણે મૌન છે.

અમદાવાદ પ્લેન ક્રેશ એરલાઇન્સ પ્લેન ક્રેશ અમદાવાદ ગુજરાત