અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં કોર્ટને કહ્યું, 'તેઓ AAP ને તોડવા માગે છે, હું તપાસ માટે તૈયાર છું…'

અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હી રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા, કેજરીવાલે કોર્ટને કહ્યું, ઈડી પાસે બે હેતુ, આપ ને કચડવી અને ખંડણીનું રેકેટ ઉભુ કરવું, આ બધુ રાજકીય ષડયંત્ર છે.

અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હી રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા, કેજરીવાલે કોર્ટને કહ્યું, ઈડી પાસે બે હેતુ, આપ ને કચડવી અને ખંડણીનું રેકેટ ઉભુ કરવું, આ બધુ રાજકીય ષડયંત્ર છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal Liquor Scam Case, Arvind Kejriwal

અરવિંદ કેજરીવાલ (ફોટો - અભિનવ સાહા - એક્સપ્રેસ)

Arvind Kejriwal Arrest ED : સીએમ અરવિંદ કેજરીવાલને દિલ્હીના દારૂ કૌભાંડ કેસમાં રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ટ્રાયલ કોર્ટે સીએમ કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે પોતાના આદેશમાં કેજરીવાલને રિમાન્ડની મુદત પૂરી થયા બાદ બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં જતા પહેલા કેજરીવાલે કહ્યું હતુ કે, આ એક રાજકીય ષડયંત્ર છે અને પ્રજા તેનો જવાબ આપશે.

Advertisment

અરવિંદ કેજીવાલે કોર્ટને શું કહ્યું?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાઉઝ એવન્યુ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે, તેમણે મનીષ સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણા અમલદારો અને ધારાસભ્યો નિયમિતપણે તેમના નિવાસસ્થાને આવતા હતા. શું જુદા જુદા લોકો દ્વારા કરવામાં આવેલા ચાર નિવેદનો વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતા છે?

રાઉસ એવન્યુ કોર્ટમાં સીએમ કેજરીવાલે ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે નિવેદન આપ્યું અને કહ્યું કે, ભાજપને પૈસા મળી રહ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલના નિવેદનનો વિરોધ કર્યો છે.

આ કેસમાં લોકોને દબાણ પૂર્વક સરકારી સાક્ષી બનાવવામાં આવી રહ્યા

કેજરીવાલે તેમની ધરપકડ પાછળ રાજકીય ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ કેસમાં લોકોને સરકારી સાક્ષી બનાવવામાં આવી રહ્યા છે અને તેમના નિવેદન બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

Advertisment

તેમણે વધુમાં કહ્યું કે, આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ 100 કરોડનું કૌભાંડ હતું. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે, પૈસાની લેવડદેવડ હજુ સુધી મળી નથી. ED નો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો છે.

આ પણ વાંચો – શું કેજરીવાલ જેલમાંથી સરકાર માટે આદેશો જાહેર કરી શકે છે? સમજો નિયમ

ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટમાં પણ આજે અરવિંદ કેજરીવાલની દારૂ કૌભૌંડ કેસમાં ઈડી દ્વારા ધરપકડ થયા બાદ તેમને સીએમ પદેથી હટાવવા માટે પીઆઈએલની અરજી પર સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવતા કહ્યું, આ મામલો કોર્ટના ન્યાયિક અધિકારક્ષેત્રનો નથી, એલજીએ આ અંગે નિર્ણય લેવો પડે. વધુ વિગત જાણવા અહીં ક્લિક કરો.

ગુજરાતી ન્યૂઝ અરવિંદ કેજરીવાલ દેશ આપ