Ajit Pawar Death: અજીત પવારનું પ્લેન ક્રેશ કેવી રીતે થયું? ખરાબ હવામાન કે ટેક્નિકલ ખામી શું છે મુખ્ય કારણ?

Ajit Pawar Plane Crash Reason: મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. બારામતી નજીક લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ સવાલ ઉભો થયો છે કે વિમાન ક્રેશ કેવી રીતે થયું?

Ajit Pawar Plane Crash Reason: મહારાષ્ટ્રના નાયબ સીએમ અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. બારામતી નજીક લેન્ડિંગ વખતે પ્લેન ક્રેશ થતા વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ સવાલ ઉભો થયો છે કે વિમાન ક્રેશ કેવી રીતે થયું?

author-image
Ajay Saroya
New Update
Ajit Pawar Death | Ajit Pawar Plane Crash Reason | Ajit Pawar Death Reason

Ajit Pawar Plane Crash Reason : અજીત પવારનું પ્લેન ક્રેશ કેમ થયું તેની તપાસ ચાલી રહી છે. Photograph: (Express Photo)

Ajit Pawar Plane Crash Reason: અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે. 28 જાન્યુઆરી, 2026 બુધવારે સવારે બારામતી નજીક મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચ્યો છે. આ ઘટના બાદ સવાલ એ છે કે અજિત પવારનું વિમાન ક્રેશ કેવી રીતે થયું અને તે સમયે શું સ્થિતિ હતી?

Advertisment

મળતી માહિતી મુજબ અજિત પવાર મુંબઈ થી પોતાના વતન બારામતી જઈ રહ્યા હતા. ત્યાં તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાં ભાગ લેવાના હતા. વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા. ફ્લાઇટ દરમિયાન અચાનક હવામાન બગડ્યું હતું. આકાશમાં ગાઢ વાદળો, ભારે પવન અને ઓછી વિઝિબિલિટી પાઇલટ માટે મોટો પડકાર હતો.

શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે સંતુલન બગડ્યું હતું અને વિમાનને ઇમરજન્સીમાં લેન્ડ કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો, પરંતુ પછી અકસ્માત સર્જાયો હતો.

Advertisment

Ajit Pawar Plane Crashes
મહારાષ્ટ્રના Dy CM અજિત પવારનું બારામતીમાં વિમાન ક્રેશ Photograph: (social media)

અકસ્માતનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનો પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. આ સમાચાર મળતા જ વરિષ્ઠ અધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર મુસાફરોને સલામત રીતે બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે કમનસીબે અજીત પવાર સહિત તમામ 5 મુસાફરોના મોત થયા છે.

આ પણ વાંચો | અજીત પવાર પાસે 75 કિલો ચાંદી અને કરોડોની પ્રોપર્ટી, જાણો કેટલી સંપત્તિના માલિક હતા

જો કે, અકસ્માત પાછળના વાસ્તવિક કારણો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમાં કોઈ ટેક્નિકલ ખામી હતી કે ખરાબ હવામાન જવાબદાર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે 66 વર્ષીય અજિત પવારનું વિમાન પુણેના બારામતી વિસ્તારમાં લેન્ડ કરવાની તૈયારી રહ્યું હતું. હાલમાં, આ ઘટનાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે અને તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે.

politics અજિત પવાર દેશ પ્લેન ક્રેશ મહારાષ્ટ્ર