/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bangladesh-Big-fire.jpg)
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં શોપિંગ મોલમાં ભીષણ આગ, - photo - Social media
Bangladesh Big fire, બાંગ્લાદેશ આગ: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગુરુવારે મોડી રાત્રે ભીષણ આગ જોવા મળી હતી. અહીંના છ માળના શોપિંગ મોલમાં લાગેલી આગમાં 43 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો દાઝી ગયા હતા. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાના સમાચાર મળી રહ્યા છે. આગથી દાઝેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રી સમંથા લાલ સેને જણાવ્યું કે આગ ગુરુવારે મોડી રાત્રે ઢાકાના ડાઉનટાઉન વિસ્તારમાં લાગી હતી. ફાયર ફાઈટરોએ બચી ગયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં 43 લોકોના મોત થયા હતા. જ્યારે 22 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ આગ: મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
માહિતી આપતાં સ્વાસ્થ્ય મંત્રી સમંથા લાલ સેને જણાવ્યું કે ફાયર ફાયટરોએ શોપિંગ મોલની અંદરથી મૃતદેહોને બહાર કાઢ્યા. સેને જણાવ્યું હતું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલાઓ અને બાળકો સહિત 33 લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે 10 લોકોને શેખ હસીના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ બર્ન એન્ડ સર્જરી માં ખસેડવામાં આવ્યા છે.
બાંગ્લાદેશ આગ: મૃતકોની કુલ સંખ્યા 44 પર પહોંચી
હસીનાને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરીમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોલીસ મહાનિરીક્ષકે પાછળથી સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં વધુ એક મૃત્યુની પુષ્ટિ કરી, કુલ સંખ્યા 44 પર પહોંચી. આગની આ ઘટના બેઈલી રોડ વિસ્તારના શોપિંગ મોલમાં બની છે, જ્યાં ઘણી રેસ્ટોરાં છે.
#WATCH | A massive fire that raced through a six-storey building overnight in Bangladesh's capital Dhaka has killed at least 43 people and injured dozens, the country's health minister said. 22 others are being treated at hospitals with burn wounds: Reuters
(Video Souce:… pic.twitter.com/eYCUMJG6tQ— ANI (@ANI) March 1, 2024
બાંગ્લાદેશ આગ: મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ શોપિંગ મોલના પહેલા માળે સ્થિત એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાંથી શરૂ થઈ હતી. આ પછી, થોડી જ વારમાં આખા શોપિંગ મોલમાં આગ લાગી ગઈ. ઘણી રેસ્ટોરન્ટમાં ગેસ સિલિન્ડર હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર ફસાયા હતા. શોપિંગ મોલમાં આગ લાગવાના કારણની તપાસ માટે ફાયર વિભાગે એક ટીમની રચના કરી છે.
આ પણ વાંચોઃ- World Civil Defence Day 2024 : વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે કેમ ઉજવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર જનરલ બ્રિગેડિયર એમ.ડી. મૈનુદ્દીને જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની અનેક ટીમો તૈનાત કરવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. અગ્નિશામકોએ જણાવ્યું હતું કે શોપિંગ મોલની અંદરથી ઓછામાં ઓછા 75 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી 42 બેભાન હતા.
બાંગ્લાદેશ આગ: “કચ્છી ભાઈ” રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ 9:45 વાગ્યે આગ ફાટી નીકળી હતી
ઢાકા ટ્રિબ્યુન અનુસાર, પહેલા માળે આવેલી “કચ્છી ભાઈ” રેસ્ટોરન્ટમાં રાત્રે લગભગ 9:45 વાગ્યે આગ ફાટી નીકળી હતી, જે ઝડપથી અન્ય સ્તરોમાં ફેલાઈ ગઈ હતી જ્યાં ગ્રાહકો જમતા હતા. બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી), રેપિડ એક્શન બટાલિયન (આરએબી), જનરલ અંસાર અને અંસાર ગાર્ડ બટાલિયન (એજીબી) ના સમર્થન સાથે કેટલીક ફાયર બ્રિગેડ ટીમોએ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, દાદરમાં ધુમાડાના કારણે લોકો માટે તાત્કાલિક બિલ્ડિંગમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us