Ayodhya: અયોધ્યામાં હનુમાન ગઢીના મુખ્ય પૂજારી પરંપરા તોડશે, અક્ષય તૃતીયા પર રામ મંદિરના દર્શન કરશે; જાણો કેમ મનાઈ હતી

Ayodhya Hanuman Garhi Darshan: અયોધ્યાનું રામ મંદિર જેમ હનુમાન ગઢી પણ ખાસ મંદિર છે. હનુમાન ગઢીનું પોતાનું 200 વર્ષ જૂનું બંધારણ છે. હનુમાન ગઢીના મુખ્ય પૂજારીને મંદિર પરિસર માંથી બહાર જવાની મનાઇ છે.

Written by Ajay Saroya
April 29, 2025 11:46 IST
Ayodhya: અયોધ્યામાં હનુમાન ગઢીના મુખ્ય પૂજારી પરંપરા તોડશે, અક્ષય તૃતીયા પર રામ મંદિરના દર્શન કરશે; જાણો કેમ મનાઈ હતી
Ayodhya Hanuman Garhi Darshan : અયોધ્યાનું હનુમાન ગઢી મંદિર. (Photo: Social Media)

Ayodhya Hanuman Garhi Darshan: અયોધ્યામાં 30 એપ્રિલ અખાત્રીજના દિવસે એક ઐતિહાસિક ક્ષણ જોવા મળવાની છે. હનુમાન ગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમ દાસ સદીઓ જૂની પરંપરા તોડીને પ્રથમ વખત રામ મંદિરની યાત્રા કરવાના છે. આ યાત્રા માત્ર 1.6 કિલોમીટરની છે, પરંતુ તેનું પ્રતિકાત્મક મહત્વ એટલુ વધારે છે કે અયોધ્યા સહિત દેશભરમાં આ વિશે ઉત્સુકતા ચરમસીમા પર છે. કારણ કે હનુમાન ગઢીનો સ્પષ્ટ નિયમ છે – મુખ્ય પૂજારી ગાદી નશીન, હનુમાન ગઢી મંદિર પરિસરની બહાર જઈ શકતા નથા.

અયોધ્યા હનુમાન ગઢીના કડક નિયમ

હનુમાન ગઢીનું આ બંધારણ લગભગ 200 વર્ષ જૂનું છે, જેનું પાલન બાબા અભયદાસ જી મહારાજના સમયથી થઈ રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, ગાદી નશીન માત્ર મંદિર સંકુલ સુધી જ મર્યાદિત છે – જે લગભગ 52 વીઘા (0.13 ચોરસ કિલોમીટર) જમીન વિસ્તારમાં ફેલાયેલું છે. અત્યાર સુધી, આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હતું, અને તાજેતરના દાયકાઓમાં ફક્ત એક જ વાર ગાદી નાશી હોસ્પિટલમાં દાખલ થવાને કારણે મંદિર પરિસર માંથી બહાર ગયા હતા.

Hanuman Garhi Story : હનુમાન ગઢી મંદિરની કથા

માન્યતા છે કે જ્યારે ભગવાન રામચંદ્રજીએ આ ધરતીથી વિદાય લીધી તો તેમણે પોતાનું રાજ્ય હનુમાનને સોંપ્યું, અને હનુમાન ગઢીથી રામ જન્મભૂમિનું ધ્યાન રાખ્યું. આ કારણે હનુમાનને રાજા માનવામાં આવે છે અને અયોધ્યામાં ગાદી નશીનને તેમના પ્રતિનિધિ માનવામાં આવે છે.

હનુમંત સંસ્કૃત વિદ્યાલયના ઉપદેશક અને પ્રેમ દાસના અગ્રણી શિષ્ય ડો.મહેશ દાસના જણાવ્યા અનુસાર, જ્યારે પણ હનુમાનજીને કોઈ ધાર્મિક સમારોહમાં આમંત્રિત કરવામાં આવે છે, ત્યારે હનુમાનજીની ચાંદી અને સોનેરી દોરાથી બનેલી તસવીર સાથેનો ધ્વજ – તેમના પ્રતીક તરીકે મોકલવામાં આવે છે, નહીં કે ગાદી નિશાન સ્વયં જાય છે. આ જ કારણ છે કે પ્રેમદાસની આ યાત્રાને અસાધારણ અને ઐતિહાસિક માનવામાં આવે છે. આ યાત્રા અંગે તેઓ કહે છે કે તેમને સપનામાં રામ મંદિર આવવાનો આદેશ ખુદ હનુમાનજીએ આપ્યો છે.

21 એપ્રિલના રોજ આ વિષય પર નિર્વાણી અખાડાની એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં લગભગ 400 પંચોએ વિચાર-વિમર્શ કર્યો હતો. આખરે સર્વાનુમતે નક્કી થયું કે મહંતને ભગવાનનો આદેશ મળ્યો હોવાથી તેઓ રામ મંદિરના દર્શન કરી શકે છે. આ પછી મહંત પ્રેમદાસની શાહી યાત્રાનું આયોજન 30 એપ્રિલ એટલે કે અક્ષય તૃતીયાના રોજ કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા એક રથ પર થશે, જેમાં હાથી, ઘોડા, ઊંટ, ચાંદીની છત્રી અને હજારો અનુયાયીઓ હશે. તેઓ હનુમાન ગઢીના વીઆઈપી ગેટથી પ્રસ્થાન કરશે અને સુરક્ષા કારણોસર રામ મંદિર સંકુલમાં પ્રવેશતા પહેલા રથને એક જગ્યાએ રોકી ગેટ નંબર 3 માંથી પ્રવેશ કરશે.

મહંત પ્રેમદાસ રામ મંદિરમાં ભગવાન રામને 56 ભોગ અને વિવિધ પ્રસાદ અર્પણ કરશે. આ દૃષ્ટિકોણ એક ધાર્મિક અને સાંસ્કૃતિક સંગમ તરીકે ઉભરી આવશે, જેમાં પરંપરા અને આસ્થા બંનેનો શંખનાદ સંભળાશે.

જો કે આ યાત્રાને સત્તાવાર રીતે ધાર્મિક કહેવામાં આવી રહી છે, પરંતુ રાજકીય વર્તુળોની નજર પણ તેના પર ટકેલી છે. હનુમાન ગઢીએ અત્યાર સુધી રામ મંદિરના આંદોલનથી અંતર જાળવ્યું છે, પરંતુ રાહુલ ગાંધી જેવા નેતાઓએ રામ જન્મભૂમિ જવાનું ટાળ્યું છે, જ્યારે બીજી બાજુ તેમણે હનુમાન ગઢીમાં પૂજા કરી છે. આવી સ્થિતિમાં મહંત પ્રેમદાસની આ મુલાકાતમાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સંભવિત રાજકીય સંદેશા પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ