/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/passenger-plane-missing.jpg)
રશિયામાં યાત્રી વિમાન ગાયબ - photo- X
Russian Passenger Plane missing News: રશિયામાં ચીનની સરહદ નજીક એક પેસેન્જર વિમાન ગુમ થયું છે. વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલમાં, An-24 નામના આ પેસેન્જર વિમાનમાં લગભગ 50 લોકો સવાર હોવાના અહેવાલ છે. રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS અહેવાલ આપે છે કે વિમાન ટિંડા માટે ઉડાન ભરી હતી પરંતુ ગંતવ્ય સ્થાનની નજીક પહોંચતાની સાથે જ તેનો એર ટ્રાફિક કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. એવું કહેવાય છે કે આ વિમાન ચીનની સરહદ નજીક ગુમ થઈ ગયું છે.
TASS અહેવાલ મુજબ, પેસેન્જર વિમાન અંગારા એરલાઇન્સનું હતું અને જ્યારે તેનો છેલ્લે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે ટિંડા એરપોર્ટથી થોડા કિલોમીટર દૂર હતું. ત્યારથી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ વિસ્તાર ચીનની સરહદની ખૂબ નજીક આવેલો છે અને આ વિસ્તારમાં હવામાન લગભગ હંમેશા ખૂબ જ ખરાબ રહે છે, જેના કારણે વિમાનો માટે ઉડાન ભરવી ખૂબ જ પડકારજનક બને છે.
#Breaking news from #Russia: an An-24 passenger plane operated by Angara Airlines, carrying around 46 people, has gone missing in the Amur region. The plane, with approximately 46 people lost contact with ATC near Tynda.
DD India’s @AkshayDongare_ brings more updates. pic.twitter.com/HG76HxBfhG— DD India (@DDIndialive) July 24, 2025
રશિયાની રાજ્ય સમાચાર એજન્સી TASS અને SHOT ન્યૂઝ આઉટલેટે તેમના અહેવાલોમાં જણાવ્યું છે કે ગુમ થયેલા પેસેન્જર વિમાનના અહેવાલ આવતાની સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર અને ઉડ્ડયન સત્તાવાળાઓએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી દીધી હતી. જંગલો અને પર્વતીય વિસ્તારોમાં બચાવ ટીમો મોકલવામાં આવી છે.
એવી આશંકા છે કે વિમાન ક્રેશ લેન્ડ થયું હશે અથવા સંદેશાવ્યવહાર વ્યવસ્થામાં ખામીને કારણે વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો હશે. અમુર પ્રદેશ, જ્યાં વિમાન ગુમ થયું છે, તે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મુશ્કેલ વિસ્તાર છે. અહીં ખૂબ જ ઠંડી છે અને પર્વતીય વિસ્તાર છે.
આ પણ વાંચોઃ- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા બ્રિટિશ નાગરિકોના પરિવારોને ‘ખોટા મૃતદેહો’ મળ્યા? ભારતે આપી પ્રતિક્રિયા
અહીં ગાઢ જંગલો છે, ઉબડખાબડ વિસ્તારો છે. આ ઉપરાંત, હવામાનમાં અચાનક ફેરફાર થાય છે. તેથી, પાઇલટ્સ માટે આ વિસ્તારમાંથી વિમાનો ઉડાડવાનું ખૂબ જ મુશ્કેલ છે. જો કે, તે પછી પણ, તકનીકી ખામી અથવા સંદેશાવ્યવહાર વ્યવસ્થામાં નિષ્ફળતાની શક્યતાને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us