/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Prashant-Kishor.jpg)
ચૂંટણી રણનીતિકાર અને જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે બિહારમાં રેકોર્ડ મતદાન પાછળ બે કારણો જણાવ્યા (તસવીર - ફેસબુક)
Bihar Assembly Election 2025 First Phase Voting : બિહારમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ચારે બાજુ ચર્ચા થઈ રહી છે કે રેકોર્ડ મતદાન પાછળનું કારણ શું છે. ચૂંટણી રણનીતિકાર અને જન સૂરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે આ પાછળ બે કારણો આપ્યા છે.
પ્રશાંત કિશોરના જણાવ્યા અનુસાર પહેલું કારણ એ છે કે લોકો પરિવર્તન ઇચ્છે છે અને બીજું ચૂંટણીમાં બિહારના પ્રવાસી મજૂરોની મોટી ભાગીદારી છે. આ પ્રવાસી મજૂરો તહેવારોની મોસમમાં તેમના ઘરે પાછા ફર્યા હતા અને અહીં રોકાયા હતા. જન સૂરાજ પાર્ટી પહેલીવાર બિહારમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે.
પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર 64.66 ટકા મતદાન
ચૂંટણી પંચે કહ્યું છે કે પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓની 121 બેઠકો પર 64.66 ટકા મતદાન નોંધાયું છે, જે 2020ની વિધાનસભા ચૂંટણીમાં 57.29 ટકા મતદાન કરતા ઘણું વધારે છે અને 1951 પછીનું સૌથી વધુ મતદાન છે.
મતદાનના આંકડા અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે આઝાદી પછી યોજાયેલી ચૂંટણીમાં બિહારમાં આ સૌથી વધુ મતદાન ટકાવારી છે. પ્રશાંત કિશોરે કહ્યું કે આ મતદાનની ટકાવારી બે બાબતો દર્શાવે છે - પ્રથમ કારણ કે તેઓ છેલ્લા એક કે બે મહિનાથી નહીં પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કહી રહ્યા છે બિહારમાં 60 ટકાથી વધુ લોકો પરિવર્તન ઇચ્છે છે.
છેલ્લા 25-30 વર્ષથી ચૂંટણી પ્રત્યે એક પ્રકારની ઉદાસીનતા છે કારણ કે લોકોને કોઈ રાજકીય વિકલ્પ દેખાતો નથી. હવે જન સુરાજના રૂપમાં લોકો પાસે એક વિકલ્પ છે.
પ્રવાસી મજૂરોને એક્સ ફેક્ટર ગણાવ્યું
પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું હતું કે બિહારમાં પરિવર્તન માટે ભારે મતદાન થયું છે. પ્રશાંત કિશોરે ઘરે પરત ફરેલા પ્રવાસી મજૂરો વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે છઠ પછી મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો અહીં રોકાયા હતા. તેમણે પોતે મતદાન કર્યું અને એ પણ નક્કી કર્યું કે તેમના પરિવારના સભ્યો અને મિત્રોએ પણ મતદાન કરવું જોઈએ. આ સાંભળીને સૌને આશ્ચર્ય થયું છે.
આ પણ વાંચો - બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો
પ્રશાંત કિશોરે કહ્યું કે જે લોકો વિચારતા હતા કે મહિલાઓ માત્ર 10,000 રૂપિયાની આર્થિક સહાય મેળવીને ચૂંટણી નક્કી કરશે તે ખોટું છે. મહિલાઓ મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી આગળ પ્રવાસી કામદારો આ ચૂંટણીનું એક્સ ફેક્ટર છે.
યુવાઓએ સૌથી વધુ મત આપ્યા: પ્રશાંત કિશોર
ઘણા રાજનીતિ દળો માટે ચૂંટણી રણનીતિ બનાવી ચુકેલા પ્રશાંત કિશોરે કહ્યું કે કોઈ પણ રાજકીય નિષ્ણાત, પક્ષ કે નેતાએ આટલી ઊંચી મતદાનની આગાહી કરી ન હતી. કોઈએ કહ્યું ન હતું કે બિહારમાં આટલું અપ્રત્યાશિત મતદાન થશે. પહેલીવાર યુવાનોએ સૌથી વધુ મતદાન કર્યું છે. તેમણે સૌથી વધુ ઉત્સાહથી મતદાન કર્યું છે અને તેઓ તેમના ભવિષ્ય માટે, બિહારમાં પરિવર્તન અને સુધારા માટે મત આપી રહ્યા છે.
ચૂંટણી વલણોને ટાંકીને પ્રશાંત કિશોરે દલીલ કરી હતી કે આટલી મોટી સંખ્યામાં મતદારોની ભાગીદારી રાજકીય પરિવર્તનની ઇચ્છા દર્શાવે છે. તેમણે કહ્યું કે એક કે બે અપવાદ હોઈ શકે છે, પરંતુ છેલ્લા વીસ વર્ષોમાં જ્યાં પણ મતદાન આટલી હદ સુધી વધ્યું છે ત્યાં સરકાર ચલાવતા પક્ષ અથવા સરકારે કિંમત ચૂકવી છે.
જોકે આ વધેલી મતદાન ટકાવારીનો અર્થ શું છે તે બિહારમાં સત્તા પરિવર્તન તરફ દોરી જશે કે કેમ તે 14 નવેમ્બરે ખબર પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us