India Bangladesh Relation: USમાં પીએમ મોદીને કેમ મળવા માંગે છે મોહમ્મદ યુનુસ? હિંસા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી

India Bangladesh Relation News: બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે પીએમ મોદીએ ત્યાંની વચગાળાની સરકારને લઘુમતીઓની સુરક્ષા માટે અપીલ કરી. આ સાથે જ શેખ હસીનાના ભારતમાં રહેવા અંગે બાંગ્લાદેશ તરફથી આક્રમક નિવેદનો આવ્યા હતા.

Written by Ajay Saroya
September 08, 2024 07:49 IST
India Bangladesh Relation: USમાં પીએમ મોદીને કેમ મળવા માંગે છે મોહમ્મદ યુનુસ? હિંસા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ (Photo: PMO India/ Muhammad Yunus/ X)

India Bangladesh Relation News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવા માટે અમેરિકા પ્રવાસ પર જવાના છે. અહીં તેઓ બીજા ઘણા કાર્યક્રમોમાં પણ ભાગ લે તેવી ચર્ચા છે. આ દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું છે કે તેઓ અમેરિકામાં પીએમ મોદીને મળવા માંગે છે.

બીજી તરફ આ મુદ્દે ભારત તરફથી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં યુનુસ પીએમ મોદીને મળશે કે નહીં તે નક્કી નથી. તેને ભારત સરકારની કૂટનીતિ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે બાંગ્લાદેશમાં હિંસા બાદ મોહમ્મદ યુનુસ અને સરકારમાં તેમના ઘણા સલાહકારોએ ભારત વિશે વિવાદિત નિવેદનો આપ્યા છે.

હકીકતમાં ઢાકા સ્થિત પોતાના સત્તાવાર નિવાસ સ્થાને પીટીઆઈ સાથેની મુલાકાતમાં મોહમ્મદ યુનુસે સાર્ક દેશોના સંગઠનને મજબૂત કરવા માટે પીએમ મોદીને મળવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજનલ કોઓપરેશન (સાર્ક)ની રચના એક ઉમદા હેતુથી કરવામાં આવી હતી પરંતુ હવે તે માત્ર કાગળ પર છે અને કામ કરી રહી નથી. આ રિજનલ ગ્રૂપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ્સ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.

યૂનૂસ પીએમ મોદીને મળવા માટે ઉત્સુક

મોહમ્મદ યુનુસે ઇન્ટરવ્યુ દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે તેઓ આ મહિનાના અંતમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો પ્રયાસ કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ સાર્ક દેશોના વડાઓને ફોટો ઓપ માટે એક સાથે લાવવાનો પ્રયાસ કરશે. બાંગ્લાદેશમાં રોહિંગ્યાઓની ઘૂસણખોરીના મુદ્દે બોલતા યુનુસે કહ્યું હતું કે મ્યાનમારને તેની વસ્તી પાછી લેવા માટે રાજી કરવા માટે તે ભારત પાસે મદદ લેશે.

રોહિંગ્યા મુદ્દે ભારત પાસે મદદ માંગશે

યુનુસે એમ પણ કહ્યું હતું કે ઢાકાને કટોકટીનો સામનો કરવા માટે ભારત અને ચીન બંનેની મદદની જરૂર છે. બાંગ્લાદેશમાં લગભગ 10 લાખ લોકો પહોંચી ગયા છે અને હવે આ વસ્તી વધી રહી છે. જેના કારણે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર જબરદસ્ત દબાણ આવી રહ્યું છે. કેટલાક દેશો તેમને લઈ રહ્યા છે પરંતુ ઓછી સંખ્યામાં, કારણ કે મ્યાનમાર સાથે ભારતના સારા સંબંધો છે, તેથી અમને મ્યાનમારને પાછા લેવા માટે સમજાવવા માટે ભારતની મદદની જરૂર છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધો પણ સુસ્ત થયા?

મહત્વનું છે કે, બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે થયેલી સત્તાપલટા અને વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવતા પીએમ મોદીએ દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવાની માગણી કરી હતી. આ હોવા છતાં, આ ઘટનાઓ બાંગ્લાદેશમાં અટકી ન હતી, પરંતુ તે વધી ગઇ હતી. આ સાથે જ મોહમ્મદ યુનુસ સરકારે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના ભારત વિશે પણ ભારત વિરોધી નિવેદનો આપ્યા હતા.

વિદેશી બાબતોના સલાહકારે તો હસીનાના પ્રત્યાર્પણ અંગે તો એમ પણ કહ્યું હતું કે જો આવું થયું તો તે ભારત માટે કઠોર બાબત બની શકે છે. આવી સ્થિતિમાં મોહમ્મદ યુનુસની પીએમ મોદીને મળવાની માંગ સ્વીકારવામાં આવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ