અજિત પવારના નિધન પછી એનસીપીના આગામી પ્રમુખ કોણ, જાણો કોની દાવેદારી છે મજબૂત?

Ajit Pawar Plane Crash : વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું છે. આ પછી સવાલ થઇ રહ્યો છે કે હવે એનસીપી પાર્ટી કોના હાથમાં જશે. પાર્ટીના ભાવિ નેતૃત્વ વિશે ત્રણ અલગ અલગ દાવા છે, પ્રથમ પરિવારના સભ્યો, બીજો જૂના મિત્રો અને ત્રીજો પક્ષના વફાદાર નેતા

Ajit Pawar Plane Crash : વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું છે. આ પછી સવાલ થઇ રહ્યો છે કે હવે એનસીપી પાર્ટી કોના હાથમાં જશે. પાર્ટીના ભાવિ નેતૃત્વ વિશે ત્રણ અલગ અલગ દાવા છે, પ્રથમ પરિવારના સભ્યો, બીજો જૂના મિત્રો અને ત્રીજો પક્ષના વફાદાર નેતા

author-image
Ashish Goyal
New Update
Ajit Pawar

Ajit Pawar Plane Crash : બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું Photograph: (Express Photo)

Ajit Pawar Plane Crash :  બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થયું છે. આ પછી રાજનીતિ રીતે સવાલ થઇ રહ્યો છે કે હવે એનસીપી પાર્ટી કોના હાથમાં જશે. પાર્ટીના ભાવિ નેતૃત્વ વિશે ત્રણ અલગ અલગ દાવા છે, પ્રથમ પરિવારના સભ્યો, બીજો જૂના મિત્રો અને ત્રીજો પક્ષના વફાદાર નેતા. હવે તે બધા આગામી દિવસોમાં પાર્ટીની સત્તાની રેસમાં આવી શકે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે કોનો દાવો સૌથી મજબૂત છે.

Advertisment

પરિવારના સભ્યોમાં દાવેદારો

સુનેત્રા પવાર

જો આપણે પરિવારના સૌથી મજબૂત દાવાની વાત કરીએ તો તે અજિત પવારના પરિવારમાંથી તેમના પત્ની સુનેત્રા પવારનું નામ હોઈ શકે છે. દાયકાઓથી તે અજિતના શાંત રાજકીય જીવનસાથી છે. સુનેત્રા બારામતી (પવાર પરિવારના ગઢ) માં મહિલા જૂથો અને લોક કલ્યાણ કાર્યક્રમો દ્વારા સામાજિક કાર્યોમાં સામેલ છે.

સુનેત્રાની રાજકીય કારકિર્દીની શરૂઆત 2024ની લોકસભા ચૂંટણીથી થઈ હતી, જ્યારે તેમણે તેમના નણંદ સુપ્રિયા સુલે સામે ચૂંટણી લડ્યા હતા. જોકે આ ચૂંટણીમાં તે હારી ગયા હતી, પરંતુ પાર્ટી અને રાજ્યમાં તેની માન્યતા પણ વધી હતી. હાર પછી અજિત પવારે માર્ચ 2024 માં સુનેત્રાને રાજ્યસભામાં મોકલ્યા હતા, જેનાથી તેમને રાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી હતી.

જોકે સુનેત્રા પાસે વહીવટી અનુભવનો અભાવ છે. પણ અજિત પવારની પત્ની તરીકે તે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

Advertisment

પાર્થ પવાર

પાર્થ પવાર અજીત પવારના પુત્ર છે. એનસીપીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ આ ચૂંટણીમાં પાર્થને હારનો સામનો કરવો પડ્યો હતો. અજિત પવારના પુત્ર સિવાય રાજ્યમાં તેમના પિતરાઈ ભાઇ રોહિત પવારની જેમ તેમની કોઈ ખાસ ઓળખ નથી. પરંતુ પાર્થનું નામ તાત્કાલિક ઉત્તરાધિકારીને બદલે લાંબા ગાળાના ઉત્તરાધિકારી તરીકે ઉભરી શકે છે.

જૂના અને ખાસ મિત્રો

પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલ એનસીપીના સૌથી અનુભવી અને વફાદાર નેતા છે. તે લાંબા સમયથી દિલ્હીમાં શરદ પવાર પ્રત્યે પણ વફાદાર છે. 2023માં પાર્ટીના વિભાજન પછી તેઓ અજિત જૂથ સાથે આગળ વધ્યા અને પાર્ટીને કાયદેસરતા અને મજબૂત સંગઠનાત્મક ઓળખ આપી હતી.

પ્રફુલ્લ પટેલે જ કટોકટીના સમયે પાર્ટીને એક રાખી હતી, તેથી પાર્ટીમાં અજિત બાદ તેમને મોટો નેતા માનવામાં આવે છે. જોકે પ્રફુલને લોકોનો નેતા માનવામાં આવતા નથી અને રાજ્યમાં તેમનો મજબૂત જનાધાર નથી. આવી સ્થિતિમાં પ્રફુલ્લ પટેલનો દાવો પણ પ્રબળ છે, પરંતુ તે લાંબા ગાળા માટે જોવામાં આવી રહ્યો નથી.

આ પણ વાંચો - અજિત પવાર પ્લેન ક્રેશ, ઓછી વિઝિબિલિટી તો લેન્ડિંગ કેમ? દુર્ઘટના પછી ઉભા થયા આ 5 સવાલો

સુનીલ તટકરે

સુનીલ તટકરે રાયગઢ જિલ્લાના રાજકારણમાંથી ઉભરતા રાજકારણી છે. તેમણે સ્થાનિક સંસ્થાઓ દ્વારા કોંકણમાં એનસીપીનો સૌથી મજબૂત આધાર બનાવ્યો. મંત્રી તરીકે પણ તેમની પાસે લાંબો અનુભવ છે.

2023 માં પાર્ટીના વિભાજન પછી તેઓ અજિત પવાર સાથે જોડાયા અને ત્યારબાદ મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ બન્યા હતા. તેમને જિલ્લા સ્તરના કામદારોનો પણ સહયોગ છે. આવી સ્થિતિમાં તેમનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે. જોકે એવું માનવામાં આવે છે કે તેમનું રાજકારણ પણ કોંકણ પૂરતું મર્યાદિત છે.

કેટલાક અન્ય દાવેદારો

ધનંજય મુંડે

તે અજિત શિબિરના કેટલાક નેતાઓમાંથી એક છે જે લોકોમાં લોકપ્રિય છે. તેઓ અજિત પવારના નજીકના સહયોગી પણ માનવામાં આવે છે. જોકે તેઓ ઓબીસી વર્ગના છે અને એનસીપીનો આધાર મુખ્યત્વે મરાઠા મતદારો છે.

જોકે તેમના નામે મોટો વિવાદ થયો હતો, જેના કારણે તેમને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આવી સ્થિતિમાં તેમના નામને લઈને શંકા યથાવત છે.

છગન ભુજબળ

છગન ભુજબળ રાજ્યના સૌથી વરિષ્ઠ ઓબીસી નેતાઓમાંથી એક છે. એનસીપીમાં જોડાતા પહેલા તેઓ શિવસેનામાં હતા. છગન ભુજબળ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ઘણી વખત મંત્રી પદ પર રહી ચૂક્યા છે.

જોકે ભ્રષ્ટાચારના કેસમાં જેલની સજા ભોગવ્યા બાદ રાજકારણમાં પાછા ફર્યા બાદ તેઓ અજિત પવાર સાથે એનસીપીમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં તેને દાવેદાર તરીકે પણ જોવામાં આવી શકે છે. 

પ્લેન ક્રેશ મહારાષ્ટ્ર અજિત પવાર