/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/bansuri-swaraj.jpg)
બાંસુરી સ્વરાજ ભાજપના સ્વર્ગીય નેતા સુષ્મા સ્વરાજના પુત્રી અને વકીલ છે. (Photo - @BansuriSwaraj)
Bansuri Swaraj BJP Candidate Lok Sabha Elections : ભાજપની લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ ઉમેદવાર યાદીમાં સૌથી અણધાર્યું નામ 40 વર્ષીય બાંસુરી સ્વરાજનું છે. તે ભાજપના સ્વર્ગીય વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજની પુત્રી છે. બાંસુરી સ્વરાજને નવી દિલ્હીથી ટિકિટ આપવામાં આવતા ભાજપના લોકો પણ આશ્ચર્યમાં છે.
ભાજપના નેતાઓને આશ્ચર્ય થવાનું એકમાત્ર કારણ એ નથી કે ટોચના નેતૃત્વએ નવી દિલ્હી જેવી હાઈ-પ્રોફાઈલ બેઠક માટે એકદમ નવા વ્યક્તિની પસંદગી કરી છે. એક વાત એ પણ છે કે, લાલકૃષ્ણ અડવાણીના શિષ્ય સુષમા સ્વરાજે 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામનો વિરોધ કર્યો હતો.
ભાજપે દિલ્હીની સાતમાંથી પાંચ લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગયા વર્ષે ચૂંટણી જીતેલા માત્ર એક મનોજ તિવારીને છોડીને ભાજપે ચાર સાંસદોની ટિકિટ રદ કરી છે. નવી દિલ્હીથી મીનાક્ષી લેખીની ટિકિટ રદ્દ કરીને બાંસુરી સ્વરાજને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે અને મજબૂત ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં, ભાજપ તમામ લોકસભા ચૂંટણી 2024 માટે છટકબારીઓને દૂર કરવામાં સક્ષમ હશે.
શું બાંસુરી સ્વરાજ પાસે 'જાયન્ટ કિલર' બનવાની તક છે?
બાંસુરી સ્વરાજના નામની જાહેરાત સાથે ભાજપે રાજધાનીમાં ચૂંટણી માટે વાતાવરણ તૈયાર કરી દીધું છે. જો તે આ બેઠક પરથી AAPના સોમનાથ ભારતીને હરાવવામાં સફળ થાય છે, તો તે દિલ્હી ભાજપમાં મજબૂત નેતા તરીકે ઉભરી આવશે.
તમને જણાવી દઈએ કે સોમનાથ ભારતી નવી દિલ્હી સીટ પરથી પ્રબળ દાવેદાર છે.
"नई दिल्ली की जनता ने ठाना है, मोदी जी को 400 पार ले जाना है!"
नई दिल्ली लोकसभा से भाजपा प्रत्याशी बनाए जाने पर आर्य समाज, मालवीय नगर में स्थानीय निवासियों और कार्यकर्ताओं के साथ संवाद किया।
इस अवसर पर नई दिल्ली ज़िला अध्यक्ष श्री @rrana69 जी, प्रदेश के निवासी व विभिन्न… pic.twitter.com/Rh7xzzEwrX— Bansuri Swaraj (Modi Ka Parivar) (@BansuriSwaraj) March 9, 2024
બાંસુરી સ્વરજાની જીત અરવિંદ કેજરીવાલ માટે પણ ફટકો હશે કારણ કે તેઓ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. અત્યાર સુધી બાંસુરી વકીલાતની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે ટીવી પર આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ભાજપ ની સ્થિતિ રજૂ કરીને ટોચના નેતૃત્વને પ્રભાવિત કર્યા. તેઓ સુષ્મા સ્વરાજની બોલવાની કુશળતાને હજુ પણ યાદ કરે છે તેઓ તેમની પુત્રી સાથે સરળતાથી સંબંધ બાંધી શકે છે.
સુષ્મા સ્વરાજ જ્યારે હરિયાણામાં પ્રથમ વખત મંત્રી બન્યા ત્યારે માત્ર 25 વર્ષના હતા.તેઓ કટોકટી દરમિયાન અને પછી ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ટોચના પ્રચારકોમાંના એક હતા.
કટોકટી દરમિયાન સુષ્મા સ્વરાજ મહિલાઓ સાથે કેવી રીતે જોડાયા?
જૂના લોકો ખાસ કરીને ગામડાઓમાં મહિલાઓ સાથે તાલમેલ બનાવવાની સુષ્મા સ્વરાજની પ્રતિભાને યાદ કરે છે. તેમની એક પદ્ધતિ સામાન્ય રીતે ભીડને પૂછવાની હતી, શું અહીં કૌશલ્યા નામની કોઇ મહિલા છે? (રામાયણમાં રામની માતાનું નામ કૌશલ્ય છે).
સુષ્મા સ્વરાજના આ સવાલ પર અનેક હાથ આપોઆપ ઉપર ચઢી ગયા. ફરી તેઓ પૂછતા કે શું સુમિત્રા (લક્ષ્મણની માતા) નામની સ્ત્રી છે? ત્યારે ફરી હાથ ઉંચા કરવામાં આવતા, ત્યાર બાદ કેઓ ફરી પુછતા : શું કોઈ એવું છે જેણે પોતાની પુત્રીનું નામ કૈકેયી (કૌશલ્યા અને સુમિત્રા ઉપરાંત રાજા દશરથની ત્રીજી પત્ની) રાખ્યું છે, જેણે રામને વનવાસમાં મોકલવા અને તેના પુત્ર ભરતને રાજા બનાવવા માટે પોતાના પતિ પર દબાણ કર્યું હતું?
જ્યારે મહિલાઓ એક અવાજમાં ના જવાબ આપતી, ત્યારે સુષ્મા સ્વરાજ પોતાના પત્તા ખોલતા હતા. તેઓ મહિલાઓને કહેતી કે, ઇન્દિરા ગાંધીએ અન્યના ખર્ચે તેમના પુત્ર સંજયનો "રાજભિષેક" કરવા માટે કૈકેયી જેવું વર્તન કર્યું હતું. સુષ્માની આ વાત સાંભળીને મહિલાઓએ માથું હલાવીને હા પાડી.
આ પણ વાંચો |BJP BJD ગઠબંધનમાં ફસાયો પેચ! ભાજપને જરૂર કરતા વધારે લાગે છે નવીન પટનાયકની માંગ
આમ તો સુષ્મા સ્વરાજએ દેશના ઘણા ભાગોમાંથી ચૂંટણી લડી હતી, જેમાં મધ્ય પ્રદેશમાં વિદિશા અને વધુ પ્રખ્યાત કર્ણાટકના બેલ્લારીનો સમાવેશ થાય છે. પોતાની પ્રથમ ચૂંટણીમાં સોનિયા ગાંધીનો મુકાબલો કર્યો હતો - તેમને દિલ્હીમાં પણ સીએમ તરીકે તેમના ટૂંકા કાર્યકાળ માટે યાદ કરવામાં આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us