/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/poonch-terror-attack-jammu-kashmir.jpg)
થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરમાં ભારતીય વાયુસેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. (Express Photo)
Jammu Kashmir : કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારે થયેલા એન્કાઉન્ટરમાં આતંકીઓ ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનોએ ઓસ્ટ્રિયામાં બનેલી સ્ટેયર એયુજી એસોલ્ટ રાઇફલ મળી આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. ગુરુવારે સુરક્ષા દળોને નિયંત્રણ રેખા (એલઓસી) પર શંકાસ્પદ હિલચાલની જાણ થયા પછી ગોળીબાર શરૂ થયો હતો અને જ્યારે તેને પડકારવામાં આવ્યો ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે મળી આવેલી વસ્તુઓમાં સ્ટેયર એયુજી એસોલ્ટ રાઇફલ પણ સામેલ છે. આ ઉપરાંત બે વિદેશી આતંકીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું હતું.
સ્ટેયર એયુજી એસોલ્ટ રાઇફલ કેટલી ખતરનાક છે?
સ્ટેયર એયુજી ગેસ-પિસ્ટન સંચાલિત એસોલ્ટ રાઇફલ છે, જે એક બંધ બોલ્ટમાંથી ફાયર કરે છે. તેને મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેને તરત જ એસોલ્ટ રાઇફલ, એક કાર્બાઇન, સબમશીન ગન અને ઓપન-બોલ્ટ લાઇટ મશીનગન તરીકે પણ ગોઠવી શકાય છે.
આતંકીઓ પહેલાથી જ અમેરિકા નિર્મિત એમ-4 કાર્બાઇન રાઇફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા દળોએ મળી આવી હતી. એમ-4નો ઉપયોગ મોટાભાગે જમ્મુ-કાશ્મીરમાં કાર્યરત ટોચના કમાન્ડરો અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે રાઇફલ્સ અપગ્રેડ કરવામાં આવી છે અને તેમાં નાઇટ વિઝન ડિવાઇસ છે.
આ પણ વાંચો - દેશના બે પૂર્વ આર્મી ચીફના પુસ્તકો લૉન્ચ થતા અટક્યા, આ છે કારણ, કારગિલ યુદ્ધ સાથે છે સંબંધ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ પી વૈદે કહ્યું કે પાકિસ્તાનની આઈએસઆઈને નાર્કો વેપારના માધ્યમથી ઘણા પૈસા મળ્યા છે. તેઓ તેનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં ઉપયોગ કરવા માટે શસ્ત્રો ખરીદવા માટે કરી રહ્યા છે. સ્ટેયર એયુજીને એક મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે.
નાટોએ પણ આ રાઇફલનો ઉપયોગ કર્યો હતો
સુરક્ષા નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઓસ્ટ્રિયા બનાવટની એસોલ્ટ રાઇફલ સ્ટેયર એયુજીનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાટો દળો દ્વારા કરવામાં આવ્યો હતો અને જ્યારે નાટો દળો 2021માં એક કરાર હેઠળ ત્યાં રવાના થયા હતા, ત્યારે તાલિબાન દ્વારા ઘણા શસ્ત્રો લૂંટી લેવામાં આવ્યા હતા અથવા ત્યાં છોડી દેવામાં આવ્યા હતા. પાછળથી આવા હથિયારોનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું હતું. આ રાઈફલનો ઉપયોગ પાકિસ્તાનમાં એસએસજી પણ કરી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us